હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આગામી પાંચ દિવસ દરિયામાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દરિયો તોફાની બનવાની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું
છે.હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ મધ્ય ગુજરાતમાં એક વાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી બાદથી વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે હવામાન ખાતાએ બીજી મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થશે. જો કે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. 16 થી 18 જૂન દરમિયાન દરિયાઇ કાંઠે મહત્વનું છે કે 14 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો છે. તાપીના વ્યારામાં
વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અથવા તો હળવા વરસાદ પડવાની શક્યતા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આવતા ચોમાસાનું જોર ઘટ્યું
રાજ્યમાં ચોમાસાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આવતા ચોમાસાનું જોર ઘટ્યું છે. હવામાન ખાતાના મનોરમા મોહન્તીએ કહ્યું કે 14 જૂન સુધીમાં 25 MMને બદલે 12 MM જ રસાદ થયો છે. એવામાં હવે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.વરસાદની આગાહીને લઇને બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે.
સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ક્યાં પડશે વરસાદ? (16થી 18 જૂન)
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ પડશે
ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેશે
અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના
5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે