મિત્રો, વાસ્તુના તજજ્ઞોના મત મુજબ નમક એ એક એવી વિશેષ વસ્તુ છે લે, જે તમારા ઘરમા રહેલી તમામ નકારાત્મક ઉર્જાને પલભરમા પોતાની તરફ ખેંચી લે છે અને આ તમામ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર ફેંકી દે છે અને ઘરના વાતાવરણ ને પણ એક્દમાં સકારાત્મક બનાવે છે.
મુખ્યત્વે આપણે નમકનો ઉપયોગ ભોજન બનાવવામા કરતા હોઈએ છીએ કારણકે, ભોજનમા તે એક ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેના વિનાનુ ભોજનની આપણે કલ્પના પણ કરી શકતા નથી.તેના વિનાનુ ભોજન એકદમ બેસ્વાદ બની જાય છે. જેમ તે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તેમ તે આપણા જીવનને પણ સરળ બનાવે છે.
શું તમને ખ્યાલ છે કે, એક ચપટી નમક એ તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરે છેઅને તમારા ઘરના વાતાવરણ ને સકારાત્મકતાથી ભરી દે છે જેથી, તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળી રહે છે. આ ઉપરાંત આ ઉપાયથી તમારી નાણાકીય સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ કે, તે આપણા માટે કેટલુ લાભદાયી છે?
જો તમે તમારા ઘરના નકારાત્મક વાતાવરણને દૂર કરીને તેને સકારાત્મક બનાવવા ઈચ્છતા હોવ તો તમારે બીજું કશું જ કરવાનુ નથી. તમારે ફક્ત પોતા કરવાના પાણીમા નમક ઉમેરીને આખા ઘરમા આ પાણીથી પોતુ ફેરવી લેવુ. જો તમે આમાં કરશો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા તો દૂર થશે અને સાથે જ તમારા ઘરનુ વાતાવરણ પણ સુખમય અને શાંતિમય બની રહેશે.
આ ઉપરાંત નમક ક્યારેય પણ સ્ટીલ અથવા લોખંડના વાસણોમા સંગ્રહ કરવુ જોઈએ નહીં. નમકને હંમેશા એક ગ્લાસ જાર અથવા કાચની બરણીમા ભરીને રાખો. આમ, કરવાથી તમારા ઘરમા સુખ અને શાંતિ બની રહે છે અને તમારી આર્થિક સમસ્યાઓમા પણ ઘટાડો થશે.
આ સિવાય જો તમને માનસિક શાંતિ ના મળી રહી હોય અથવા તો કોઈ કારણસર તમારા માનસિક તણાવમા પણ ખૂબ જ વૃદ્ધિ થઇ રહી છે તો નમક આ માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો તમે રાતે સુતા પહેલા પાણી ગરમ કરીને તેમા નમક ઉમેરીને તે પાણીથી હાથ-પગ ધોઈ લો તો તમને આ માનસિક તણાવમાંથી રાહત મળે છે અને તમને રાતે ઊંઘ પણ ખુબ જ સારી આવે છે. માટે જો તમે પણ તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આ ઉપાય એકવાર અવશ્ય અજમાવો તમારું જીવન અવશ્યપણે સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત