શાહજહાંની અર્થીને પણ ખંભો આપવા ન આવ્યો પુત્ર, આખી કહાની જાણીને વિચારમાં પડી જશો,
મુગલ બાદશાહ શાહજહાંનું નામ વિશ્વભરમાં જાણીતું છે. તાજમહલનો વિચાર આવતાની સાથે જ લોકો શાહજહાં અને તેની પ્રેમ કહાની યાદ કરવા લાગે છે. આ સાથે મુમતાઝ બેગમનું નામ પણ લોકોની જીભ પર આવી જાય છે. મુમતાઝ બેગમની યાદમાં શાહજહાંએ વિશ્વના અજાયબીઓમાં આજે જે શામેલ છે તેવો ભવ્ય તાજમહેલ બનાવ્યો હતો. પરંતુ શાહજહાંની એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના લોકોના દિલ અને દિમાગને હચમચાવે છે તે ઘટના છે કે અંતે શાહજહાંને તેના પુત્રોનો ટેકો પણ મળ્યો ન હતો.
એવું કહેવાય છે કે આ સમયે શાહી દરબારના સેવકો અને કિન્નરોએ મળીને તેની અંતિમ વિધિ કરી હતી.
આખી ઘટના વિશે જાણવા માટે આપણે 1658નો ઇતિહાસ જોવો પડશે. આ તે જ વર્ષ હતું જ્યારે શાહજહાંના પુત્ર ઔરંગઝેબે તેની નિર્દયતાની બધી હદો પાર કરી રહ્યો હતો. તેણે શાહજહાંને આગ્રામાં નજરકેદ રાખ્યાં હતાં. કિલ્લામાં 8 વર્ષ નજરકેદમાં રહ્યા બાદ શાહજહાંનું 1666માં અવસાન થયું.
એવું કહેવામાં આવે છે કે આ 8 વર્ષ દરમિયાન જો કોઈએ શાહજહાંની સંભાળ લીધી તો તે જહાંઆરા હતી. જહાંઆરા શાહજહાંની પુત્રી હતી જેણે ખરાબ સમયમાં પિતાની સંભાળ રાખી હતી. તે સમયના સંજોગોને ધ્યાનમાં લેતા જહાંઆરાએ પોતાને મહેલની વૈભવથી દૂર રાખી હતી.તે હમેશા પિતાની સેવામાં જ વ્યસ્ત રહેતી હતી. જહાંઆરા વિશે એવું પણ કહેવામાં આવે છે કે ઔરંગઝેબ અને શાહજહાં વચ્ચેના વિવાદના સમાધાન માટે તેણે તમામ સંભવિત પ્રયાસો કર્યા પરંતુ કઈ થઈ શક્યું નહીં.
આ 8 વર્ષમાં એક વાર પણ વખત ઔરંગઝેબને એવું લાગ્યું ન હતું કે તેણે તેના પિતા શાહજહાંને મળવું જોઈએ. તે એકવાર પણ તેને સારી રીતે પિતાના સમાચાર પૂછવા માટે ગયો ન હતો. ઇતિહાસનાં પન્નામાં પણ ઉલ્લેખ છે કે શાહજહાંના મૃત્યુ પછી પણ ઔરંગઝેબે તેના પિતાના ખભો આપવા પણ આવ્યો ન હતો. શાહી દરબારના સેવકો અને કિન્નરોએ મળીને તેની અંતિમ વિધિ કરવી પડી હતી કારણ કે શાહજહાંના 7 માંથી 3 પુત્રો મૃત્યુ પામ્યા હતાં અને બાકીના 4 સાથે તેણે પોતાનો જુનો ઝઘડાને કારણે ગુમાવ્યાં હતાં. શાહજહાં આ 4 પુત્રો સામે ક્યારેય હાર્યો ન હતો.
બાકીના 4 પુત્રો પણ શાહજહાં સાથે રાજપત માટે ઉગ્ર લડ્યા હતા. તેમાંથી એક ઔરંગઝેબ હતો જેણે કપટ અને યુદ્ધથી શાહજહાંને આગ્રા કિલ્લામાં કેદ કર્યો અને ગાદી પર પોતે બેસી ગાયો હતો. તે સમયે સ્થિતિ એવી થઈ ગઈ કે ગાદીની લડાઇમાં ઔરંગઝેબ સિવાય શાહજહાંના 7 પુત્રોમાંથી કોઈ આમ પણ બચ્યું નહોતું. આથી ઔરંગઝેબને શાહજહાંને જેલમાં બંધ કરી દીધો હતો અને તે ક્યારેય તેના પિતાને મળવા ગયો ન હતો. મૃત્યુ પછી પણ પિતા-પુત્રનો ઝઘડો થતો રહ્યો અને ઔરંગઝેબે પિતાની અંતિમ વિધિ પણ નહોતી કરી. આ જ કારણ હતું કે શાહજહાંના અંતિમ વિધિ તેના સેવકો અને કેટલાક કોન્નરો દ્વારા કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ શાહજહાં મુઘલોનો પાંચમો સમ્રાટ હતો. શાહજહાં જહાંગીરનો પુત્ર અને અકબરનો પૌત્ર હતો. લાહોરમાં 5 જાન્યુઆરી 1592માં જન્મેલા શાહજહાં આગ્રામાં વિશ્વ વિખ્યાત મુમતાઝ મહલના નિર્માણ માટે જાણીતા છે. મુમતાઝની યાદમાં શાહજહાંને આગ્રામાં તાજમહેલ બનાવ્યો હતો. પોર્ટુગીઝ શાસનનો અંત લાવનાર શાહજહાંએ અનેક યુદ્ધો કર્યા હતાં અને જીત મેળવી હતી. તે પરિવારને લઈને ખૂબ જ દુર્ભાગ્યશાળી હતો અને પુત્રોનાં કારણે સારું જીવન પણ ન જીવી શક્યો. તેણે આજીવન તેના જ પુત્રો પાસેથી છેતરપિંડી અને અવિશ્વાસનો સામનો કરવો પડ્યો. આખરે 22 જાન્યુઆરી 1666ના રોજ આગ્રા કિલ્લામાં તેમનું અવસાન થયું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!