Site icon News Gujarat

હેલ્ધી અને સ્વસ્થ રહેવા માટે દિવસની શરૂઆતમાં કરો આ ખાસ યોગાસન, મળશે અનેક ફાયદા

યોગાસન કોરોના સંક્રમણ અને અન્ય અનેક બીમારીથી બચવામાં મદદ કરે છે. આ માટે રૂટિનમાં યોગ સામેલ કરો. જેથી રોગ પ્રતિરોધક ક્ષમતાની સાથે ફેફસાની કેપેસિટી વધી શકે. બીમારીથી બચવા માટે નિયમિત રીતે યોગ કરવા જોઈએ. યોગ આપણને શાંત કરે છે અને સ્થિરતા લાવે છે. તમારા રૂટિનમાં યોગને સામેલ કરીને તમે ઈમ્યુનિટીને મજબૂત બનાવી શકો છો. જેથી આગળ વધીને કોઈ પ્રકારની શારિરીક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ રીતે તમે કમર દર્દ જેવી સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. આજે ફેસબુક લાઈવ યોગ સેશનમાં યોગ એક્સપર્ટ સવિતા યાદવે અનેક નાના યોગાભ્યાસ સિવાય પદ્માસન, પર્વતાસનને વિશે જણાવ્યું છે. તેના નિયમિત અભ્યાસથી માંસપેશી મજબૂત રહે છે. તેનાથી સ્ટ્રેસથી પણ મુક્તિ મળે છે. યોગ એક કળા છે અને સાથે તેનો અભ્યાસ ધીરે ધીરે કરવો. જો કે તમે એક દિવસમાં તેમાં નિપુણ બની શકતા નથી, જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ તમારી આદતમાં સામેલ થશે. યોગ ધીરે ધીરે કરો અને સ્વસ્થ જીવનને માટે યોગ અપનાવો.

પદ્માસન

image source

પદ્માસન શબ્દ 2 અલગ શબ્દોને મિક્સ કરીને બન્યો છે. પદ્માસનમાં પહેલો શબ્દ પદ્મ છે અને તેનો અર્થ કમળ હોય છે. જ્યારે અન્ય શબ્દ આસન છે જેનો અર્થ બેસવું થાય છે. પદ્માસનમાં યોગી એવી સ્થિતિમાં બેસે છે જેમકે કમળનું ફૂલ.

જાણો શું છે પદ્માસનના ફાયદા

image source

પદ્માસન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. જો તમે પણ અશાંતિ કે બેચેની અનુભવો છો તો પદ્માસનનો અભ્યાસ કરો. આ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. આ આસનને અલૌકિક ઉર્જા પ્રાપ્ત કરવા, મેડિટેશન કે ધ્યાન કરવા, ચક્ર કે કુંડલિનીને જાગૃત કરવા કરે છે. પદ્માસન શક્તિશાળી આસન છે. આ કમર અને હ્રદયના રોગને માટે સારું આસન છે. તેનાથી ભૌતિક અને આધ્યાત્મિક લાભ યોગશાસ્ત્રમાં ગણાવાયા છે. મેડિટેશને માટે નક્કી કરાયેલા આસનમાં પણ તેનો સમાવેશ થાય છે.

માર્જરી આસન

image source

માર્જરી આસનને અંગ્રેજીમાં કૈટ પોઝના નામે ઓળખવામાં આવે છે. તેને કૈટ ખેંચાણ મુદ્રાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ આસનને કરવાથી પીઠની માંસપેશીમાં લચીલાપણું બની રહે છે. માર્જરી આસન એક આગળની તરફ ઝૂકીને પછી પાછળની તરફ વળવાનું આસન છે. કૈટ વોક દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આપણે યોગ આસન વર્ગમાં કૈટ પોઝને વિશે ચર્ચા કરીએ છીએ. આ આસન તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા આપે છે. આ આસન કરોડ રજ્જુ માટે યોગ્ય રહે છે. તેની સાથે પીઠ દર્દ અને ગરદનના દર્દમાં પણ રાહત આપે છે.

જાણો શું છે મર્જરી આસનના ફાયદા

image source

કરડો રજ્જુને વધારે લચીલી બનાવવામાં મદદ કરે છે. આ સિવાય પાચનક્રિયામાં સુધારો લાવવામાં મદદ કરે છે. લોહીના પરિભ્રમણમાં સુધારો લાવે છે. પેટની વધારાની ચરબીને ઘટાડી તેને સ્લીમ અને ટોન કરવામાં મદદ કરે છે. તણાવને દૂર કરવામાં પણ આ આસન ફાયદો કરે છે. મનને શાંત કરીને માનસિક શાંતિ આપે છે. ખભા અને કાંડાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

કૌવા ચાલન

image source

આ આસન કરવા માટે નીચે ઉકડૂની સ્થિતિમાં બેસો અને પછી પોતાના બંને હાથને ઘૂંટણ પર રાખો. સામાન્ય શ્વાસ લેવાની સાથે યોગા મેટની ચારે તરફ ચાલો. તેમ કરવાથી અનેક લાભ થાય છે. આ આસન પગની માંસપેશીને ફેલાવે છે અને સાથે આ શારિરિક શક્તિને વધારે છે. ડાઈજેશનને માટે સારું રહે છે. કમરદર્દ, પગની ક્ષમતા વધારનારું યોગાસન છે.

પર્વતાસન

image source

આ આસનને કરવા માટે સૌ પહેલા બેસી જાઓ. પોતાની કરોડરજ્જુને સીધી રાખો અને સાથે બંને હાથની આંગળીઓને એકમેકની સાથે ઈન્ટરલોક કરો. જ્યારે પોતાની હથેળીને પલટો ત્યારે તેને માથાની લાઈનમાં રાખો. આ પછી બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. અને સાથે હાથને નીચેની તરફ લઈ જાઓ. આ પછી ઊંડા શ્વાસ લો અને ખભા અને બાજુની પીઠની માંસપેશીમાં એક ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિમાં 2 મિનિટ સુધી રહો. પછી ફરી શ્વાસ છોડો અને હાથને નીચેની તરફ લઈ આવો. આ આસન નિયમિત રીતે 10 મિનિટ સુધી કરો.

Exit mobile version