Site icon News Gujarat

કોરોના પુરૂષોની આવી લાઈફને કરી રહ્યો છે બરબાદ, નપુંસકતાના કેસમાં થયો વધારો

કોરોના વાયરસની બીજી લહેરમાં તેની સાથે આવેલા લક્ષણો વિશે નવી વસ્તુઓ બહાર આવી રહી છે. હવે નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ -19થી પુરુષોના જાતીય જીવનને પણ અસર થઈ રહી છે. અધ્યયન મુજબ, કોરોનાને કારણે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે નપુંસકતા જોવા મળી રહી છે. આના કારણમાં પોસ્ટ-કોવિડ સ્ટ્રેસ, ડિપ્રેશન તેમજ શરીરની અંદર કેટલાક અંશે બદલાવ શામેલ છે. આવું કેમ થઈ રહ્યું છે તે સમજવા માટે અને પુરુષોની સેક્સ ડ્રાઇવને તે કેટલી હદે અસર કરી રહી છે તે સમજવા અમે આ અધ્યયનના કેટલાક નિષ્ણાતો સાથે વાત થઈ રહી છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે શું?

image source

મેન્સ હેલ્થમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના યુરોલોજિસ્ટ ડો. હોવર્ડ ઓબર્ટ કહે છે કે આ સમજતા પહેલાં, ઈરેક્શનની પ્રક્રિયાને સમજવી પડશે. ખરેખર, શિશ્ન (પેનિસ) ત્રણ સિલિન્ડરથી બનેલું છે. ટોચનાં બે સિલિન્ડરો સ્પન્જ જેવા વિસ્તૃત ટિશ્યૂથી ભરેલા હોય છે. તો તરફ નીચલું સિલિન્ડર બ્લેન્ડરથી પેશાબને પાસ કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ ઉત્તેજિત થાય છે, ત્યારે તે નર્વસ પ્રતિક્રિયા અને તેના દ્વારા ઉત્તેજિત થતી પ્રવૃત્તિને કારણે થાય છે. આ દરમિયાન લોહી સ્પંજી પેશીઓમાં આવે છે અને તે ફેલાય છે. સિસ્ટમ એવી છે કે લોહી ત્યાં અટકે છે. પછી વ્યક્તિ ઉત્થાન અનુભવે છે. આ માટે તે જરૂરી છે કે નર્વમાંથી પૂરતા પ્રમાણમાં નાઇટ્રિક ઓકસાઈડ છૂટુ થાય. નસો પૂરતી ખુલ્લી હોવી જોઈએ જેથી સ્પિડથી લોઙી નિકળી શકે. જ્યારે કોઈ પણ કારણોસર લોહી શિશ્ન સુધી પહોંચી શકતુ નથી, તો પછી તેનું ઉત્થાન થતું નથી અને આને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહે છે.

ઈરેક્ટાઈલ ડિસફંક્શનના ક્યાં કારણો હોઈ શકે છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાણ, હતાશા અને કામગીરી સંબંધિત તણાવ પણ ઈરેક્ટાઈલ ડિસફંક્સનના કારણો હોઈ શકે છે. પરંતુ જો લોહીના પ્રવાહમાં કોઈ સમસ્યા હોય, તો તે ઉત્થાનને અસર કરી શકે છે. નર્વસ સિસ્ટમમાં કોઈ ખલેલ અથવા હોર્મોન સંવેદનશીલતા પણ આનું કારણ હોઈ શકે છે.

image source

સામાન્ય રીતે, ઈરેક્ટાઈલ ડિસફંક્શનનો સંબંધ સીધે સીધો રક્ત પરિભ્રમણ સાથે છે અને આને લીધે, ઈરેક્ટાઈલ ડિસફંક્શનમાં કોઈ ખલેલ પણ હૃદયરોગના સંકેત હોઈ શકે છે. કોવિડ-19 ને કારણે, આખા શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ જાય છે અને લોહીના પરિભ્રમણને સીધી અસર થાય છે. શિશ્નને લોહી પહોંચાડતી ધમનીઓ અવરોધિત અથવા સાંકડી થઈ શકે છે. જો આવું થાય છે અને લોહી શિશ્ન સુધી પહોંચશે નહીં અને ત્યારબાદ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે.

image source

નવી દિલ્હીના ડાયોસ મેન્સ હેલ્થ સેંટરના ક્લિનિકલ ડાયરેક્ટર ડો.વિનીત મલ્હોત્રા કહે છે, કોવિડ -19 શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સહિત વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય પર મોટો પ્રભાવ પાડ્યો છે. જાતીય કાર્ય અને પ્રજનન ક્ષમતા સીધા અથવા આડકતરી રીતે વાયરસ સાથે જોડાયેલી છે. શારીરિક કસરતનો અભાવ, અતિશય આહાર અને અતિશય આલ્કોહોલ પણ આરોગ્યને ખરાબ કરે છે.

અભ્યાસ શું કહે છે?

કોવિડ-19 અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વચ્ચેના સંબંધનું વર્ણન માર્ચ 2021માં જનરલ એન્ડ્રોલોજીમાં ‘માસ્ક અપ ટૂ કીપ ઈટ’ હેડિંગથી પ્રકાશિત સંશોધન પેપરમાં વર્ણવવામાં આવ્યું છે. ઇટાલિયન પુરુષો પર કરવામાં આવેલા આ અધ્યયન સૂચવે છે કે કોવિડ -19 ને કારણે રક્તવાહિની તંત્રને નુકસાન થાય છે, જે પુરુષોમાં ઉત્થાનને અસર કરી રહ્યું છે.

વર્લ્ડ જર્નલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેપના ઘણા મહિના પછી પણ શિશ્નમાં ચેપ રહે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ -19 ને કારણે, શરીરના ઘણા કોષોની કામગીરીને અસર થઈ છે જે ઈરેક્ટાઈલ ડિસફંક્શનનું કારણ હોઈ શકે છે.

image source

આ અભ્યાસના પરિણામોની પુષ્ટિ આપતા, દિલ્હીના સેન્ટર ફોર રીકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી અને એન્ડ્રોલોજીના ડો.ગૌતમ બંગા કહે છે, કોવિડ -19 એ પુરુષોના સ્વાસ્થ્યને બે રીતે અસર કરી છે – પ્રથમ જાતીય સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય. રોગચાળાએ લોકોને સામાજિક તેમજ આર્થિક રીતે પરેશાન કર્યા છે. આ તાણ, હતાશા અને અસ્વસ્થતા તરફ દોરી જાય છે. તેની અસર પુરુષોના ઓવર ઓલ હેલ્થ, ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને ફર્ટીલીટી પર દેખાય છે.

શું આ નુકસાન કાયમી છે કે તેનો ઇલાજ કરી શકાય છે?

કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યાના દોઢ વર્ષ પછી પણ, સંશોધકો હજી પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે લાંબા ગાળે વાયરસ કઈ મુશ્કેલીઓ રજૂ કરી શકે છે. લોહીના ગંઠાઇ જવા, ન્યુરોલોજીકલ સમસ્યાઓ, હૃદય, ફેફસાં અને કિડનીને નુકસાનની સમસ્યા સાબિત થઈ છે. આ લક્ષણો ઘણા મહિનાઓ પછી પણ દેખાય છે.

image source

નિષ્ણાતો કહે છે કે કોવિડ -19 ને કારણે કેટલાક નુકસાન કાયમી બની રહ્યા છે, જ્યારે કેટલાક કામચલાઉ છે. ઈરેક્ટાઈલ ડિસફંક્શન કાયમી છે કે નહીં, તેના પર વધુ સંશોધનની જરૂર છે. તે પણ નિશ્ચિતપણે કહી શકાતું નથી કે કોવિડ -19 ચેપથી પ્રજનન અસર થશે. ઉંમર પણ એક પરિબળ હોઈ શકે છે. વધતી વયના કારણે ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને કોવિડ -19 ની તીવ્રતા બંનેનું જોખમ રહેલું છે.

ગુડગાંવની જ્યોતિ હોસ્પિટલના યુરોલોજિસ્ટ અને એન્ડ્રોલોજિસ્ટ ડો.રમન તંવર કહે છે કે ઘણી કંપનીઓમાં હજી પણ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે, જેના કારણે કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરી રહ્યા છે. તે તણાવ, અસ્વસ્થતા, હતાશાનું કારણ બની રહ્યું છે અને કાર્ડિયાક એટેક અને પ્રજનન સિસ્ટમથી સંબંધિત સમસ્યાઓ તરફ દોરી રહ્યું છે. સમય જતાં તેમા સુધારો આવી શકે છે.

ભારતમાં પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શનના કેસ છે?

હા. હવે આવા કેસ ડોકટરો પાસે આવવા લાગ્યા છે. ડો.રમન તન્વરના જણાવ્યા અનુસાર, તેમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વના ઘણા ભાગોમાં કરવામાં આવેલા અધ્યયનોએ સાબિત કર્યું છે કે કોવિડ -19 અને ઈરેક્ટાઈલ ડિસફંક્શન વચ્ચે ક્લોઝ સંબંધ છે.

શું રસી લીધા પછી પણ આ સમસ્યાઓ સામે આવી રહી છે?

image source

ના. આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. ડો. મલ્હોત્રા કહે છે, કોવિડ -19 રસીની કથિત આડઅસરો વિશે ચિંતા વધી છે. અફવાને કારણે પુરુષો રસીને ટાળી રહ્યા છે. તેઓએ વિચારવું જોઇએ કે રસી કોવિડ -19 ના ગંભીર લક્ષણોનું જોખમ ઘટાડે છે. તેનાથી ફક્ત તેમને ફાયદો થશે, નુકસાન પહોંચાડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version