કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેર પણ મચાવશે ધમાલ, જાણો મહામારીથી બાળકોને કેટલો રહેશે ખતરો
કોરોના વાયરસની બીજી લહેરે આબાદી વાળા શહેરોની સાથે સાથે ઓછી આબાદી વાળા ગામને પણ નિશાન બનાવ્યા છે. જો કે દેશના અનેક રાજ્યોમાં સામે આવી રહેલા નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છો. આ સાથે દેશમાં રોજના 1 લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા છે. પરંતુ મોતનો આંકડો હજુ પણ ચોંકાવનારો જોવા મળી રહીયો છે. દેશમાં કોરોનાની બીજી લહેર પોતાના ચરમસીમાએ હતી ત્યારે જાણકારોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી હતી અને તેમાં બાળકોને વધારે ખતરો હોવાનું અનુમાન પણ કરાયું છે. એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને લઈને રાજ્ય સરકારોએ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. જેથી બાળકોને વધારે મુશ્કેલીઓ સહન કરવી ન પડે.
ત્રીજી લહેર બાદ આવી શકે છે કોરોનાની ચોથી લહેર
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને કઈ રીતે સુરક્ષિત રાખવા તેને લઈને ડોક્ટર્સ સાથે અનેક વાતચીત કરાઈ છે જેમાં તેમનું કહેવું છે કે કોરોના વાયરસ પોતાની સ્થિતિ બનાવી રાખવા માટે વારેઘડી મ્યૂટેટ થાય છે એટલે કે પોતાનું રૂપ બદલતો રહે છે.
તેઓએ કહ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેર પણ આવી શકે છે.આપણે આ માટેની તૈયારીઓ સાથે સતર્ક રહેવાની જરૂર છે. આ માટે મોટા પાયે વેક્સીનેશનની મદદથી આપણે તેની પર કાબૂ મેળવી શકીએ છીએ. કારણ કે આ એકમાત્ર હથિયાર છે
બાળકોને લઈને ચિંતા કરવા કરતા સારું રહેશે કે સાવધાન રહીએ
જાણીતા ડોક્ટરનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરને લઈને કહેવાયું છે કે તેનાથી ડરવાને બદલે તેનાથી બચવાની તૈયારીઓ કરી લેવી જોઈએ. એવું પણ શક્ય છે કે ત્રીજી લહેરમાં બાળકો પર ખાસ્સો મોટો પ્રભાવ ન પડે તેની સંભાવના રાખવામાં આવી રહી છે. હાલના આંકડા પર નજર કીએ તો બાળકોમાં બીમારીની અસર ઓછી છે અ ગંભીર બીમારીનો ખતરો ઓછો છે. તેઓએ કહ્યું કે સંક્રમિત થનારા 5 ટકા બાળોકમાં ગંભીર બીમારી જોવા મળે છે.
બીજી લહેરમાં પણ અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે તો ત્રીજી લહેરમાં બાળકોને લઈને ડર પેદા કરવો કે ગભરાવવાના બદલે તકેદારી રાખવાની ખાસ જરૂર છે. તો તમે પણ અત્યારથી તે માટે તૈયાર રહો જેથી ત્રીજી લહેરના સંક્રમણને ફેલાતું અટકાવવામાં મદદ મળી શકે.