Site icon News Gujarat

નફ્ફટ કોરોનાએ ભારતના આટલા હજાર બાળકોને અનાથ બનાવી દીધા, હસતી-કૂદતી જિંદગીને બંજર બનાવી દીધી

કોરોનાની બીજી લહેરની અસર આખા દેશમાં ખુબ ગંભીર રીતે થઈ છે. નિર્દોષ બાળકોને રોગચાળા દ્વારા સૌથી વધુ અસર થઈ છે. જો આપણે આંકડા જોઈએ તો, અત્યાર સુધીમાં આખા દેશમાં 9346 બાળકો અનાથ અથવા નિરાધાર બન્યા છે. તેમાંથી મોટા ભાગનાએ તેમના માતાપિતા બંનેને ગુમાવ્યા હતા, જ્યારે ઘણા બાળકોને કાં તો પિતા કાં તો માતાને ખોવાનો વારો આવ્યો છે.

image source

બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ માહિતી રજૂ કરવામાં આવી હતી. ન્યાયાધીશ એલ.એન.રાવ અને અનિરુધ્ધ બોઝની ખંડપીઠ સમક્ષ મહારાષ્ટ્ર સરકારે આ આંકડા રજૂ કર્યા. 30 મે સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4,451 બાળકોએ તેમના માતાપિતામાંથી એક ગુમાવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. તે જ સમયે 141 બાળકો એવા છે જેમના માતાપિતા બંને મૃત્યુ પામ્યા છે.

image source

એનસીપીસીઆરના વકીલ સ્વરૂપમા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 2110 બાળકો નિરાધાર બન્યા, જે આખા દેશમાં સૌથી વધુ આંકડો છે. બિહાર બીજા નંબરે છે, જ્યાં રોગચાળા દ્વારા 1327 બાળકો પર મહામારીની અસર પડી. તે જ સમયે, કેરળ 952 બાળકો સાથે ત્રીજા નંબરે છે અને મધ્યપ્રદેશ 712 બાળકો સાથે ચોથા ક્રમે છે. આ બાળકો કોરોના રોગચાળાને કારણે અનાથ બની ગયા અથવા તો તેમણે માતાપિતામાંથી કોઈ એક ગુમાવ્યું છે.

image source

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને 7 જૂન સુધીમાં એનસીપીઆરસી વેબસાઇટ ‘બાલ સ્વરાજ’ પર સંપૂર્ણ ડેટા અપલોડ કરવા જણાવ્યું છે. અહીં કોરોના વાયરસ ચેપથી પ્રભાવિત બાળકોની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટ બાળકોના ઘરોમાં કોરોના ફેલાવા અંગેના સુ-મોટોને લગતા કેસની સુનાવણી કરી રહી છે. એનસીપીસીએરે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોરોના અને મોટી સંખ્યામાં મૃત્યુના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બાળકોના હકની સુરક્ષા માટે વધારાના પ્રયાસો કરવા જોઈએ તે જરૂરી બન્યું છે. આ દિશામાં પ્રથમ પગલું એ જરૂરીયાતમંદ બાળકોને ઓળખવા અને આવા બાળકોને શોધી કાઢવાની પદ્ધતિઓ વિકસાવવી છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે, મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 318 બાળકો અનાથ બન્યા છે, જેમણે રોગચાળામાં તેમના બંને માતાપિતાને ગુમાવ્યા હતા. આ આંકડો સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં કુલ 712 બાળકો છે જેણે તેમના માતાપિતામાંથી એક ગુમાવ્યા છે. આ સંદર્ભે, રાજ્ય આખા દેશમાં સાતમા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જન્મના માત્ર 15 કલાકમાં જ નવજાત કોરોનાથી સંક્રમિત થયું છે. આશ્ચર્યની વાત એ છે કે નવજાતની માતામાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો નથી, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોકટર પણ પરેશાન છે કે આવું કઈ રીતે થઈ શકે છે કે ગર્ભવતી મહિલા સંક્રમિત ન હોવા છતાં નવજાત બાળકને કોરોના થયો હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version