Site icon News Gujarat

બે ડોઝ અને પછી કોરોનો પોઝિટિવ આવ્યો, છતાં પણ ઘરે રહીને 3 દિવસમાં જ સાજા થયા, 70 ડૉક્ટર સહિત 100 લોકોનો અનુભવ

કોરોનાનાં કેસોનો આંકડો કાયમ રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. આ મહામારીને રોકવા માટે દેશભરમાં રસીકરણનું કામ પણ તેજીથી થઈ રહ્યું છે. કોરોનાનાં ચેપ સામે લડવામાં વેક્સિનેશન સૌથી અસરકારક હથિયાર છે છતાં પણ મોટી સંખ્યામાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. રસી વિશે લોકોમાં જાગૃતતા દેખાઈ રહી નથી. આ બાબતે સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે કોરોનાના નવા સ્ટ્રેન સામે રસી બિનઅસરકારક છે જેના કારણે લોકો રસીથી દૂર ભાગી રહ્યાં છે. અહી જે કેસ વિશે વાત કરવામાં આવી રહી છે તે આવા લોકોને જરૂર આ બાબતે સ્પષ્ટતા માટે ઉપયોગી બનશે.

image source

નિષ્ણાતોનું દ્વારા મળતી માહિતી મુજબ રસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી મૃત્યુની સંભાવના નહીવત થઈ જાય છે. આ માટે 70 ડૉક્ટરો અને 30 સામાન્ય માણસોનો એક સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જે આ માન્યતા અંગે સ્પષ્ટતા કરશે. આ રિપોર્ટ માટે એવા લોકો સાથે વાત કરી હતી જેઓ રસીના બન્ને ડોઝ લીધા પછી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ વાતચીતમાં લોકોએ મોટો ખુલાસો કયો હતો કે રસીના કારણે તેમના પર ગંભીર અસર થઈ નહોતી અને માત્ર બે-ત્રણ દિવસમાં સાજા થઈ ગયા હતા.

image source

મળતી માહિતી મુજબ રસી લીધેલી હોય તો ફેફસામાં ઇન્ફેક્શન 5 ટકાથી ઓછું થાય છે. સુરતમાં આ બાબતે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ માટે શહેરના ચાર ડોકટરો સાથે વાત કરવામાં આવી હતી જેણે વેકસિનના બંન્ને ડોઝ લીધા હતાં. આ પછી આ 4 ડોકટરો કોરોનાગ્રસ્ત થયા હતા. પરંતુ તેઓ ઘરે સારવાર લઈને જ સાજા થઈ ગયા હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો. તેમનું કહેવુ છે કે વેકસિન લીધી હોવાના કારણે ઈન્ફેશનની અસર ગંભીર ન થઈ. જેના કારણે હોસ્પિટલ સુધી જવું પડયું નહીં. રસીની સારી વાત એ છે કે ફેફસામાં ઈન્ફેકશનનું પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું આવ્યું છે.

image source

આ અંગે રાજકોટ સિવિલ હૉસ્પિટલના સિવીલ ડેથ બોડી મેનેજમેન્ટના એસ.આઇ. સાહિલ પઠાણે પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું હતું કે મેં વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. એ પછી ગત 4 એપ્રિલના મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતના બેથી ત્રણ દિવસ મને તાવ, ઉધરસ, અને કળતર અને સાથે ઠંડી પણ લાગતી હતી. જો કે આ સમસ્યા માત્ર ત્રણ દિવસ જ હતી. પરંતુ તે પછી તબીયત સારી થઇ ગઇ હતી અને હવે કોઇ તકલીફ નથી. આ પાછળનું કારણ પણ એ જ છે કે વેક્સિન અગાઉ લઈ લીધી હતી જેથી ફેફસામાં ઈન્ફેકશન લાગ્યું જ ન હતું અને સાજા થવું પણ સહેલું રહ્યું હતું.

આ સાથે જાણવા મળ્યું હતું કે તે 4માંથી એક ડોકટરને તો ફેફસામાં ઈન્ફેકશન લાગ્યું જ ન હતું. ડોકટરોનું કહેવું છે કે જો તમામ લોકો વેકસિન લઈ લે તો શકય છે કે આ ચેપ લાગી શકે પણ ઘરેથી જ લોકો સાજાં થઈ શકશે અને મૃત્યુદર પણ ઘટી જશે. તેમણે કહ્યું કે ગંભીર પરિસ્થિતિ બને તે પહેલા તેના નિવારવા માટે વેક્સિન જ એક હથિયાર છે જેથી બને તેટલી જલ્દી લોકોએ વેક્સિન લઈ લેવી જોઈએ

image source

રસીને લઈને નિષ્ણાતો દ્વારા આની એક મહત્વનો ખુલાસો થયો છે જે આ બીજા સ્ટ્રેનનાં કોરોના સામે લડવામાં ખૂબ જ કારગર થશે. જાણવા મળ્યું છે કે રસીથી ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે. ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાએ વાતચીત કરતાં જણાવ્યું કે મને રસી લીધા બાદ પણ કોરોના ભલે થયો છતાં લોકો રસી લે. રસી લીધા બાદ કોરોના ન થાય તેવું નથી પરંતુ તેની તીવ્રતા નિયંત્રણમાં રહે છે અને જેના કારણે ઓછા સમયમાં તમે સાજા થઈ શકશો. તેમણે કહ્યું કે મેં કોરોનાના બંને ડોઝ લઈ લીધા હતા અને ત્યારબાદ માત્ર 28 દિવસની અંદર બીમારી લાગુ પડી છે. પરંતુ રસી લેવાને કારણે ફાયદો એ થયો છે કે મારું ઓક્સિજન લેવલ 98 આસપાસ જળવાઈ રહ્યું છે અને શ્વાસ જેવી બીજી કોઇ ગંભીર તકલીફ થઈ નથી.

આ રીતે વેક્સિનથી વાયરસનાં સંક્રમણ ફેલાવા પર નિયંત્રણ મેળવી શકાય છે.

1. એવા પુરાવા મળ્યા છે કે બન્ને ડોઝ લીધા હોય તેમની સંક્રમિત થવાની સંભાવના પણ ઘટે છે.

2. રસીથી શરીરમાં નેચરલ ઇમ્યુનિટી (કુદરતી રોગપ્રતિકારકશક્તિ) વિકસે છે.

3. રસી લીધી હોય તેમનાથી બીજાને ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે.

4. નેચરલ ઇમ્યુનિટીથી ગંભીર બીમારી અને મૃત્યુંની સંભાવના ઓછી રહે છે.

સુરતના એક ડોક્ટર નીતિન ગર્ગે સાથે પણ આજ બન્યું હતું તેમણે રસીનાં બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના સંક્રમિત થયા હતા. જો કે 4 દિવસ તાવ રહ્યા બાદ 5મા દિવસે તેઓ સાજા થઈ ગયા હતા. ડૉ. હીરલ શાહને પણ બન્ને ડોઝ લીધાના 32 દિવસ પછી કોરોના થયો હતો. તેમને ફેફસાંમાં ઇન્ફેક્શન 15 ટકા જ હતું. વેક્સિનના કારણ તેઓ બચી ગયા અને હોસ્પિટલમાં એડમીટ થવું પડ્યું નહીં.

image source

આ પછી બીજા એક ભાવનગર જિલ્લાના અમરાપરના શિક્ષક મોહનભાઇ ઢીલાએ જણાવ્યું હતું કે ‘મેં વેક્સિન લીધી તેમ છતાં કોરોના થયો હતો પણ રસીનું રક્ષા કવચ મળી જતાં ઝડપભેર સ્વસ્થ થઇ ગયો છું. તેમણે લોકોને અફવાઓ સાચી ન માનીને ઝડપથી વેક્સિન લેવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે જેથી જો ચેપ લાગે પણ છે તો કોરોના સામે લડી શકાય.

રસીથી સાજા થયેલા સુરતના ડૉ.વિનોદ શાહ કહે છે કે રસીના બન્ને ડોઝ લીધાના 25 દિવસ પછી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે તેમને પોઝિટિવ આવ્યો હતો. આ પછી 1 એપ્રિલે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. જો કે 69 વર્ષની વય હોવા છતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહીં. ફેફસામાં ઇન્ફેક્શન પણ 5 ટકાથી ઓછું રહ્યું અને તેઓ માત્ર 3 દિવસમાં સાજા થઈ ગયા હતાં તેઓ પણ લોકોને રસી લેવા માટે આપીલ કરી રહ્યાં છે.

image source

ઉમરેઠના ડૉ.સુનીલ ચાવડાએ એ જણાવ્યું હતું કે રસીના બન્ને ડોઝ લીધા પછી એપ્રિલની શરૂઆતમાં હું સંક્રમિત થયો હતો. પણ કોઈ તકલીફ થઈ નહોતી. રસી લીધી હોવાથી ફક્ત પેરાસીટામોલ અને ટેબિઝૂમ જેવી દવા માત્ર ત્રણ જ દિવસ લીધી હતી. જેનાથી મને કોરોનાથી રાહત મળી હતી.

કોરોના મોટી ઉમરનાં લોકોને વધારે જપેટમાં લઈ રહ્યો છે ત્યારે એક 78 વર્ષના બેન કહેલી આ વાત બધાને જરૂર રાહત આપશે. 78 વર્ષનાં હંસાબેને કહ્યું કે તેમણે રસીના બે ડોઝ લીધા હતાં અને પછી ચેપ લાગ્યો. પછી સ્થિતિ એવી પણ થઈ હતી કે ઓક્સિજન પણ લેવો પડ્યો અને રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવા પડ્યાં હતાં છતાં આજે તેઓ સાજા થઇને ઘરે આવ્યા છે.

Exit mobile version