જયારે પણ દિલીપકુમાર ને ગુસ્સો આવતો તો તે ઘરની વસ્તુઓને ફેકવા લાગતા, જાણો તેમની પત્નીએ કર્યો આવો ખુલાસો…
મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એ એક એવુ જગત છે કે, જ્યા અનેકવિધ લોકો અભિનય ક્ષેત્રે પોતાનુ નામ ચમકાવવા આવે છે પરંતુ, બધા જ લોકો આ ફિલ્મજગતમા નામ કમાવવામા સફળ રહેતા નથી. અમુક લોકો જ પોતાના ભાગ્ય અને પરિશ્રમના બળ પર આ ફિલ્મજગતમા નામ કમાવવામા સફળ રહે છે.આજે આ લેખમા અમે તમને ફિલ્મજગતના એવરગ્રીન સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને ભાગ્યે જ કોઈ નહિ ઓળખતુ હોય.
આપણે આજે અહી વાત કરવા જઈ રહ્યા છીએ ફિલ્મજગતના સુપરસ્ટાર દિલીપ કુમાર વિશે. આ કલાકારે પોતાના અભિનયથી કરોડો લોકોને પોતાના ચાહક બનાવી દીધા છે અને આજે તે ફિલ્મજગતથી દૂર હોવા છતા પણ લોકો તેમને ભૂલ્યા નથી, લોકો તેમના સાથે સંકળાયેલી પળેપળની માહિતી મેળવવા માટે આતુર હોય છે.
આપણે સૌ જાણીએ છીએ કે, હાલ દિલીપ કુમારની તબિયત ઘણા સમયથી ખરાબ છે ત્યારે હાલ સાયરાબાનોએ એક ઈન્ટરવ્યુમા દિલીપ કુમાર વિશેની અમુક વાતો અને અમુક આદતો વિશે ખુલાસો કર્યો હતો. તેમણે આ ઈન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે, જ્યારે પણ દિલીપ કુમાર ગુસ્સે થાય છે ત્યારે તે પોતાના ઘરનો સામાન ઉપાડીને ફેંકી દે છે.
દિલીપ કુમાર તેમની ફિલ્મોને કારણે તો ચર્ચામા રહેતા પરંતુ, તેમના અંગત જીવનમા પણ ઘણી એવી બાબતો બની હતી કે જે હેડલાઇન્સ બની હતી. તેણે સાયરાબાનુ સાથેના પ્રેમ વિશે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ સમયે તે તેની ફેન હતી અને દિલીપ કુમાર ઘણી મોટી ઉંમરના હોવા છતા તેણે તેમની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે સાયરાબાનુ એ ફક્ત ૨૨ વર્ષની હતી જ્યારે દિલીપ કુમાર એ ૪૪ વર્ષના હતા.
જ્યારે પણ દિલીપ કુમાર ગુસ્સે થાય છે ત્યારે તે ઘરમાં બે-ચાર વસ્તુઓ ઉપાડીને ફેંકી દે છે એવુ સાયરાબાનુએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ. વિશેષમા તે જણાવે છે કે, તેમનો ગુસ્સો બિલકુલ બાળક જેવો હોય છે. તે ભૂલ કરીને પછી પોતે જ સ્વીકારે છે. તે પઠાણ છે. તેનો ગુસ્સો હમેંશા ચરમસીમા પર રહે છે પરંતુ, તેમછતા હુ તેમને બદલવા માંગતી નથી કારણકે, તેમની પત્ની બની તે પહેલાં હું તેમની ચાહક હતી.
દિલીપ કુમારના સંબંધોની ખબર મધુબાલા સાથે પણ હતી પરંતુ, તેણે તેમની સાથે લગ્ન કર્યા ના હતા.વર્ષ ૧૯૬૬મા તેણે સાયરાબાનુ સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે લગભગ ૨૦ વર્ષનું અંતર છે. લગ્નના વર્ષો પછી પણ બંનેનો પ્રેમ એક જ જેવો છે. દિલીપ કુમાર હાલ લગભગ ૯૮ વર્ષના થઇ ચુક્યા છે. આ બંને કલાકારો મુંબઈના બાંદ્રામાં રહે છે. હાલ, દિલીપ કુમારનુ સ્વાસ્થ્ય કથળતા સાયરાબાનુ તેમની સંપૂર્ણપણે સાર-સંભાળ લે છે. સોશીયલ મીડિયાના માધ્યમથી સાયરાબાનો સમય-સમય પર દિલીપ કુમારના સ્વાસ્થ્યની અપડેટ આપતી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત