મિત્રો, નાણા વિના કોઈપણ ઘર ચલાવવુ અશક્ય છે. જો તમે તમારા ઘરમા રહેલા વ્યક્તિઓનુ યોગ્ય રીતે ભરણપોષણ કરવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે એક આવશ્યક નાણાકીય રકમ અવશ્યપણે અર્જિત કરવી પડે છે નહીતર ઘરનુ ગુજરાન ચાલી શકે નહિ.
પરંતુ, ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, અથાગ પરિશ્રમ કરવા છતાપણ તમને તમારી જરૂરીયાત મુજબના નાણા પ્રાપ્ત થતા નથી ત્યારે લોકો ધાર્મિક ઉપાયો કરે છે અને પોતાની આર્થિક સ્થિતિ મજબુત કરવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આજે આ લેખમા આપણે અમુક આવા જ અસરકારક ઉપાયો વિશે માહિતી મેળવીશું.
ધનની દેવીમાતા લક્ષ્મીને માનવામાં આવે છે. બધા લોકોએ માતાની વિશેષ કૃપા મેળવવા માટે આ ઉપાયો અજમ્વવા પડશે. આજે અહીં અમુક ધાર્મિક અને જ્યોતિષીય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. આ બધા પગલાં ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
ઘરમાં દરરોજ વિષ્ણુ સહાનામ અને શ્રીસુક્તાનો પાઠ લક્ષ્મીપ્રાપ્તિનુ ખૂબ જ સફળ ઉપાય માનવામા આવે છે. માતા લક્ષ્મી પ્રભુ વિષ્ણુના પત્ની છે એટલે તે વિષ્ણુ સહાસ્નામ પઠનથી ખુબ જ ખુશ થાય છે. જે ઘરમા તેમનુ પઠન થાય છે તે ઘરમા દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેવુ માનવામાં આવે છે.
શુક્રવારે લોખંડનું તાળું ખરીદો. આ તાળાને ખોલ્યા વિના તમારા રૂમના ખૂણામાં રાખો. શનિવારે તેને ખોલ્યા વિના મંદિર પર રાખી દો. જ્યારે કોઈ આ તાળાને ખોલશે ત્યારે તે તમારુ નસીબ પણ ખોલશે. આ સિવાય નવ કોડીઓ વોલ્ટમાં રાખો અને તેની સાથે તાંબાનો સિક્કો પણ રાખો.
અમુક એવી માન્યતા છે કે, આમ કરવાથી તમારા ઘરમા ક્યારેય પૈસાનો અભાવ થશે નહિ. આ ઉપરાંત કેળાના વૃક્ષોમાં પાણી અર્પણ કરી અને ત્યારબાદ તેની સામે ઘી નો દીવડો પ્રગટાવવો, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે કોઈપણ પકારની નાણાકીય અછતથી પીડાતા હોવ તો તો રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે એક પાત્રમાં જવ મૂકો.
ત્યારબાદ વહેલી સવારે ઊઠો અને તેને કોઈ પ્રાણીને ખવડાવો અથવા તો જરૂરિયાતમંદ લોકોને દાન કરો. આ સિવાય દર શનિવારે રોટલીમાં ઘી લગાવી ગાયને ખવડાવવાથી તમારી પૈસાને લગતી તમામ સમસ્યાઓનો અંત થશે. આ સિવાય જો લાલ કપડામા એક રૂપિયાનો સિક્કો મૂકી ઘરની વોલ્ટમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં મૂકો તો ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. આ સિવાય જો વોલ્ટમાં લાલ ગુંચાના બીજ મુકવામા આવે તો એકાએક સંપત્તિનો સ્ત્રોત બની જાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,