Site icon News Gujarat

કરિશ્મા અને અભિષેક બચ્ચની સગાઇ તૂટવા પાછળ આ એક કારણ છે જવાબદાર, જે જાણીને તમે પણ કહેશો OMG!

કરિશ્મા કપૂર 90ના દાયકાની સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. એમનો કરિયર ગ્રાફ તો ખૂબ જ સરસ હતો પણ પ્રેમની બાબતમાં એમને ક્યારેય સફળતા ન મળી. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે કરિશ્માના લગ્ન દિલ્લી બેઝડ બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા. એ સંજયની સેકન્ડ વાઈફ હતી. જેનાથી એમને બે બાળકો છે. પણ પછી એમના ડિવોર્સ થઈ ગયા. પણ સંજય સાથે લગ્ન પહેલા કરિશ્માની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી.

image source

જ્યારે અમિતાભ બચ્ચનના 60માં જન્મદિવસના અવસર પર કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈની ઘોષણા થઈ તો ફેન્સ તેમજ ફિલ્મ ફેટરનીતીની ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું. આ સંબંધથી બોલિવુડના બે શક્તિશાળી પરિવાર એક થવાના હતા પણ સગાઈના થોડા મહિના પછી જ જયારે ફેન્સને એ ખબર પડી કે સગાઈ તૂટી ગઈ તો દરેક વ્યક્તિ હેરાન થઈ ગયા. જો કે બન્ને પરિવારમાંથી કોઈએ સગાઈ તૂટવાનું કારણ નહોતું જણાવ્યું.

image source

બહુ ઓછા લોકો જાણે છે કે રાજ કપૂરના નાતી નિખિલ નંદાના લગ્ન શ્વેતા બચ્ચન સાથે થયા છે, આ જ કારણે બન્ને પરિવાર એકબીજાને ઓળખતા હતા. સાંભળવામાં આવ્યું છે કે 1997માં શ્વેતાના લગ્ન દરમિયાન કરિશ્મા અને અભિષેક બચ્ચન એકબીજાની નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા. કરિશ્મા અને અભિષેક એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા અને એમની વચ્ચે પ્રેમ હતો. પણ લોકોને એમના સંબંધ વિશે પાંચ વર્ષ પછી ખબર પડી.જ્યારે બન્નેની સગાઈની ઘોષણા થઈ, પછી અચાનક જ સગાઈ તૂટી પણ ગઈ. આટલો સમય વીતી ગયા પછી પણ મોટાભાગના લોકોને આ સંબંધ તૂટવાનું સાચું કારણ ખબર નથી. હવે બંને પરિવાર આગળ વધી ચુક્યા છે. પણ હજી સુધી એ મિસ્ટ્રી સોલ્વ નથી થઈ કે આખરે એવું શું થયું હતું જેના કારણે અભિષેક અને કરિશ્મા અલગ થઈ ગયા.

image source

એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને કહ્યું હતું કે સંબંધ તૂટવા માટે બન્ને પરિવારમાંથી કોઈપણ જવાબદાર નથી. પણ આ અભિષેકનો નિર્ણય હતો જે એને એની મરજીથી લીધો હતો. પણ આ વાત સાચી નથી. આ કપલ સાથે જોડાયેલા નજીકના સૂત્રો અનુસાર અભિષેક અને કરિશ્માને સંબંધ તૂટવાનું કારણ અન્ય કઈ નહિ પણ કરિશ્માની માતા બબીતા હતી. બબીતાએ પોતાના જીવનમાં સ્ટ્રગલ જોયું હતું ખાસ કરીને પતિ રણધીર કપુરથી અલગ થઈ ગયા બાદ એમને પોતાના દમ પર પોતાની દીકરીઓને મોટી કરી હતી. એ કારણે એમને પૈસાનું મહત્વ ખબર હતી. એ પોતાની દીકરીઓ માટે સુરક્ષિત ભવિષ્ય ઈચ્છતી હતી.

image source

એ દરમિયાન કરિશ્માનું કરિયર ખૂબ ઊંચાઈ પર હતું જ્યારે અભિષેક બચ્ચન કઈ ખાસ નહોતા કરી રહ્યા..એ અમિતાભ બચ્ચનના દીકરા સિવાય કંઈ જ નહોતા. સાથે જ બચ્ચન પરિવારની આર્થિક સ્થિતિ પણ કઈ ખાસ સારી નહોતી. એમનું પ્રોડક્શન હાઉસ ભારે નુકશાન વેઠી રહ્યું હતું અને અમીતાભનો કરિયર ગ્રાફ પણ નીચેની તરફ હતો અને પરિવાર કરજમાં ડૂબેલો હતો. બબીતાને અભિષેકની કાબેલિયત પર ભરોસો નહોતો. એટલે એમને બચ્ચન પરિવાર પાસે કરિશ્માના ભવિષ્યની સિક્યોરિટી માટે અમિતાભની સંપત્તિનો અમુક ભાગ અભિષેકના નામે કરવાની વાત કરી. જેથી એમની દીકરીને ફાઈનન્સીયલ સિક્યોરિટી મળી શકે. પણ આ શરત અમિતાભ બચ્ચનને મંજુર નહોતી અને એટલે સગાઈ તૂટી ગઈ.

image source

સંબંધ તૂટ્યા પછી મીડિયાએ ઘણા અનુમાન લગાવ્યા. કોઈએ કહ્યું કે કરિશ્મા લગ્ન પછી બચ્ચન પરિવારના ઘરમાં શિફ્ટ થવા નહોતી માંગતી. તો કોઈએ કહ્યું કે એમને લગ્ન પછી એક્ટિંગની અનુમતિ નહોતી મળી રહી તો કોઈના કહેવા અનુસાર બન્નેની માતાઓ પોતાના બાળકોની જિંદગીમાં ખૂબ જ ઇન્ટરફીયર કરતી જેના કારણે સગાઈ તૂટી ગઈ. પછી કરિશ્મા અને અભિષેક પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા પણ ઇતિહાસ ગવાહ છે કે બન્નેએ પોતાના પરિવાર માટે પ્રેમનું બલિદાન આપી દીધું. એ ઘટનાના લગભગ 10 વર્ષ પછી અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા. એ બન્નેની એક દીકરી છે અને એ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે. જ્યારે કરિશ્મા પોતાના બાળકો સાથે સિંગલ લાઈફ જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version