Site icon News Gujarat

સેલરી સ્ટ્રક્ચર, નોકરી કરવાનો સમય, તમારું સેવિંગ જેવી 10 મહત્વની બાબતમાં થશે મોટા ફેરફારો, જાણી લો ફાયદાની વાત

દર વખતની જેમ આ વખતે પણ નવા નાણાકીય વર્ષમાં એટલે કે પહેલી એપ્રિલથી ઘણા ફેરફાર થવા જઈ રહ્યાં છે અને એની સીધી અસર તમારા જીવન પર થવાની છે. એમાં ખાસ વાત કરવામાં આવે તો સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આવકવેરાના હાલના દર અને સ્લેબમાં કોઈ જ ફેરફાર કર્યા વિના નવો શ્રમ કાયદો લાગુ થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. તો વળી સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તે ફેરફારોથી હાથમાં આવનારા પગારમાં ઘટાડો પણ થઈ શકે છે, પરંતુ બચત વધશે જેથી અમુક પગારદારોમાં ખુશીનો તો અમુકમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે

image source

જો આ કાયદાઓ વિશે વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર 2019માં સંસદમાં પસાર ‘વેતન સંહિતા અધિનિયમ’ 1 એપ્રિલથી લાગુ કરી શકે છે. તેનાથી કર્મચારીનો મૂળ પગાર (બેઝિક સેલરી) ફરજિયાતપણે તેના સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપનીના 50% થઈ જશે. તો આવો વિગતે વાત કરીએ અને એક એક નિયમને વિગતે સમજીએ…

image source

સૌથી પહેલા વાત કરીએ તો આધાર સાથે લિન્ક પાન જ ચાલશે. જેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક નહીં હોય, તો તે 1 એપ્રિલથી બેકાર થઈ જશે.

એ જ રીતે સાત બેંકની ચેકબુક-આઈએફએસી કોડ વિશે વાત કરીએ તો જો તમારું ખાતું દેના બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ કોમર્સ કે અલ્લાહાબાદ બેંકમાં હશે, તો 1 એપ્રિલથી નવી પાસબુક અને ચેકબુક લેવી પડશે.

image source

ત્રીજો અને મોટો ફેરફાર એવો છે કે અઠવાડિયાના દિવસ ચાર કે પાંચ, કામના કલાક 12 કરી નાખવામાં આવશે. એટલે કે નવા શ્રમ કાયદા લાગુ થશે તો કામના દિવસો એટલે કે વર્કિંગ ડેઝ ઘટાડીને ચાર કે પાંચ કરવાની જોગવાઈ છે, પરંતુ કામના રોજિંદા કલાક 12 થઈ જશે એવી વાત કરવામાં આવી છે.

ચોથા નિયમ વિશે વાત કરીએ તો પીએફ પર વ્યાજથી થતી આવક પર ટેક્સ વિશે છે કે દરેક નાણાકીય વર્ષમાં પીએફમાં રૂ. પાંચ લાખ સુધીના રોકાણ પર વ્યાજથી થતી આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જો કોઈ કર્મચારી પીએફમાં તેનાથી વધુ રોકાણ કરશે, તો તેના વ્યાજ પર થતી આવક પર ટેક્સ લાગશે.

કાર સાથે જોડાયેલ નિયમ કંઈક એવો છે કે તમામ કારમાં બે એરબેગ જોઈશે એટલે કે તમામ કારમાં ડ્રાઈવર અને તેની બાજુની સીટ પર એરબેગ લગાવવી પડશે.

image source

ઈ-ઈનવોઈઝ ફરજિયાત વિશે પણ નિયમ બદલાશે કે બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) વેપારમાં 1 એપ્રિલથી એવા તમામ વેપારીઓ માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત થશે. ખાસ કરીને જેમનું ટર્નઓવર રૂ. 50 કરોડથી વધુ છે.

એલટીસી એન્કેશમેન્ટ વિશે એવું છે કે લીવ ટ્રાવેલ કન્સેશન વાઉચર હેઠળ કર્મચારીઓને મળતી છૂટનો સમય 31 માર્ચ, 2021 સુધી છે. એટલે કે આગલા મહિનાથી તેનો લાભ નહીં લઈ શકાય.

વૃદ્ધોને આઈટીઆર ભરવામાં છૂટ મળી શકે એવી પણ વાત છે. એટલે કે હવે 75 વર્ષથી વધુના પેન્શનધારકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, આ સુવિધા ફક્ત તેમને મળશે, જેમની આવકનો સ્રોત પેન્શન અને તેમાંથી મળતું વ્યાજ છે. રિટર્ન ભરવામાંથી છૂટ ત્યારે જ મળશે, જ્યારે વ્યાજની આવક એ જ બેંકમાંથી મળતી હશે, જેમાં પેન્શન ખાતું છે.

image source

એક નિયમ એવો પણ છે કે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા વ્યક્તિગત કરદાતાને પહેલેથી ભરેલું (પ્રી-ફિલ્ડ) રિટર્ન ફોર્મ અપાશે, જ્યારે રિટર્ન ફાઈલ નહીં કરવા બદલ હવે ડબલ ટેક્સ લાગી શકે છે.

image source

જો છેલ્લા નિયમ વિશે વાત કરીએ તો રિટર્નમાં તમારે બધું કહેવું પડશે, એટલે કે નવા નાણાકીય વર્ષથી શેર ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડની લેવડદેવડ, ડિવિડન્ડ આવક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ કે એનબીએફસી ડિપોઝિટની માહિતી રિટર્નમાં આપવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version