મિત્રો, જો તમે એક સ્વસ્થ અને નીરોગી જીવન ઈચ્છતા હોવ તો તમારે અમુક બાબતો અંગે વિશેષ સાવચેતીઓ રાખવી અત્યંત આવશ્યક છે. જો તમે અમુક વસ્તુઓને તમારા રોજીંદા ક્રમમા ઉમેરી દો તો તમારુ સ્વાસ્થ્ય ક્યારેય પણ કથળતુ નથી. આજે એક આવી જ વિશેષ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનુ નિયમિત સેવન પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને કરશે દૂર. ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ?
આપણે સૌ વરિયાળી વિશે તો ખુબ જ સારી રીતે જાણતા જ હશુ. ભોજન પછી મોટાભાગે લોકો આ વસ્તુનુ સેવન કરે છે. જેથી, તેમના ભોજનનું યોગ્ય રીતે પાચન થઇ જાય. આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને તો દૂર કરે જ છે પરંતુ, તેની સાથે તમારા વધારાના વજનને પણ નિયંત્રણમા રાખે છે.
એક ચમચી વરિયાળીમા ૨ ગ્રામ જેટલુ ફાઇબર સમાવિષ્ટ હોય છે આ કારણોસર જ તેને પાચન માટે સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે અને જમ્યા બાદ તે ખાવામા આવે છે. તો ચાલો આજે આ વસ્તુના સેવનથી આપણા સ્વાસ્થ્યને ક્યા-ક્યા લાભ થાય છે? તેના વિશે માહિતી મેળવીએ.
ઇમ્યુનિટી મજબુત બને :
જો તમે નિયમિત વરિયાળી પાણીમા મિક્સ કરી તેનુ સેવન કરો તો તમારી રોગ પ્રતિકારકશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત વરિયાળીમા વિટામીન-સી પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે સહાયરૂપ બને છે. આ વસ્તુનુ નિયમિત સેવન તમારી ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે.
બોડી ડિટોક્સ કરે :
આ વરિયાળીના પાણીનો ઉપયોગ તમે ડિટોક્સ વોટર તરીકે પણ કરી શકો છો. જો તમે નિયમિત એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમા ઉમેરીને તેને મિક્સ કરીને તેનુ સેવન કરશો તો તે તમારા શરીરના તમામ ઝેરી તત્વોને બહાર કાઢશે અને તમારા બોડીને ડીટોક્સ કરશે.
વજન ઘટાડવામા લાભદાયી :
આ વરિયાળીનુ પાણી પાચનક્રિયા મજબુત બનાવે છે અને તેમા સમાવિષ્ટ ફાઈબર તમારા શરીરને ભરપૂર માત્રામા ઉર્જા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી તમારી ભૂખ પણ નિયંત્રણમા રહે છે અને તમને શારીરિક નબળાઇ પણ નથી અનુભવાતી. આ વસ્તુના નિયમિત સેવનથી તમારુ વજન તો નિયંત્રણમા રહે છે પરંતુ, તેની સાથે જ તમારી પેટ ફૂલવાની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે.
પેટ સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :
વરિયાળીમા પુષ્કળ માત્રામા એન્ટી-ઇમ્ફ્લેમેન્ટરી, વિટામિન-સી, મેગેનિઝ અને એન્ટી-ઓક્સિડન્ટ જેવા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા પેટના વિકારને દૂર કરે છે. તેના નિયમિત સેવનથી તમારુ પાચનતંત્ર સારૂ રહે છે અને તમને ગેસ, અપચો તથા કબજીયાત જેવી સમસ્યાઓમા રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત