પિંપલના નિશાન હટાવવા માટે કારગર છે આ ખાસ ઉપાયો, ચમકી જશે ચહેરો
ખીલ અને તેના નિશાન થઈ જવાના કારણે મહિલાઓના ચહેરાની સુંદરતા ઘટી જાય છે. ખીલ અને તેના નિશાનથી રાહત મેળવવા માટે તમે યોગ્ય સ્કીન કેર રૂટિનને ફોલો કરી શકો છો. એ સારી સ્કીન કેર રૂટિન ફોલો કરીને બ્રેકઆઉટને રોકી શકાય છે. હવે તમને પ્રશ્ન થશે કે ચમકદાર સ્કીન માટે શું કરવું જોઈએ અને સાથે જ ખીલને રોકવા પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગરમીમાં આ સમસ્યા વધી જાય છે. તો જાણો શું કહે છે એક્સપર્ટ્સ.
કેવી રીતે કરશો સ્કીનની દેખરેખ
એક્સપર્ટના અનુસાર સ્કીનની દેખરેખ માટે સૈલિસિલિક એસિડ, રેટિનોલ અને એન્ટીબાયોટિક જેલનો ઉપયોગ કરી શકાય છે. સ્કીનની દેખરેખ માટે તમે તમારા સ્કીન કેર રૂટિનમાં તેને સામેલ કરી શકો છો. તેનાથી ડાઘ, ધબ્બા અને ખીલને ઘટાડી શકાય છે.
સૈલિસિલિક એસિડ
સ્કીનની દેખરેખ માટે એન્ટી એક્ને પ્રોડક્ટનો ઉપયોગ કરો. સૈલિસિલિક એસિડ ઇન્ફ્યૂસ્ડ ફેસ વોશનો ઉપયોગ કરો. તેનાથી પોર્સમાં જમા ગંદગી સાફ થશે. આ સાથે ફેસ પર ચહેરાની સૂજન અને રેડનેસ હશએ તે પમ ઘટશે.
રેટિનોઈડ્સ
જો તમારી સ્કીન વધારે ઓઈલી છે તો તમે રેટિનોઈડ્સનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી તમે એક્નેની સમસ્યાને ઘટાડી શકો છો. રેટિનોઈડ્સ પોર્સને બંધ કરવામાં મદદ કરે છે. તમે રેટિનોઈડ્સ જેલ અને ક્રીમનો ઉપયોગ કરીને ફેસ પર એક્ને અને ખીલને ઘટાડી શકો છો. રેટિનોઈડ્સનો ઉપયોગ કરવાથી ડેડ સેલ્સને ઘટાડી શકાય છે. ડેડ સેલ્સ ખતમ થવાથી બ્રેકઆઉટ રોકાઈ જાય છે. તેનાથી ફેસના ડાઘ અને ધબ્બા પણ ઘટે છે અને સ્કીન પર નવો ગ્લો આવે છે.
લેક્ટિક એકિસડ
સ્કીન કેર માટે લેક્ટિક એસિડ અસરકારક છે. તમે સ્કીન કેર રૂટિનમાં લેક્ટિક એસિડનો ઉપયોગ કરી શકો છો. ચહેરાના ડાઘ અને ધબ્બા હટાવવા માટે લેક્ટિક એસિડ કારગર છે. લેક્ટિક એસિડ પોર્સમાં રહેલા ડેડ સેલને હટાવીને ચહેરાની ગંદગીને સાફ કરવામાં મદદ કરે છે. લેક્ટિક એસિડ ફેસના ડાઘ ધબ્બાને હળવા કરે છે અને સાથે સ્કીનને મુલાયમ બનાવવામાં તમારી મદદ કરે છે.
તો હવે તો તમે જાણી ચૂક્યા છો અનેક અસરકારક ઉપાયો જેને તમે સરળતાથી અપનાવી શકો છો અને સ્કીનને પિંપલ ફ્રી અને એક્ને ફ્રી રાખીને તેની સુંદરતા પણ વધારી શકો છો. તો આજથી જ આ ગરમીમાં ટ્રાય કરી લો આ ખાસ ટિપ્સ અને બની જાઓ બ્યૂટી ક્વીન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત