બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઘણી વખત પોતાની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હાલના દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ ‘થલાઇવી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે કંગનાની આ ફિલ્મ આ શુક્રવારે એટલે કે 10 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલા કંગનાએ હાલમાં સ્વર્ગસ્થ જયલલિતાની સમાધિની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે કંગના સોશિયલ મીડિયા દ્વારા પણ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે, જેના કારણે તેણે પોતાને લઈને એક મોટું પગલું પણ ભર્યું છે.
વાત જાણે એમ છે કે કંગનાએ પોતાની સરનેમ રનૌતને દૂર કરી દીધી છે અને તેની જગ્યાએ થલાઇવી કરી દીધું છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ પર તેનું નામ હવે ‘કંગના થલાઇવી’ થઇ ગયું છે. વાત જાણે એમ છે કે , કંગના રનૌત સ્વ.જયલલિતાના વ્યક્તિત્વ અને જીવનથી એટલી પ્રેરિત હતી કે તેણે પોતાની અટક જ બદલી નાખી.
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં કંગના પ્રમોશન માટે તમિલનાડુ પહોંચી ગઈ છે. એ દરમિયાન, કંગનાએ દાવો કર્યો છે કે ‘થલાઇવી’ એક અડચણનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ત્રણ રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સ ચેને કથિત રીતે ફિલ્મનું સ્ક્રીનીંગ ન કરવાનોદર નિર્ણય કર્યો નથી. કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો, જેમાં મલ્ટિપ્લેક્સ ચેઇન ‘થલાઇવી’ ના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘થલાઈવી’ ને વિજય દ્વારા ડાયરેકટ કરવામાં આવી છે અને ફિલ્મના નિર્માતાઓ વિષ્ણુવર્ધન ઈન્દુરી અને શૈલેષ આર. સિંહ છે. તે હિતેશ ઠક્કર અને તિરુમલ રેડ્ડી દ્વારા કોપ્રોડ્યુસ કરવામાં આવી છે, બ્રિંદા પ્રસાદ ક્રિએટીવ પ્રોડ્યુસર છે. તો, દર્શકો 10 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં ફિલ્મ ‘થલાઇવી’ જોઈ શકશે.
તમને જણાવી દઈએ કે થલાઇવી ફિલ્મમાં કંગના રાણાવત અને અરવિંદ લીડ રોલમાં જોવા મળશે. થલાઈવી ફિલ્મ, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. જયલલિતાના જીવનના વિવિધ પહેલું અંગે પ્રદર્શિત કરે છે, જે ઓછી ઉમરમાં એક અભિનેત્રીના રૂપમાં એમની યાત્રાને તામિલ સિનેમાનો ચહેરો બનવા સાથે ક્રાંતિકારી નેતાના ઉદય અંગે જણાવે છે. આ ઉપરાંત આ ફિલ્મ કોવિડના કારણે લેટ રિલીઝ થઇ રહી છે.