સુશાંત આત્મહત્યા કેસને લઇને કંગનાએ શું આપ્યુ નિવેદન, જાણો તમે પણ

કંગનાનો આરોપ -સુશાંતસિંહે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે

ગત રવિવારના રોજ સુશાંત સિંહની આત્મહત્યાના સમાચારે આખાએ દેશને આઘાતમાં મુકી દીધો છે. માત્ર 34 વર્ષની નાની ઉંમરે સુશાંતે પોતાનું જીવન ટુંકાવ્યું છે. પણ આ બાબતને લઈને લોકોમાં ભારે ચકચાર મચી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો તેનાથી ત્રાસીને તેણે પોતાનું જીવન ટુંકાવ્યું છે.

image source

ગઈ કાલે કંગાના રણૌતે પણ એક વિડિયો શેર કરી હતી જેમાં તેણે બોલીવૂડ પર કેટલાક ગંભીર આરોપ મુક્યા છે. સુશાંત સિંહની આત્મહત્યાને તેણી પ્લાન્ડ મર્ડર એટલે કે એક આયોજન બદ્ધ હત્યા જણાવી રહી છે. તેણી આ વિડિયોમાં જણાવે છે કે સુશાંત સિંહે પોતાના ટ્વીટ્સ દ્વારા કેટલીકવાર જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના લોકો તેને અપનાવતા નહોતા.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

તેણી એ પણ કહે છે કે જે વ્યક્તિ રેન્ક હોલ્ડર છે, તેનું મગજ નબળુ ન હોઈ શકે ? તેણે પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કરતો રહેતો હતો કે તેના કોઈ ગોડ ફાધર નથી અને તેને આ ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી મુકવામાં આવશે. તેણે પોતાના ઇન્ટર્વ્યૂમાં પણ ખેદ વ્યક્ત કર્યો હતો કે તેને આ ઇન્ડસ્ટ્રી કેમ નથી અપનાવી રહી. તેને તેના કામનું ક્યારેય યોગ્ય એપ્રિસિએશન નથી મળ્યું.

કંગનાએ આ વિડિયોમાં ગલીબૉય ફિલ્મને ઉતારી પાડતાં જણાવ્યું કે આ બકવાસ ફિલ્મને અવોર્ડ મળે છે પણ છિછોરે જેવી બેસ્ટ ફિલ્મને એપ્રિશિયેટ નથી કરવમાં આવતી. તેણી પોતાના વિષે પણ જણાવે છે કે તેની હિટ ફિલ્મોને તેઓ ફ્લોપ દર્શાવી રહ્યા છે.

image source

આ ઉપરાંત તેણી ચમચા જર્નાલિસ્ટનો ઉલ્લેખ કરતા પણ જણાવે છે કે તેઓ સુશાંત વિષે ગમે તે લખે છે જેમ કે તે સાઇકીક છે, ન્યૂરોટિક છે એડિક્ટ છે. આવું બધું કેમ તેના મગજમાં ભરવામાં આવે છે. તેણી જણાવે છે કે સુશાંતની ભૂલ એ છે કે તેણે આ બધી વાતો માની લીધી અને તેણે આવું પગલું ભર્યું. માટે જ આ એક પ્લાન્ડ મર્ડર છે.

કંગનાની વાતનો ઘણા બધા લોકોએ સપોર્ટ પણ કર્યો છે અને કેટલાકે તેને તકસાધુ પણ કહી છે. કેટલાકે તેને અવાજ ઉંચો કરવા માટે બીરદાવી છે તો કેટલાકે તેણીને એમ પણ કહ્યું છે કે તેણી હાલ સુશાંતના મૃત્યુ બાદ શા માટે બોલી રહી છે, તે પણ તે જ ઇન્ડસ્ટ્રીની છે તેણે સુશાંત માટે કંઈ કર્યું ? તેણે ક્યારેય સુશાંતના કામના વખાણ કર્યા ? તો વળી કેટલાક લોકો કંગનાની ઇન્ડ્સ્ટ્રી વિરુદ્ધ બોલવાની હિંમતને બિરદાવી રહ્યા છે.

image source

બીજી બાજુ કરણ જોહરે પણ સુશાંત સિંહ રાજપૂતની હત્યાના સમાચાર બાદ એક લાંબી નોટ પોતાના સોશયિલ મિડિયા પર શેર કરી હતી. જેમાં તેણે માફી માગી હતી કે તે સુશાંતના સંપર્કમાં ન રહ્યો તેનું તેને ભારે દુઃખ છે.તેણે લખ્યું છે, ‘હું મારી જાતને જવાબદાર માનું છું કે હું છેલ્લા એક વર્ષથી તારા સંપર્કમાં ન રહ્યો… મને એક સમયે એવું લાગ્યું હતું કે કદાચ તને લોકોની જરૂર છે કે જેમની સાથે તું તારી લાઈફશેર કરી શકે પણ કોઈ કારણસર હું તે લાગણી પર વધારે વિચારી શક્યો નહીં…. હવે પછી આ ભૂલ હું ક્યારેય નહીં કરું.. આપણે એક ખૂબ જ ઉર્જામય અને ઘોંઘાટિયા વાતાવણમાં રહીએ છીએ પણ તેમ છતાં ઘણા અટુલા રહીએ છીએ….આપણામાંના કેટલાકે આ મૌનને તોડવું જોઈશે અને અંદર જવું જોઈશે… આપણે માત્ર સંબંધો જ નથી બનાવવાના પણ તેને સતત ઉછેરવાના પણ છે. સુશાંતના મૃત્ય મારા માટે એક મોટો વેક અપ કોલ છે. મારા સ્તરે હું બનતા પ્રયાસ કરીશ….. હું તારા સુંદર સ્મિતને અને હગને ખૂબ મિસ કરીશ.’

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

આ ઉપરાંત અમિતાભે પણ એક સુંદર લાંબી નોંધ સુશાંતના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા લખી હતી. હાલ સુશાંતના કેસ પર મુંબઈ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સઘન તપાસ કરી રહી છે. સુશાંતના મામાનો પણ એવો આરોપ છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા થઈ છે. સાચી હકીકતો તો યોગ્ય તપાસ બાદ જ જાણવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત