Site icon News Gujarat

કંગનાએ આમિર ખાન પર સાધ્યું નિશાન, ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવતા કહી દીધું કંઇક ‘આવું’

સુશાંત સિંહ રાજપુતના કેસની વાત હોય કે અન્ય કોઈ વિવાદ, સામાન્ય રીતે કંગના રનૌત એ પોતાના વિવાદ સર્જતા નિવેદનોના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. કંગના અનેક વખતે વિવાદસ્પદ વિષયો પર પણ બિંદાસ અને નિર્ભીક પણે પોતાના વિચારો વ્યક્ત કરતી હોય છે. એવા સમયે હાલમાં જ એમણે બોલીવુડના સ્ટાર એવા આમીર ખાન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એમના બાળકોએ માત્ર ઇસ્લામ ધર્મનું જ પાલન કરવું જોઈએ.

તુર્કીમાં ચાલી રહ્યું છે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ

image source

હકીકતમાં હાલમાં જ અમીર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન અર્દોઆન સાથેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શુટિંગ માટે તુર્કી ગયા છે. આવા સમયે એમની મુલાકાત તુર્કીની પ્રથમ મહિલા એમીન સાથે થઇ હતી. આ મુલાકાતની તસ્વીરો એમણે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ મુલાકાત પછી આમીર ખાનને લઈને સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

તુર્કીની પ્રથમ મહિલા સાથેની તસ્વીરને લઈ ચર્ચાઓ

image source

આમીર ખાન હાલમાં જ્યારે તુર્કી પોતાની ફિલ્મની શુટિંગ માટે ગયા છે, એવા સમયે એમની તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીને સાથેની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ તસ્વીરોને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ અને સમર્થન એમ બંને પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ મુલાકાતની તસ્વીરોને લઈને આમીર ખાનને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક લોકોએ તો આમીર ખાનને ટ્રોલ પણ કર્યો હતો. આવા સમયે હવે આ ચર્ચામાં કંગના રનૌતના નિવેદને વધારે ચર્ચાઓ જગાવી છે.

ટીમે આમિર ખાનનો એક જૂનો ઈન્ટરવ્યૂ શેર કર્યો

image source

આમીર ખાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે એમાં હવે કંગના રનૌતની ટીમે પણ ટ્વિટર પર આમિર ખાનનો એક જુના સમયના ઈન્ટરવ્યુંનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં આમીર પોતાની અંગત જીવવની વાત કરતી વખતે જણાવી રહ્યા છે કે એમના બાળકો હિંદુ હોવા છતાં તેઓ ઇસ્લામનું જ પાલન કરશે. જો કે કંગના રનૌતની ટીમે આમિરના આ ઈન્ટરવ્યુંની લીંક શેર કરીને આમીરની ધર્મનિરપેક્ષતા પર પ્રશ્નો સવાલ ઉઠાવ્યા છે.

લગ્ન જીન્સ અને સંસ્કૃતિ નહી, ધર્મને પણ જોડે છે

વધુમાં કંગનાની ટીમે આ સાથે લખ્યું હતું કે, “હિંદુ + મુસ્લિમ = મુસ્લિમ. આ તો કટ્ટરપંથી છે, કારણ કે લગ્ન એ માત્ર જીન્સ અને સસ્કૃતિને જ ભેગા કરતા નથી પણ ધર્મને પણ જોડે છે. એમણે વધુમાં એમ પણ કહ્યું કે બાળકોને અલ્લાહની ઈબાદત પણ શીખવાડો અને શ્રીકૃષ્ણની ભક્તિ પણ. શું આ જ સેકયુલરિઝમ છે?

તમે તો સૌથી વધુ ટોલરન્ટ વ્યક્તિ હતા

આપને જણાવી દઈએ કે કંગનાની ટીમે આ બાબતે વધુમાં કહ્યું હતું કે, ‘તમે તો સૌથી વધુ ટોલરન્ટ વ્યક્તિ હતા, તમે ક્યારથી હિન્દુઈઝમ માટે ઈન્ટોલરન્ટ થઈ ગયા. એમણે એમ પણ કહ્યું હતું કે હિંદુ માતાઓની સંતાનોની રગોમાં તો ભગવાન શ્રીકૃષ્ણ તેમજ ભગવાન શ્રીરામનું લોહી વહે છે. સનાતન ધર્મ, ભારતીય સભ્યતા, અહીંની સંસ્કૃતિ જેનો વારસો છે, એ માત્ર ઈસ્લામને જ ફોલો કરે છે, એવું કેમ?

હવે તેઓ જયલલિતાની બયોપીકમાં જોવા મળશે

image source

હાલમાં જો કંગના રનૌતના કામની વાત કરીએ તો એમની છેલ્લી ફિલ્મ પંગા હતી. જો કે પંગા ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ખાસ કોઈ કમાલ દેખાડી શકી નથી. આ પછી હવે તે તમિલનાડુના દિવંગત મુખ્યમત્રી એવા જયલલિતાની બયોપીકમાં જોવા મળવાની વાતો ચર્ચાઈ રહી છે. આ ફિલ્મનું નામ થલાઈવી છે, એવું સામે આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version