કરીનાએ આપી કોરોનાને મ્હાત, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી બીએમસીનો માન્યો આભાર

તાજેતરમાં જ અમૃતા અરોરા અને કપૂર ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેને ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. જે બાદ સાવચેતીના ભાગરૂપે કરીના કપૂરનો ઓમિક્રોન જીનોમ-સિક્વન્સ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ સામે આવ્યો છે અને કરીનાના ફેન્સ માટે રાહતના સમાચાર છે. BMC અનુસાર, કરીના કપૂરનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

image soucre

કરીના કપૂર ખાને તેના નેગેટિવ રિપોર્ટના સમાચાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કર્યા હતા. કરીનાએ લખ્યું, ‘મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપવા બદલ મારી પ્રિય બહેનનો આભાર. મારી સૌથી પ્રિય મિત્ર અમૃતા આપણે જીતી ગયા. પૂનમ નૈના સહિત મારા તમામ મિત્રો અને ચાહકોનો આભાર કે જેમણે અમને તેમની શુભકામનાઓ મોકલી અને અમારા સાજા થવા માટે પ્રાર્થના કરી

image soucre

કરીના કપૂર ખાને BMC તરફથી મળી રહેલા સતત સ્પોર્ટ માટે એમનો આભાર માન્યો હતો. કરીનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, ‘બધું સારી રીતે સમજવા અને અમને સપોર્ટ કરવા બદલ BMC તમારો આભાર. SRL ના ડૉ અવિનાશ ફડકે બેસ્ટ છે. અંતમાં હું મારા પ્રિય પતિનો આભાર માનું છું કે જેમણે આ સમય દરમિયાન તેમની ધીરજ જાળવી રાખી અને હોટેલમાં તેમના પરિવારથી દૂર રહ્યા. દરેકને ખૂબ જ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ, બધા સુરક્ષિત રહો. હવે હું જાઉં છું મારે મારા બાળકોને પહેલાની જેમ પ્રેમ કરવો છે

image soucre

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કરીના કપૂર અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કરીનાને ઘરે આઈસોલેટ કરવામાં આવી હતી. બાદમાં કરીનાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના કોવિડ પોઝિટિવ હોવાની વાત કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કરણ જોહરના ઘરે આયોજિત સેલિબ્રેશનમાં કરીના અને અમૃતા અરોરાએ પણ હાજરી આપી હતી, તેથી વધુ લોકો કોવિડથી સંક્રમિત થવાની સંભાવનાને કારણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. એ પછી માહિપ કપૂર, સીમા ખાન અને એટલે સુધી કે થોડા સમય પછી કરિનાની મેડનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

image soucre

કરિના અને અન્ય લોકો કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપ્યાની વાત સામે આવ્યા બાદ, BMC દ્વારા કરણ જોહરના આખા ઘરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને કરણ જોહરની સાથે તેના સમગ્ર પરિવારનો પણ કોવિડ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, કરણ જોહર અને તેના પરિવારના દરેકના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ પછી કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેણે કરણ જોહરના ઘરની પાર્ટી પછી કરીના અને અન્યનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલો માટે નારાજગી વ્યક્ત કરી હતી. કરણ જોહરે કહ્યું હતું કે ફક્ત આઠ લોકો એક જગ્યાએ ભેગા થાય તો પાર્ટી નથી થતી. અમારે ત્યાં કોવિડ નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવે છે

image socure

હાલમાં જ તૈમૂરનો પાંચમો જન્મદિવસ હતો, પરંતુ કોવિડને કારણે કરીના પણ તૈમૂરના બર્થડેમાં હાજર રહી શકી ન હતી. તૈમૂરના બર્થડે પર કરીનાએ એક પોસ્ટ કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પુત્રનો એક ત્યારનો વીડિયો શેર કર્યો હતો જ્યારે તૈમુરે પોતાનું પહેલું પગલું ભર્યું હતું.. કરીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે ઠીક છે અને દરેકને ખૂબ મિસ કરી રહી છે.