કરીના કપૂરની નજરોમાં બિગ બી બની ગયા હતા ખરાબ, પછી બિગ બીએ કર્યું કંઈક એવું કે…

શું તમે જાણો છો કે એક સમયે કરીના કપૂર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને શહેનશાહ અમિતાભ બચ્ચનને ખરાબ વ્યક્તિ માનતી હતી. તેમને લાગતું હતું કે અમિતાભ બચ્ચન દુષ્ટ છે. તમને પણ સાંભળીને નવાઈ લાગશે કે કરીના કપૂરે પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન વિશે આવું કેમ વિચાર્યું હતું? ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

image soucre

આ એ સમયની વાત છે જ્યારે કરીના કપૂર ઘણી નાની હતી. કરીના કપૂરે 80ના દાયકાની શરૂઆતમાં અમિતાભ બચ્ચનને તેના પિતા રણધીર કપૂરને મારતા જોયા હતા. વાત જાણે એમ હતી કે અમિતાભ બચ્ચને રણધીર કપૂરને રિયલમાં નહીં પરંતુ ફિલ્મના એક સીનમાં માર માર્યો હતો, જેને કરીના કપૂરે પોતાની સામે ક જોયો હતો. આવી સ્થિતિમાં, કરીના કપૂર તેના પિતાને મારનાર વ્યક્તિને દુષ્ટ ગણે તે ખૂબ જ સ્વાભાવિક છે.

image soucre

અમિતાભ બચ્ચન અને રણધીર કપૂર વર્ષ 1983ની હિટ ફિલ્મ પુકાર માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે કરીના કપૂર ઘણી નાની હતી. એવામાં તેને ખબર નહોતી પડી રહી કે તેના પિતા રણધીર કપૂર અને અમિતાભ બચ્ચન ફિલ્મના સીન માટે અભિનય કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચને આ વાતને કરીના કપૂરના મનમાંથી બહાર કાઢવા માટે એમના પગ ધોવાનો નિર્ણય કર્યો.

image socure

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ ઘટનાને યાદ કરી છે. તેણે લખ્યું કે અમે ગોવામાં ફિલ્મ પુકારનું શૂટિંગ કરી રહ્યા હતા. કરીના કપૂર પણ ત્યાં હાજર હતી જેણે પિંક ફૂલો વાળી કેપ પહેરી હતી. એક્શન સીનના શૂટિંગ દરમિયાન જ્યારે હું તેના પિતાને મારતો હતો, ત્યારે કરીના ખૂબ જ પરેશાન દેખાતી હતી. અમિતાભ બચ્ચને લખ્યું છે કે કરીના તેના પિતાને મારથી બચાવવા તેના પિતાને વળગી પડી હતી

image soucre

અમિતાભ બચ્ચને લખ્યું કે કરીના કપૂરની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા અને તે પરેશાન હતી. તેણે કહ્યું કે કરીના કપૂરે તેના પિતાને બચાવવા માટે તેના નાના પગ રેતીમાં દાટી દીધા હતા, તેને સાફ કરવા માટે મેં પાણી માંગ્યું અને તેના પગ ધોયા, જેથી તે વિચારે કે હું ખરાબ વ્યક્તિ નથી. અમિતાભે લખ્યું કે ‘મને લાગે છે કે મેં એના પગ ધોયા એ પછી મારા વિશે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો હતો.