VIDEO: જમ્મુ કાશ્મીરમાં ડોક્ટરો પુરપાટ નદી પાર કરીને લોકોને ઘરે-ઘરે આપવા જઈ રહ્યા છે કોરોના રસી
આ દિવસોમાં વિશ્વભરમાં કોવિડ 19 રસીકરણનો યુગ ચાલી રહ્યો છે. લોકો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવીને કોરોના વાયરસના ચેપથી પોતાને બચાવવા માગે છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં પૈસા આપીને પણ રસી મેળવવાની સાથે સાથે સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં પણ નિશુલ્ક રસી લગાવવામાં આવી રહી છે. તે જ સમયે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ઘરે ઘરે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે સ્વાસ્થ્ય કર્મચારીઓની ચોક્કસથી પ્રશંસા કરશો.
એએનઆઈએ જમ્મુ-કાશ્મીરનો એક વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ત્રલ્લા ગામનો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ છે, જે લોકો વહેતી નદીને પાર કરીને લોકોને રસી અપાવવા જઇ રહ્યા છે. પૂરની વચ્ચે તેણે માનવતા માટે મોટું જોખમ ઉઠાવ્યું છે.
#Watch J&K | Health workers cross a river to carry out door-to-door COVID19 vaccination in Rajouri district’s Tralla village
(Video Source: Dr Iram Yasmin, In-charge, Tralla Health Centre) pic.twitter.com/884C36ZBhA
— ANI (@ANI) July 10, 2021
આ વાયરલ વીડિયોમાં બે લોકો નજરે પડે છે, જે એક બીજાના હાથ પકડીને નદી પાર કરી રહ્યા છે. આ વીડિયો જોઈ તમારા રૂંવાડા ઉભા થઈ જશે. આ વીડિયોનો સ્ત્રોત ત્રલ્લા આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.ઇરામ ઇસ્મિનને કહેવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી સમજી શકાય છે કે આરોગ્ય કર્મચારીઓ લોકો મોતને ધ્યાનમાં લીધા વગર મદદ કરવા આગળ આવી રહ્યા છે.
23 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધી 21 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. વાયરલ થયેલા વીડિયોને જોઈને દરેક આરોગ્ય કર્મચારીઓની ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો કહે છે કે આરોગ્ય કર્મચારીઓએ પણ પોતાની સંભાળ લેવી જોઈએ. હાલમાં જ ૧ જુલાઈએ ભારતે ‘ડૉક્ટર્સ ડે’ ઉજવ્યો.
#Watch J&K | Health workers cross a river to carry out door-to-door COVID19 vaccination in Rajouri district’s Tralla village
(Video Source: Dr Iram Yasmin, In-charge, Tralla Health Centre) pic.twitter.com/884C36ZBhA
— ANI (@ANI) July 10, 2021
આ દિવસ ભારતરત્ન ડો. બી.સી. રોયના માનમાં ઉજવાય છે, જેમનો એ જન્મદિવસ છે. ડો. રોય મહાત્મા ગાંધી અને પંડિત નેહરુના તબીબ હતા. બ્રિટિશ મેડિકલ જર્નલે નોંધ્યું છે કેવિશ્વના કોઈ ડોક્ટર પાસે તેમના જેટલા દર્દી નહોતા. જે ગામમાં કે રેલવે સ્ટેશને તેઓ જવાના હોય ત્યાં સેંકડો દર્દીઓનું ધાડું જમા થઈ જતું. ૧૯૪૮થી ૧૯૬૨- અવસાન પર્યંત – તેઓ પ.બંગાળના મુખ્ય પ્રધાન પણ હતા.
આ સાથે જ ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. બીજી વેવમાં રાજ્યમાં સતત બીજીવાર 50થી ઓછા કેસ નોઁધાયા છે. 20 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!