Site icon News Gujarat

ક્યારેે નહિં ખૂટે ધન, જો રાત્રિના સમયે કરશો આ કામ તો…

રાત્રીના સમયે ચૂપચાપ કરો આ નાનકડું કામ, ઘરમાં ક્યારેય નહીં આવે ગરીબી.

image source

તમને પૂછવામાં આવે કે શુ તમારે ગરીબ બનવું છે તો નક્કી તમારો જવાબ ના જ હશે. કોઈપણ વ્યક્તિ ક્યારેય ગરીબ બનવા નહિ જ ઈચ્છે. જે ધનિક છે એ પણ હંમેશા વધારે પૈસા કમાવવા વિશે જ વિચારતા હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ ગરીબ એકાએક જ પૈસાવાળો થઈ જાય છે તો વળી ક્યારેક કોઈ પૈસાવાળો વ્યક્તિ પણ અચાનક જ ગરીબીમાં સપડાય જાય છે.આ બધો જ ખેલ તમારા ઘરની પોઝિટિવ અને નેગેટિવ ઉર્જાનો હોય છે. જે ઘરમાં વધારે પ્રમાણમાં નેગેટિવિટી હોય ત્યાં પૈસો ક્યારેય વધારે સમય સુધી ટકતો નથી. આવા ઘરોમાં કઈક ને કઈક નુકશાન થયા કરે છે. આવા ઘરના સભ્યોના નસીબ પણ પાછા પડતા જણાય છે અને એ લોકો જે પણ કામ કરે એ કામ બગડતું જ નજરે પડે છે.

image source

આવા સમયે ઘરની અંદર પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી થઈ પડે છે. આનું એક કારણ એ પણ છે કે જે ઘરમાં પોઝિટિવ ઉર્જા વધુ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આવવાનું પસંદ કરે છે.

અને જ્યાં એકવાર દેવી લક્ષ્મી પ્રવેશ કરી લે છે ત્યાં ક્યારેય ધનની કોઈ જ કમી થતી નથી. આવા ઘરમાં જે પણ શુભ કાર્યની શુરુઆત કરવામાં આવે છે એમાં લાભ થવા લાગે છે અને સાથે સાથે ઘરમાં બરકત પણ રહે છે.હવે બધાના મન માં એ સવાલ ઉઠતો હશે કે એવું તો શું કરીએ જેના કારણે ઘરમાં પોઝિટિવ ઉર્જા હમેશા જળવાઈ રહે. તમને જણાવી દઈએ કે ઘરમાં પોઝિટિવ એનર્જી જાળવી રાખવાના ઘણા બધા ઉપાય છે અને આમ વાસ્તુનો પણ સમાવેશ થાય છે.

image source

આમ તો ઘરની અંદર રહેલી લગભગ બધી જ વસ્તુઓને વાસ્તુ પ્રમાણે મૂકીને ઘરમાં પોઝિટિવ ઉર્જા જાળવી શકાય છે. પણ ઘરનું રસોડું એક એવી જગ્યા છે જેમાંથી સૌથી વધારે પોઝિટિવ એનર્જી બહાર આવે છે.અને આનું કારણ એ છે કે રસોડામાં આપણી બધી અન્ન સામગ્રી મુકેલી હોય છે.અને આ જ અન્નને રસોડામાં બનાવવામાં આવે છે અને બધા સદસ્યો આ જ અન્ન ખાય છે. આ રીતે રસોડાનો સંબંધ ઘરના દરેક સભ્ય સાથે હોય છે. એટલા માટે એ તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં મોટો ભાગ ભજવે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક બહુ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છે. અને આ ઉપાયના ભાગ રૂપે તમારે તમારા રસોડામાં રોજ રાત્રે સૂતા પહેલા એક ખાસ વસ્તુ મુકવાની છે. આ ખાસ વસ્તુમાંથી તમારા રસોડામાં રાત્રીના સમયે ઘણા મોટા પ્રમાણમાં પોઝિટિવ એનર્જી નીકળે છે અને આખા ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવી દે છે.

image source

ઘરમાંથી ગરીબીને દૂર ભગાડવા માટે તમારે રોજ રાત્રે સૂતા પહેલા રસોડામાં ગલગોટાના ફૂલ મુકવા જોઈએ. આ ફૂલ તમારે બજારમાંથી લાવીને સીધા જ નથી મૂકી દેવાના. પણ પહેલા આ ફૂલોને સવારે ભગવાનના મંદિરમાં ચઢાવો અને પછી જ્યારે રાત પડે ત્યારે સુતા પહેલા આ ફૂલોને લાલ કપડામાં બાંધીને રસોડાની ઉત્તર કે પૂર્વ દિશામાં લટકાવી દો, આમ કરવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે. આ પ્રકારે આ પ્રયોગ ઘરની આર્થિક સ્થિતિને હંમેશા સધ્ધર રાખે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version