લખીમપુર ખીરીમાં કેવી રીતે થયા 8ના મોત, પોસ્ટમોર્ટમમાં થયો મોટો ખુલાસો

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં માર્યા ગયેલા 8 લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યા છે. આ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે કેટલાક આઘાતને કારણે મૃત્યુ પામ્યા છે અને કેટલાક હેમરેજને કારણે મૃત્યુ પામ્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવા વિશે કંઈ નથી કહેવાયું. આ હિંસામાં માર્યા ગયેલા લોકોનું પોસ્ટમોર્ટમ સોમવારે કરવામાં આવ્યું હતું.

image socure

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ શું આવ્યું?

1. લવપ્રીત સિંહ (ખેડૂત)
– ટક્કરથી મૃત્યુ. શરીર પર ઈજાઓ મળી આવી હતી. આઘાત અને હેમરેજ મૃત્યુનું કારણ.

2. ગુરવિંદર સિંહ (ખેડૂત)

– બે ઉઝરડા અને ઢસડવાના નિશાન મળ્યા. ધાકદાર અથવા તીક્ષ્ણ પદાર્થને કારણે ઇજા. આઘાત અને હેમરેજ.

3. દલજીત સિંહ (ખેડૂત)

– શરીર પર ઘણી જગ્યાએ ઢસડવાના નિશાન. આ જ મૃત્યુનું કારણ બન્યું.

4. છત્ર સિંહ (ખેડૂત)

– મૃત્યુ પહેલા આઘાત, હેમરેજ અને કોમા. ઢસડવાના નિશાન પણ મળી આવ્યા હતા.

5. શુભમ મિશ્રા (ભાજપ નેતા)

– લાકડીઓથી માર મારવો. શરીર પર એક ડઝનથી વધુ જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા હતા.

6. હરિ ઓમ મિશ્રા (અજય મિશ્રાનો ડ્રાઈવર)

– લાકડીઓથી માર મારવો. શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન છે. મૃત્યુ પહેલા આઘાત અને હેમરેજ.

7. શ્યામ સુંદર (ભાજપ કાર્યકર)

– લાકડીઓથી માર મારવો. ટક્કરથી એક ડઝનથી વધુ ઈજાઓ થઈ હતી.

8. રમણ કશ્યપ (સ્થાનિક પત્રકાર)

– શરીર પર મારના ગંભીર નિશાન. આઘાત અને હેમરેજને કારણે મૃત્યુ.

મૃતકોના પરિવારને 45 લાખનું વળતર

image soucre

વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચે સોમવારે સમાધાન થયુ હતુ. હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ હિંસામાં ઘાયલ થયેલા લોકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સિવાય હાઇકોર્ટના નિવૃત્ત જજ આ સમગ્ર મામલાની તપાસ કરશે.

લખીમપુરમાં શું થયું હતું?

image soucre

રવિવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય નિર્ધારિત કાર્યક્રમ મુજબ લખીમપુર ખીરીના પ્રવાસે હતા. કાર તેમને રિસીવ કરવા જઈ રહી હતી. આ વાહનો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના હોવાનું કહેવાય છે. રસ્તામાં ખેડૂતોએ ટીકુનિયા વિસ્તારમાં વિરોધ શરૂ કર્યો. જેના કારણે અથડામણ થઈ હતી. બાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશિષ મિશ્રાએ ખેડૂતો પર ગાડી ચઢાવી દીધા, જેમાં 4 લોકો માર્યા ગયા હતા. ખેડૂતોના મોત બાદ મામલો વધ્યો અને હિંસા ફાટી નીકળી. હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા હતા