લક્ષણો હોવા છતાં કેમ RT-PCR ટેસ્ટનું પરિણામ આવે છે નેગેટિવ, જાણો આ ટેસ્ટને લઇને તમામ માહિતી એક ક્લિકે
કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે સમગ્ર ભારતમાં હોબાળો મચી ગયો છે. આ નવા ડબલ મ્યુટન્ટ વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને થોભવાનું નામ નથી લઈ રહ્યા. આ ઉપરાંત ઘણી વખત કોવિડ -19 ની તપાસ દરમિયાન, દર્દીને ચેપ લાગ્યો છે કે નહીં તે સ્પષ્ટ થતુ નથી. આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન) ટેસ્ટને કોરોના સ્ક્રિનીંગ માટે ઉચ્ચ-સ્તરનો ટેસ્ટ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે જે આરટી-પીસીઆર ટેસ્ટ પર આપણે નિર્ભર છીએ તેની ચોકસાઈ માત્ર 70 ટકા જ છે. એટલે કે, તે જરૂરી નથી કે પરિણામ હંમેશાં યોગ્ય જ આવે.
છેલ્લા એક વર્ષમાં તે ઘણી વખત જોવા મળ્યું છે કે કોરોનાનાં લક્ષણો હોવા છતાં, ટેસ્ટમાં વ્યક્તિ નેગેટિવ હોવાનું જણાયું છે. આ વર્ષે એવા કિસ્સા પણ નોંધાયા છે જેમાં મોટા ભાગના દર્દીઓ 72 કલાકમાં બેથી ત્રણ વખત પોઝિટિવ અને નેગેટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નિષ્ણાંત પણ એક જ દર્દીને પોઝિટિવ અને નેગેટિવ અહેવાલો આવવાથી ઝડપથી મ્યૂટેશનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આરટી-પીસીઆર ટેસ્ટ પણ દર વખતે વાયરસના જનીનને પકડી શકતું નથી.
શા માટે ક્યારેક આરટી-સીપીઆરના આવે છે ખોટા રિપોર્ટ?
ઉજાલા સાઈન્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડિરેક્ટર અને સ્થાપક ડો. શુચિન બજાજે કહ્યું હતું કે, આરટી પીસીઆરની સંવેદનશીલતા અને ચોકસાઈ 100% નથી. તેથી જો તે યોગ્ય રીતે કરવામાં ન આવે તો તમને ખોટી નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ મળે છે. કેટલીકવાર તે ઓપરેટર આધારિત સમસ્યા હોય છે કારણ કે સેમ્પલને યોગ્ય રીતે એકત્રિત કરવામાં આવતું નથી કારણ કે સેમ્પલને નાસોફરિંક્સ અને ઓરોફરિંક્સમાંથી એકત્રિત કરવામાં આવે છે અથવા નેજલ સ્વેબ નાકમાં નહીં પરંતુ નાકની પાછળ મૂકવામાં આવે છે.
ક્યારેક તપાસ નાકની પાછળ નથી થઈ શકતી, અને સેમ્પલ નાકથી જ લઈ લેવામાં આવે છે, જેને પરિણામ સ્વરૂપ ટેસ્ટ કરવામાં આવે છે, જે ખોટુ રિઝલ્ટ બતાવે છે. આ જ કારણે આપણને ટેસ્ટમાં વાયરસ મળતો નથી, પરંતુ જો આપણે તેને યોગ્ય રીતે કરીશું, તો આપણે એક દિવસ પછી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે.
જો લક્ષણો હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવે તો શું કરવું
નિષ્ણાતો ચેતવણી આપે છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી પણ, કેટલાક લોકોના પરીક્ષણ પરિણામો નેગેટિવ આવે છે, તેથી જે લોકોમાં આ રોગના લક્ષણો જોવા મળે છે, તેઓએ ચેપની પુષ્ટિની રાહ જોયા વિના સારવાર કરવી જોઈએ. જેથી ચેપ ગંભીર સ્વરૂપ ન લે.
ડોકટરો કહે છે કે એવા ઘણા કિસ્સા છે કે જેમાં દર્દીઓમાં કોવિડ -19 ના લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ તેમના પરીક્ષણ અહેવાલો સમયે નેગેટિવ પણ આવ્યા છે. વારંવાર તપાસ પછી ચેપની પુષ્ટિ મળી રહી છે. આરટી-પીસીઆર પરીક્ષણની ચોકસાઈ માત્ર 70 ટકા છે અને રેપિડ એન્ટિજેન ટેસ્ટની સંવેદનશીલતા પણ માત્ર 40 ટકા છે.
સાવધાની એ શ્રેષ્ઠ ઉપાય
કોવિડ-19ની બીજી લહેર ગત વર્ષ કરતા વધુ ચેપી અને જીવલેણ સાબિત થઈ રહી છે. ગયા વર્ષે, જ્યારે કોરોનાએ મોટાભાગના વૃદ્ધોને ભોગ બનાવ્યા હતા, આ વર્ષે બાળકો અને સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. કોરોના રસી ઉપલબ્ધ થઈ ગઈ છે, પરંતુ તે આપણને કોરોના ચેપથી સુરક્ષિત નહીં કરે, ફક્ત તે આ વાયરસનું જોખમ ઘટાડશે. તેથી, સાવચેતી રાખવી સમજદારી છે. માસ્ક પહેરો, લોકોથી શારીરિક અંતર જાળવો, દિવસમાં ઘણી વખત હાથ ધોવા અને શક્ય તેટલું ઘરે રહો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!