મહેસાણાના આ પરિવાર જેવી ટેકનિક અપનાવો તો ઘરમાં RO પ્લાન્ટની જરુર નથી

મહેસાણાનો શિક્ષક પરિવાર છેલ્લા 18 વર્ષથી ઘરની ટાંકીમાં સંગ્રહેલું વરસાદી પાણી જ પીવે છે!

ગુજરાતમાં નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યનાં 17843 ગામો પૈકી નર્મદા યોજનાથી જોડાયેલાં ગામોની સંખ્યા વધીને 9360 થઇ છે, એટલે કે 50 ટકા ગામોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે, જ્યારે આજે પણ રાજ્યનાં 797 ગામો કૂવાના પાણી પી રહ્યા છે.

હેન્ડપમ્પથી પાણી પીતાં ગામોની સંખ્યા 394

રાજ્યના પાણીપુરવઠા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતાં ગામોની સંખ્યા 394 છે, નર્મદા સિવાયના જળસ્ત્રોતની જૂથ યોજના હેઠળ રાજ્યમાં 4039 ગામડાંને પાણી મળે છે. મિની પાઇપલાઇન યોજના મારફત કુલ 562 ગામડાં પાણી મેળવી રહ્યાં છે.

image source

ગરમીની ઋતુ આવતાની સાથે જ માણસની પ્રથમ જરૂરિયાત એટલે પાણી. પાણી મનુષ્ય જીવન માટે સૌથી વધું કિંમતી વસ્તુ છે. એટલે જ તો સૂત્ર આપવામાં આવ્યું છે ‘જળ એજ જીવન’ હાલના તબકે પાણીને બચાવવું ખૂબ જરૂરી છે. જેથી લોકો આજ કાલ પાણીને બચાવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. જ્યારે ઘણા લોકો ઓછા પાણીમાં ઘણું કરી લેતા હોય છે.

ચોમાસામાં 5 હજાર લિટર પાણી ટાંકીમાં ઉતારી આખું વર્ષ ઉપયોગ કરે છે. મહેસાણાના ધોબીઘાટ રોડ સ્થિત જયવિજય સોસાયટીમાં રહેતા કર્વે હાઇસ્કૂલના શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીનો પરિવાર છેલ્લા 18 વર્ષથી પીવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરી રહ્યો છે. આ માટે તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 2002માં ઘર બનાવ્યું ત્યારે 4000 લિટર અને 1000 લિટરની એમ બે ટાંકી બનાવી હતી.

જેમાં ચોમાસામાં મઘા નક્ષત્રનું વરસાદી પાણી ભરી આખું વર્ષ પીવા માટે વાપરે છે. જેને લઇ છેલ્લા 18 વર્ષમાં શિક્ષક અને તેમનાં પત્ની કોઇને પાણીજન્ય તકલીફ કે સાંધાનો દુ:ખાવો પણ થયો નથી. તેઓ કહે છે, ઘરમાં આરઓ પ્લાન્ટની જરૂર જ પડી નથી, વરસાદી પાણી પીવામાં ઉત્તમ રહે છે.

image source

શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીએ કહ્યું કે, ઘરમાં ભોંયતળિયે 4000 લિટરની અને છત ઉપર 1000 લિટરની ટાંકી છે. ચોમાસામાં મઘા નક્ષત્ર પહેલાં બંને ટાંકી સાફ કર્યા પછી વરસાદી પાણીથી છલોછલ ભરીએ છીએ. છતની પાઇપથી સીધુ વરસાદી પાણી ટાંકીમાં ઉતરે છે. ટાંકી સિવાય વરસાદી પાણી સંગ્રહ માટે કોઇ ખર્ચ નથી.

કુદરતી પાણી પીવાના ઉપયોગમાં સારું રહેતું હોવાનો 18 વર્ષનો અનુભવ છે. હાલ 55 વર્ષની વયે પણ કોઇ સાંધાનો દુ:ખાવો શરીરમાં નથી. હાલ બે સંતાનો અભ્યાસ અર્થે બહાર છે, અમે બંને આખુ વર્ષ વરસાદી પાણી જ પીએ છીએ. ઘર વપરાશ માટે 3500 લિટરની અલગથી ટાંકી છે. રોજ 10 લિટર પાણી પીવામાં આખુ વર્ષ ચાલી રહે છે.

વરસાદી પાણીમાં પોરા પડતા નથી

શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીથી બે સીધા ફાયદા છે. એક તો વેડફાતા પાણીનો સદુપયોગ થાય છે અને તેની કોઇ આડઅસર નથી. તેમાં પોરા પણ પડતા નથી. વરસાદી પાણીના ટીડીએસ તપાસતાં નોર્મલ 80 થી 100 રહે છે. આ પાણી પીવામાં ખૂબ ઉત્તમ છે. ઘરની ઓસરીમાં જગ્યા હોય તો ટાંકી બનાવી વરસાદી પાણી સંચય કરી તેનો ઉપયોગ કરવો જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!