મહિમા ચૌધરીએ જણાવ્યું કે પહેલા ફક્ત વર્જિન એક્ટ્રેસ જ ઈચ્છતા હતા મેકર્સ, આમિર ખાન અને ગોવિંદાને લઈને પણ કર્યો મોટો ખુલાસો

છેલ્લા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી લોકપ્રિય અભિનેત્રી મહિમા ચૌધરીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી વિશે એક એવી મોટી વાત કહી છે, જેને જાણીને બધા ચોંકી ગયા છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં પહેલા અને આજે ઘણું બદલાઈ ગયું છે. અગાઉની અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણું સમાધાન કરવું પડતું હતું અને અભિનેત્રીઓ માટે વર્જિન હોવું કેટલું જરૂરી હતું.

image socure

મહિમા ચૌધરીએ ભલે ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પહેલા દિવસોમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી વિશેના ઘણા ખુલાસા કર્યા હતા. મહિમા ચૌધરીએ જણાવ્યું કે પહેલાના સમયમાં મેકર્સ ઈચ્છતા હતા કે અભિનેત્રી વર્જિન જ હોય, પરંતુ હવે ઈન્ડસ્ટ્રીમાં ઘણું બદલાઈ ગયું છે. મહિમા ચૌધરીએ પણ મહિલા અભિનેત્રીઓને લઈને આજના સમયમાં થઈ રહેલા બદલાવ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

image soucre

મહિમા ચૌધરીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે પહેલાના સમયમાં અભિનેત્રીઓને લઈને ઘણી અસમાનતાઓ હતી, જ્યારે હવે એવું નથી. બદલાતા સમયમાં ઈન્ડસ્ટ્રી એ સ્તર પર જઈ રહી છે જ્યાં મહિલા અભિનેત્રીઓને પણ ઘણી સારી તક આપવામાં આવી રહી છે. તેમને વધુ સારૂ એન્ડોરસમેન્ટ અને પેમેન્ટ મળી રહ્યું છે. આજના સમયમાં અભિનેત્રીઓ ખૂબ જ પાવરફુલ પોઝિશનમાં છે. એમની પાસે પહેલા કરતા વધુ સારી અને લાંબી જિંદગી છે.

image soucre

ફિલ્મ ‘પરદેશ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી મહિમા ચૌધરીએ કહ્યું, “મને લાગે છે કે ઈન્ડસ્ટ્રી એવા તબક્કે પહોંચી રહી છે જ્યાં મહિલા કલાકારો પણ શૂટિંગ કરી રહી છે. તેમને વધુ સારા પૈસા અને જાહેરાતો મળે છે. તેઓ હવે મજબૂત સ્થિતિમાં છે. મહિમા ચૌધરીએ વધુમાં કહ્યું કે, “આ સમયે લોકો વિવિધ ભૂમિકાઓમાં મહિલા અભિનેત્રીઓને સ્વીકારી રહ્યા છે. જ્યારે તેના સમય દરમિયાન તેણે કરિયર ખાતર પોતાની અંગત જિંદગી છુપાવવી પડી હતી. તે સમયે જો તમે કોઈને ડેટ કરી રહ્યા હોત તો લોકો તમને ફિલ્મથી દૂર રાખશે કારણ કે તેઓ માત્ર એવી કુંવારી છોકરીઓ ઈચ્છે છે જેમણે ક્યારેય કિસ પણ ન કરી હોય.”

image soucre

મહિમા ચૌધરીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, “જો તમે તે સમયે કોઈને ડેટ કરી રહ્યા હતા, તો એવું હતું કે, ઓહ! તે ડેટિંગ કરી રહી છે! જો તમે પરિણીત હતા, તો તેને ભૂલી જાઓ, તમારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે, અને જો તમને બાળકો હતા, તો તે સમાપ્ત થઈ ગયું છે

બીજી તરફ મહિમા ચૌધરીએ ગોવિંદા અને આમિર ખાન વિશે કહ્યું કે, ‘જ્યારે કયામત સે કયામત તક રિલીઝ થઈ હતી, ત્યારે પણ અમને ખબર નહોતી કે આમિર ખાન પરિણીત છે. આ જ વાત ગોવિંદા માટે પણ લાગુ પડે છે. લોકોએ તેમના બાળકોની તસવીરો છાપી ન હતી, કારણ કે જો તેમના બાળકોની તસવીરો બહાર આવશે તો લોકોને તેમની ઉંમરની ખબર પડી જશે. આ બધી વસ્તુઓ હવે બદલાઈ ગઈ છે.”

image soucre

મહિમા ચૌધરી આજના સમયમાં અભિનેત્રીઓ માટે બદલાતી વિચારસરણીની ખૂબ પ્રશંસા કરે છે. તે કહે છે કે, આજના સમયમાં કોઈપણ અભિનેત્રીનું રિલેશનશિપ સ્ટેટસ તેની કારકિર્દી બગાડવાનું કામ કરતું નથી. જ્યારે પહેલાના જમાનામાં વ્યક્તિએ અંગત જીવન કે કારકિર્દી વચ્ચે પસંદગી કરવાની હતી.

image soucre

ઉલ્લેખનીય છે કે, મહિમા ચૌધરીએ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. તેની કારકિર્દીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો. જો કે એટલી જ જલ્દી તેને પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી.