અર્જુન કપૂર પર આ કારણે મરવા માટે પણ તૈયાર હતી મલાઈકા અરોરા, જાણો શા માટે બન્ને વચ્ચે છે આટલી બોન્ડિગ

મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઓછી અને પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અને અરબાઝની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અહીં એકબીજાને જોઈને બંને દિલ આપી બેઠ્યાં હતા, ત્યારપછી બંને વચ્ચે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરવાની સિલસિલો ચાલી હતી. આખરે વર્ષ 1998માં તેઓએ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો.

image source

જો કે, લગ્નના 19 વર્ષ પછી, મલાઈકા અને અરબાઝે લગભગ બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે અરબાઝથી અલગ થયા બાદ અર્જુન કપૂરે મલાઈકાના જીવનમાં એન્ટ્રી કરી હતી અને તે બંને આજે સિરિયસ રિલેશનમાં છે.

મલાઈકા અને અર્જુને પોતાના સંબંધોની વાત ક્યારેય કોઈની નજરથી છુપાવી નથી, એક વખત ઈન્ટરવ્યુમાં મલાઈકાને પૂછવામાં આવ્યું હતું કે તેને અર્જુન કપૂરમાં સૌથી વધુ શું ગમે છે?

image source

આ સવાલના જવાબમાં મલાઈકાએ કહ્યું હતું કે અર્જુન કપૂર તેને અંદર અને બહારથી સારી રીતે સમજે છે. આટલું જ નહીં, મલાઈકાએ એ પણ કહ્યું કે તે અર્જુન કપૂર સાથે રહેવાનું પસંદ કરે છે કારણ કે તે તેને માત્ર સારી રીતે સમજતો નથી પરંતુ તેને ઘણીવાર હસાવતો અને ખુશ પણ રાખે છે. જો કે, તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન પણ ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે.