7 દિવસમાં મળી જશે દાદ, ખરજવું અને ખંજવાળથી છૂટકારો, આજથી જ કરો આ કામ
દાદ ખાસ કરીને વિશેષ જાતિના ફૂદાના કારણે થતો ચામડીનો રોગ છે. આ ફૂદા માઈક્રોસ્પોરોન, ટ્રાકોફાઈટોન, એપિડમોફ્રાઈટોન કે ટિનિયા જાતિના હોય છે. દદ્રુ રોગ અનેક રૂપમાં શરીરીના અંગો પર આક્રમણ કરે છે. ખોપડીનો આ દદ્રુ ફૂંદા દ્વારા વાળના મૂળમાં આક્રમણ કરે છે. આ કારણે વાળ અને નવવયસ્કોમાં આ રોગ વધારે જોવા મળે છે.
વધારે પડતી ખંજવાળ અને દાદની સમસ્યા વધે છે તો આ એક એવું ફંગસ ઈન્ફેક્શન છે જે એક વાર થાય તો જલ્દી સારો થતો નથી. તથા શરીરના અન્ય ભાગો પર તે ફેલાતો રહે છે. તેનાથી કોઈ બચી શકતું નથી. તેની પીડાથી બચવાના કેટલાક આયુર્વેદિક નુસખા છે.
જાણો દાદ, ખરજવું અને ખંજવાળથી બચવાના ઘરેલૂ ઉપાયો
સૌ પહેલાં તેના માટે તમારે 5 લસણની કળીઓ લેવાની છે અને તેની કળીઓને પીસીને તેનો રસ કાી લેવાનું છે. હવે તમે તેમાં ખોડું સરસિયાનું તેલ મિક્સ કરી શકો છો. આ તેલ બેસ્ટ ઘરેલૂ ઓષધિ છે. તેનો ઉપયોગ કરનારા વ્યક્તિને દાદ, ખરજવું અને ખંજવાળની સમસ્યા રહેતી નથી તથા વાળને કાળા રાખવામાં પણ તે મદદ કરે છે.
આ સિવાય તમે આ બંને ચીજને બરોબર ફેંટી લો અને તેને લગાવવા માટે રૂની મદદ લો. ધ્યાન રાખો કે જ્યાં દાદ, ખરજવું કે ખંજવાળની સમસ્યા રહે છે ત્યાં તમારે સાબુનો ઉપયોગ કરવાનો નથી. આ નુસખાને તમે 2-3 વાર લગાવો અને તમને ઝડપથી આરામ મળશે. આ સાથે જ ઘરેલૂ નુસખો ખ્યાલ આવે તો તમે ડોક્ટરની મદદ પણ લઈ શકો છો.
અ્ય એક ઉપાય પણ તમે જાતે જ ઘરે બેસીને કરી શકો છો. આ માટે તમારે અલોવેરા જેલનો ઉપયોગ કરવાનો છે. જે તે પ્રભાવિત જગ્યાએ અલોવેરા જેલ લગાવવાથી ઠંડક મળે છે.
જો તમને વધારે ખંજવાળ અનુભવાતી હોય તો તમે લીમડા કે ગિલોયનું સેવન કરી શકો છો. તેનાથી લોહી સાફ રહે છે. આ સાથે તમે લીમડાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવીને લગાવી લો. આ પાવડરને થોડા પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો અને તેને દિવસમાં 3 વાર દાદ પર લગાવવાથી પણ રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત