જાણો વર્ષો પહેલા રાજસ્થાનમાં માત્ર એક તરબૂચના ફળ માટે થયેલી લડાઈની આ વાત

ઇતિહાસમાં એવી અનેક લડાઈઓ નોંધાયેલી છે જેના કિસ્સાઓ આજે પણ ગર્વથી કહેવામાં આવે છે.

યુદ્ધ અને લડાઈ મુખ્યત્વે બીજા રાજ્યો પર કબ્જો કરવા માટે જ લડાતી હતી પરંતુ લગભગ 375 વર્ષ પહેલા એક આશ્ચર્યજનક યુદ્ધ પણ ઇતિહાસમાં નોંધાયેલું છે. આશ્ચર્યજનક એટલા માટે કારણ કે આ યુદ્ધ માત્ર એક તરબૂચ માટે લાદવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે યુદ્ધમાં પણ હજારોની સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા.

image source

આ યુદ્ધ લગભગ આખી દુનિયામાં ખેલાયેલું એકમાત્ર એવું યુદ્ધ છે જે એક ફળના લીધે લડવામાં આવ્યું હતું. ઇતિહાસમાં આ યુદ્ધને ” મતીરે કી રાડ ” નામથી ઓળખવામાં આવે છે. અસલમાં રાજસ્થાનના અમુક ભાગોમાં તરબૂચને મતીરા નામથી ઓળખાય છે અને રાડનો અર્થ ઝઘડો થાય છે.

image source

મતીરે કી રાડ નામક આ યુદ્ધ 1644 ઈસ્વી માં લડાઈ હતી. યુદ્ધ વિષે વિસ્તૃત વાત કરીએ તો તે સમયે બિકાનેર રિયાસતનું સીલવા ગામ અને નાગોર રિયાસતનું જાખણીયા ગામણી સરહદ એકબીજા સાથે અડીને જોડાયેલી હતી. આ બન્ને ગામો બન્ને રિયાસતોના અંતિમ ગામ હતા. હવે થયું એમ કે તરબૂચનું એક છોડ બીકાનેરની સીમામાં ઉગી નીકળ્યું પરંતુ તેમાં જયારે તરબૂચનું ફળ આવ્યું તો એ નાગોર રિયાસતની સીમા બાજુ નમી ગયું.

image source

હવે બિકાનેર રિયાસતના લોકોનું એવું માનવું હતું કે તરબૂચનો છોડ એની સરહદમાં થયો હતો એટલે તેમાં ઉગેલું તરબૂચ પણ તેમનું જ કહેવાય. પરંતુ નાગોર રિયાસતના લોકોનું એમ કહેવું થતું હતું કે જયારે તરબૂચનું ફળ તેની સરહદમાં આવ્યું છે તો હવે તેની માલિકી નાગોર રિયાસતની જ કહેવાય. આ વાતને લઈને બન્ને રિયાસતો વચ્ચે ઝઘડો થઇ ગયો અને ધીમે ધીમે આ ઝઘડો વકરતા લોહિયાળ યુદ્ધ સુધી આગળ વધી ગયો.

image source

કહેવાય છે કે આ અજબ-ગજબ લડાઈમાં બીકાનેરની સીનનું નેતૃત્વ રામચંદ્ર મુખિયાએ કર્યું હતું જયારે નાગોરની સેનાનું નેતૃત્વ સિંઘવી સુખમલએ કર્યું હતું. જો કે બન્ને રિયાસતના રાજાઓને આ લડાઈ વિષે કોઈ ખ્યાલ જ ન હતો. કારણ કે જે સમયે લડાઈ થઇ હતી ત્યારે બિકાનેરના રાજા કરણસિંહ એક અભિયાનમાં ગયા હતા જયારે નાગોરના રાજા રાવ અમરસિંહ મુગલ સામ્રાજ્યની સેવામાં હતા.

image source

અસલમાં આ બન્ને રાજાઓએ મુગલ સામ્રાજ્યની આધીનતા સ્વીકારી લીધી હતી. જયારે બન્ને રિયાસતોના રાજાઓને આ લડાઈ વિષે જાણ થઇ તો તેઓએ આ મામલે મુગલ દરબારમાં હસ્તક્ષેપની માંગણી કરી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. વાત મુગલ સામ્રાજ્ય હાથમાં લે એ પહેલા જ લડાઈ શરુ થઇ ગઈ હતી. યુદ્ધમાં ભલે નાગોર રિયાસતની હાર થઇ પરંતુ કહેવાય છે કે આ લડાઈમાં બન્ને બાજુએથી હજારો સૈનિકોના મોત થયા હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત