ના હોય! માત્ર આટલા વર્ષ પછી ધરતી પરથી ગાયબ થઈ જશે કંઇક એવું કે…પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો ‘જો ખરેખર આવું થયું તો….’
સમયનો પ્રવાસ કરવાની વિભાવના તદ્દન વિવાદિત રહી છે. આ દાવા હેઠળ લોકો ભવિષ્યમાં જવાનો દાવો કરતા હોય છે. દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જેઓ ભવિષ્ય માંથી જઈને પાછા ફર્યા હોવાનો દાવો કરે છે, પરંતુ આ બાબતની કોઈ અધિકારીક રીતે સાબિત થઈ શક્યું નથી. ઉપરાંત અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ મળી શક્યા નથી. ત્યારે હાલમાં જ એક સમયના મુસાફર દ્વારા વર્ષ ૨૦૨૭ માંથી પરત ફર્યા હોવાનો દાવો કરી રહ્યા છે.
એટલું જ નહી, સમયના આ મુસાફરે કેટલાક ફોટોસ પણ શેર કર્યા છે. જેમાં તેઓ ૬ વર્ષ પછી દુનિયા કેવી જોવા મળશે તે બતાવવામાં આવ્યું હતું. જો આપ વ્યક્તિએ જે કહ્યું છે તેની પર વિશ્વાસ કરી રહ્યા છો તો દુનિયા આજથી ૬ વર્ષ બાદ સમાપ્ત થઈ જશે. મનુષ્ય જાતિને બચાવવામાં આવશે નહી. દુનિયામાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે જેઓ ભવિષ્ય માંથી પરત ફર્યા હોવાનો દાવો કરે છે. સમયના પ્રવાસની આ વિભાવના વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત માનવામાં આવતી નથી. તેમ છતાં જયારે પણ કોઈ વ્યક્તિ સમયનો પ્રવાસ કર્યો હોવાનો દાવો કરે છે તે સમયે લોકોનું ધ્યાન પોતાનું તરફ આકર્ષિક કરી લેવામાં સફળ રહે છે. ત્યારે હાલમાં જ આવો દાવો યુરોપના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રકાશિત થયે સમાચારમાં જણાવ્યા પ્રમાણે યુરોપના એક સમયના પ્રવાસી, જેનું નામ જેવિયર છે તેમણે એવો દાવો કર્યો છે કે, તેઓ આજથી ૬ વર્ષ પછીના વિશ્વ માંથી પરત ફર્યા છે.
સમયના પ્રવાસી જેવિયરનું કહેવું છે કે, તેઓ વર્ષ ૨૦૨૭ના વિશ્વ માંથી પરત ફર્યા હતા. જેવિયર પોતાના સમયના પ્રવાસના અનુભવ વિષે જાણકારી આપી છે. આ જાણકારીના કારણે લોકોની ચિંતામાં વધારો થઈ ગયો છે. વર્ષ ૨૦૨૭માં દુનિયામાં એક પણ મનુષ્ય બચી શકશે નહી. જી હા સમયના પ્રવાસી જેવિયરનું કહેવું છે કે, આજથી ૬ વર્ષ બાદ આ દુનિયા માંથી માનવ વિશ્વનું નામોનિશાન ગાયબ થઈ જશે. જેવિયર દ્વારા આ દાવાને માન્યતા માટે જેવિયર દ્વારા કેટલાક ફોટોસ ઈન્ટરનેટ પર શેર કર્યા છે.
સમયના પ્રવાસી જેવિયરનું કહેવું છે કે, તેમણે આ ફોટોસ વર્ષ ૨૦૨૭ના વિશ્વમાં જઈને લીધા છે. વર્ષ ૨૦૨૭ના વિશ્વના ફોટોસમાં એક પણ મનુષ્ય જોવા મળી રહ્યા નથી. જેવિયરએ વર્ષ ૨૦૨૭ના વિશ્વમાં આવેલ મોલ્સ, શેરીઓ અને રેસ્ટોરન્ટના ફોટોસ લીધા હતા. આ તમામ ફોટોસમાં નવાઈની વાત એ છે કે, આ તમામ ફોટોસમાં એક પણ મનુષ્ય જોવા મળી રહ્યો નથી. સમયના પ્રવાસી જેવિયરનું કહેવું છે કે, વર્ષ ૨૦૨૭ની દુનિયામાં એક પણ મનુષ્ય બચી શકશે નહી.
જેવિયર દ્વારા કરવામાં આવેલ દાવા પ્રમાણે વર્ષ ૨૦૨૭ના વિશ્વમાં વીજળી ઉપલબ્ધ હશે, પણ જયારે જેવિયરએ જોવે છે કે, ઘણા લાંબા સમયથી તે જગ્યાઓની સાફ- સફાઈ કરવામાં આવી નથી. જેવિયર દ્વારા પુરાવાની સાથે ઈન્ટરનેટ પર પોતાનો આ દાવો શેર કર્યો છે. ત્યાર બાદ ઘણી બધી વ્યક્તિઓએ આ દાવાને સાચું માનવાનું શરુ કરી દીધું છે કે, હવેથી ૬ વર્ષ બાદ માનવ વિશ્વ સમાપ્ત થઈ જશે, ત્યાં જ કેટલીક વ્યક્તિઓનું કહેવું છે કે, આ ફોટોસ ખોટા છે.
તેમણે લોકડાઉન દરમિયાન આ ફોટોસ લીધા છે અને હવે આવા ખોટા દાવાની સાથે પ્રસિદ્ધિ મેળવવા માટે આવા સ્ટંટ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૭માં માનવ વિશ્વ ગાયબ થઈ જવાનો દાવો કરી રહેલ જેવિયરના ટિકટોક પર ૧૨ લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે. જેવિયરએ આ સમયના પ્રવાસની કેટલીક ફોટોસને પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેવિયરના આ દાવો કર્યા બાદ યુઝર્સ તેમના એકાઉન્ટની મુલાકાત લેવાનું શરુ કરી દીધું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!