દેશમાં જ નહીં દુનિયાભરમાં અસંખ્ય લોકો કોરોના મહામારીથી જીવ ગુમાવી રહ્યા છે. લાખો લોકો કોરોનાથી પીડિત છે. ભારતમાં તેની વેક્સિન આપવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. આ સમયે કોરોનાનો ખાતમો કરતી એક દવા હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે. વર્ષોથી એન્ટિસેપ્ટિક તરીકે વપરાતી દવા મિથિલિન બ્લુ (Methylene Blue) કોરોનાનો રામબાણ ઈલાજ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીમાં વાયરસ સામે લડી શકે તેવી કોઈ સચોટ દવા હાલ નિશ્ચિત નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ.
મળતી માહિતી મુજબ ભાવનગરના અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન ડો. દિપક ગોલવાલકર હાલ ભાવનગર જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મિથિલિન બ્લુના સફળ ઉપયોગ વડે કોરોના સંક્રમિતોને સાજા કરી દેવા માટે બહુ જાણીતા છે. ભાવનગરના આ ડૉ. દિપક ગોળવાલકરના જણાવ્યા અનુસાર તેઓ મહિનાઓથી દરરોજ અસંખ્ય દર્દીઓને તપાસે છે. તેમને મિથિલિન બ્લુ આપવાથી સારું પરીણામ મળ્યું છે. તે કોરોનાને મહાત કરનારી અકસીર દવા છે તેમ જણાવે છે.
તેમણે અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોને તે આ દવા આપી ચૂક્યા હોવાની વાત કહી હતી. આ દવા તબીબના જણાવ્યા પ્રમાણે અમુક માત્રામાં લેવાની હોય છે. તે પ્રવાહી રૂપે અને ઇન્જેક્શન રૂપે પણ ઉપલબ્ધ છે તેમ જણાવે છે. આ દવા વર્ષોથી તબીબો ઉપયોગ કરે છે. અને તે કારગત છે. ડો. જગદીપ કાકડિયાનાં જણાવ્યા અનુસાર કોવિડ-19ની સારવારમાં મિથિલિન બ્લુના હિમાયતી છે. આ વાત બહાર આવતાં જ મિથિલિન બ્લુ શું છે, કઈ રીતે ઉપયોગી થાય છે, કોરોના સંક્રમિતોને કઈ રીતે ફાયદાકારક છે તે અંગે અહીં વાત કરવામાં આવી રહી છે.
મિથિલિન બ્લુ ખરેખર શું છે? આ વિશે મળતી માહિતી મુજબ,
- -તે જૂનું અને જાણીતું એક પ્રકારનું ડ્રગ જ છે.
- -લગભગ 100 વર્ષથી વપરાતી આ દવાને જગતનું સર્વપ્રથમ સિન્થેટિક (લેબોરેટરીમાં બનેલું) ડ્રગ કહેવામાં આવે છે.
- -મિથિલિન બ્લુ એ લોકપ્રિય નામ ખરેખર તો મિથાઈલથિયોનિનિયમ ક્લોરાઈડ નામના ડ્રગનું છે.
- -મિથિલિન બ્લુ કાર્બન સંયોજનથી બનેલી દવા છે.
- -ક્લોરોક્વિનથી મેલેરિયાની સારવાર માટે મિથિલન બ્લુ અક્સિર દવા મનાતી હતી અને 1950ના દાયકા સુધીમાં તેનાંથી લાખો લોકોના જીવ બચ્યા હતા.
મિથિલિન બ્લુ કોરોનામાં કેવી રીતે ઉપયોગ છે તે વિશે ભાવનગરનાં પલ્મોનોલોજિસ્ટ ડો. દિપક ગોલવાલકર કહ્યું હતું કે ચાર દાયકાથી ફેફસાંના રોગો અને વિવિધ સંક્રમણોની સારવાર કરી રહ્યા છે. નબળાઈ, ગળું બળવું, તાવ, સોજો આવવો અને પછી શ્વાસ નળીમાં જાય છે ત્યાં શ્વાસ રોકે ઓક્સિજન લેવલ ઓછું કરે તેવી સ્થિતિ આવે છે ત્યારે આ દવા ખુબ કારગર રહે છે. ડૉ. ગોળવાલકરનો દાવો છે કે આ સમયે જો તબીબી સલાહ અનુસાર મિથિલિન બ્લુ જીભ નીચે મુકવામાં આવે તો તે સીધું લોહીમાં ભળે છે અને એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.
કોરોના સંક્રમણમાં મિથિલિન બ્લુનો સફળ પ્રયોગ કરવામાં પણ ડો. ગોલવાલકર શરૂઆતની પંક્તિના તબીબ મનાય છે. ગત વર્ષે કોરોના સંક્રમણના આરંભથી જ તેઓ મિથિલિન બ્લુના ઉપયોગ વડે સંક્રમિતોની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 3000થી વધુ દર્દીઓને સાજાં કરી ચૂક્યા છે. ડો. ગોલવાલકરની પ્રેરણાથી સંજય પરાંજપે સહિતના સેવાભાવી મિત્રો મિથિલિન બ્લુ સારવારના પ્રચાર અને વિનામૂલ્યે લોકો સુધી ડ્રગ પહોંચાડવામાં માટે કામ કરી રહ્યાં છે.
આ સાથે જાણકારોનું કહેવું છે કે આ દવાનો મહત્વનો ફાયદો એ છે કે સ્ટ્રેન બદલાય તો પણ અસર કરે છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ વિકલ્પ શ્રેષ્ઠ છે. ડો. જયદીપ કાકડિયા કોરોનાની સારવાર સંબંધિત વૈશ્વિક સ્તરના વિવિધ સંશોધનો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. મિથિલિન બ્લુને તેઓ પણ બહુ જ ઉપયોગી મેડિસિન ગણાવે છે. તેમણે આ દવા વિશે વધુ વાત કરતા કહ્યું હતું કે સામાન્ય રીતે રેમડેસીવીર જેવા ડ્રગ વાયરસના ડીએનએ કે પ્રોટિન સાથે ફેરફાર કરીને તેને નબળો પાડે છે અને પછી જ્યારે વાયરસ સ્ટ્રેન બદલે ત્યારે એ ડ્રગ કામ કરતાં નથી.
આ સમયે મિથિલિન બ્લુ ખુબ સારું પરીણામ આપી રહી છે. દરેક પ્રકારના વાયરસનું ઓક્સિડાઈઝિંગ એલિમેન્ટ છે. આથી વાયરસ સ્ટ્રેન બદલે તો પણ મિથિલિન બ્લુ એકસરખી કારગત નીવડે છે. મિથિલિન બ્લુ આ રીતે વિઘટન પામે છે તેથી તે વધુ ફાયદાકારક છે. ડો. કાકડિયા આ વિશે વિગતે વાત કરતાં કહ્યું હતું કે પુખ્ત વયની દરેક વ્યક્તિ રોજ સવારે 5 એમએલ જેટલું મિથિલિન બ્લુ પીવે અને રાત્રે બહારથી આવ્યા પછી નાકમાં ટીપાં નાંખે તો સંક્રમણથી ચોક્કસ બચી શકે છે.
આ પછી ડો. કાકડિયા એક વાત કહી તે ખરેખર ચોંકાવનારી છે. તેમણે કહ્યું હતું કે અમે ડો. ગોલવાલકર સાથે મિથિલિન બ્લુની કોરોના વાયરસ પર અસરના અનેક પ્રયોગો કર્યા છે. જેમાં અમે માસ્ક વગર હજારો દર્દીઓની સારવાર પણ કરી છે. આ પછી પણ તેઓ આજે સુરક્ષિત છે. મિથિલિન બ્લુના નિયમિત સેવનના કારણે રોજના સેંકડો પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં હોવા છતાં અમને તો ઠીક સ્ટાફમાં કે લેબોરેટરી કે એક્સ-રે ક્લિનિકમાં કોઈને પણ છેલ્લાં એક વર્ષથી સંક્રમણ લાગુ પડ્યું નથી. જેના આધારે સમજી શકાય કે આ દવા કેટલી કારગર છે.
તેમણે કહ્યું કે કોરોના સંક્રમિતના નાકના બંને ફોયણામાંથી અમે સ્વેબ લીધા. જમણાં ફોયણાંના સ્વેબને પાંચ મિનિટ મિથિલિન બ્લુમાં પલાળીને પછી તેનો ટેસ્ટ કર્યો. જ્યારે ડાબા ફોયણાંનો સીધો જ RT-PCR ટેસ્ટ કર્યો. તો આશ્ચર્યજનક રીતે ડાબા ફોયણાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મિથિલિન બ્લુમાં ઝબોળેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ એમને આ કામ કરવામાં વધારે રસ જાગ્યો અને અમે સતત આ દવાના ઉપયોગથી ઘણાં દર્દીઓને સાજા કરવામાં સફળતાં મેળવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!