આ બાબતને લઇને ‘યે રિશ્તા…ફેમ મોહેના કુમારી થઇ ગઇ ખુશ-ખુશ, અને સાથે અનુભવ્યો હાશકારો
ટીવી સીરીયલ એ અત્યારના સમયમાં લોકોમાં સૌથી વધુ પ્રચલિત થનાર પ્રકાર છે. જો કે આ સિરીયલોને લઈને અવારનવાર આવતા સમાચાર પણ બધાને ખુબ જ રોમાંચક લગતા હોય છે.
એવા જ એક સમાચાર એટલે ખુશીના સમાચાર આવ્યા છે. આપને જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ટીવી શો અભિનેત્રી મોહેના કુમારીનો કોરોના રીપોર્ટ લગભગ એક મહિના બાદ નેગેટિવ આવ્યો છે. આ અંગેની માહિતી મોહેનાએ ખુદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
કોરના સાથે જ વિતાવ્યો એક મહિનો
હાલમાં જ મોહેનાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં મોહેના એમના ફેન્સને જણાવ્યું હતું કે અંતે લગભગ એક મહિના બાદ અમે લોકો હવે કોરોના નેગેટિવ આવ્યાં. જો કે આ પોસ્ટમાં એમણે AIIMS ઋષિકેશના તમામ ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર પણ વ્યકત કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે આજે આપણે દેશના ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સના કામને જ સેલિબ્રેટ કરી રહ્યાં છીએ.
સેવાઓ બદલ ડોકટરનો આભાર વ્યક્ત કર્યો
View this post on Instagram
આ પોસ્ટમાં મોહેનાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું મારા જીવનમાં કેટલાંક સારા ડોક્ટર, નર્સ તથા મેડિકલ સ્ટાફને મળી છું. આ લોકોની પીડાને ઓછી કરવા માટે પૂરતો પ્રયાસ કરે છે અને તેમના આ પ્રયાસ માટે હું આભારી છું. હું આશા તથા પ્રાર્થના કરું છું કે તમામ ડોક્ટર્સ દરેક ગ્રુપને તથા ધર્મના લોકોને આમ જ મદદ કરતા રહે. લોકોને ડોક્ટર્સમાં બહુ વિશ્વાસ હોય છે. આપણે હંમેશાં ડોક્ટર્સ પાસેથી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તે લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરે અને કાળજી રાખે. હું તમામ નિઃસ્વાર્થ, પ્રામાણિક, મહેનતુ ડોક્ટર્સને નેશનલ ડોક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવું છું. અમે તમારી સેવા માટે આભારી છીએ.’
સૌપ્રથમ સાસુ થયા હતા કોરોના પોઝીટીવ
મોહેના કુમારીએ આપેલ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે એમના ઘરમાં સૌથી પહેલા એમની સાસુમાની તબિયત ખરાબ થઇ હતી. જો કે બધાયને એ માત્ર સામાન્ય ફ્લુ જ લાગેલો. પણ જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે એમણે કોરોના છે. જો કે ત્યારબાદ ઘરના બધા જ લોકોના રીપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. જેમાં મોહેના કુમારી, એમના સસરા અને જેઠ-જેઠાણીના રીપોર્ટ પોજીટીવ આવ્યા હતા. જો કે ઘરની બહાર એમણે ચેપને પ્રસરવા દીધો નથી. આ તમામે ઋષિકેશની હોસ્પીટલમાં સારવાર મેળવી હતી.
2012માં એમણે ટીવી જગતમાં ડેબ્યુ કર્યો હતો
આપને જણાવી દઈએ કે મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. જો કે મોહિના પોતે એક ટ્રેઈન્ડ ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. આ રિયાલિટી શો પછી એમણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ટીવી સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. જો કે લગ્ન કર્યા પછી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગત વર્ષે એટલે કે 14 ઓક્ટોબર 2019ના દિવસે હરિદ્વાર ખાતે યોજાયા હતાં. મોહેના કુમારીએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. જો કે મોહેના કુમારી એ રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત