શુક્રવારે ઘરમાં વાવેલા મની પ્લાન્ટમાં બાંધી લો આ ચીજ,દરેક સંકટ દૂર થશે અને પૈસાની અછત રહેશે નહીં
મની પ્લાન્ટ હોવા છતાં ઘરમાં મુસીબતો આવે છે,તો જાણો અહીંયા શું ભૂલ થઈ છે તમારી મની પ્લાન્ટની પૂજા કરવામાં…..
મની પ્લાન્ટ દ્વારા માતા લક્ષ્મીજી કેવી રીતે તમારા ઘરમાં પ્રવેશ કરે છે,જાણો પુરી માહિતી…..
મની પ્લાન્ટ: સામાન્ય રીતે તમે જોશો કે મની પ્લાન્ટ બધા લોકોના ઘરે અથવા ઘરની બહાર વાવેલો હોય છે.મની પ્લાન્ટનો છોડ તમને ઘરની સમૃદ્ધિ સાથે જોડી રાખવા મદદ કરે છે.માન્યતા મુજબ,જે લોકોના ઘરે આ છોડ વાવેલો હોય છે,તેના ઘરમાં પૈસાથી સંબંધિત સમસ્યા હોતી નથી.પરંતુ ઘણી વખત આ વિરોધી પણ જોવા મળે છે.
કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે જેમણે આ પ્લાન્ટ વાવ્યો છે તેમના ઘરે ઘનને લગતી સમસ્યાઓ પણ છે. એટલે કે ઘરમાં વાવેલા મની પ્લાન્ટનો કોઈ ફાયદો નથી.આવી સ્થિતિમાં,આપણે એ જાણવું જરૂરી છે કે મની પ્લાન્ટ વાવ્યા છતાં ઘરમાં ઘનને લગતી સમસ્યાઓ શા માટે રહે છે.
એવું કહેવામાં આવે છે કે જેના ઘરમાં મની પ્લાન્ટ જેટલું વધે છે તેમના ઘરમાં એટલું વધુ ધન આવે છે,પરંતુ મની પ્લાન્ટ લગાવતા પહેલા આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.તેને યોગ્ય રીતે જાળવવું જોઈએ અને તેને ઘરની કોઈ સ્વચ્છ જગ્યાએ યોગ્ય રીતે રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં બરકત આવે છે.
માન્યતા મુજબ શુક્રવારે મની પ્લાન્ટની ટોચ પર લાલ રંગનો દોરો અથવા રિબીન બાંધવું શુભ માનવામાં આવે છે. ખરેખર લાલ રંગને પ્રેમ,સ્નેહ,પ્રગતિ અને ખ્યાતિનું પ્રતીક માનવામાં આવે છે.તેથી જ એવું કહેવામાં આવે છે કે લાલ રંગની રિબીન છોડમાં બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.આ ઉર્જાના કારણે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે.
આવી રીતે બાંધો લાલ દોરો અથવા રિબીન…….
શુક્રવારે વહેલી સવારે ઉઠવું અને સ્નાન કરીને માતા લક્ષ્મીની પૂજા કરવી
તેમની સામે દીવો પ્રગટાવો
માતા લક્ષ્મીના ચરણોમાં લાલ રંગનો દોરો અથવા રિબીન મૂકો
ત્યારબાદ માતા લક્ષ્મીની આરતી કરો અને આ લાલ દોરા અથવા રિબીન પર કંકુ લગાવો.
માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને મની પ્લાન્ટના મૂળની આસપાસ બાંધી દો.
જો બોટલમાં મની પ્લાન્ટ છે,તો બોટલના નીચેના ભાગમાં આ લાલ દોરો બાંધી દો.
આ બાંધ્યા પછી થોડા જ દિવસોમાં તમને તફાવત જોવા મળશે.માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે અને તમારા ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થશે.
મની પ્લાન્ટને લગાવાથી આ ફાયદાઓ થાય છે
1. ઘરે મની પ્લાન્ટ લગાવીને નાણાકીય કટોકટી દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે આ છોડ જેટલો ઘાટો લીલો હશે, તેટલો ઘરમાં સપંત્તિમાં વધારો થશે.આ છોડને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
2. મની પ્લાન્ટ લગાવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વસતી નથી.જે ઘરમાં મની પ્લાન્ટ સ્થાપિત હોય ત્યાં હંમેશા ખુશીઓ રહે છે.
3. આ છોડ પતિ-પત્ની વચ્ચેની મૂંઝવણને દૂર કરે છે અને તેમની વચ્ચે ફરીથી પ્રેમ સ્થાપિત કરે છે.જો તમારા સંબંધમાં તકલીફ હોય,તો તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવો.
4. મની પ્લાન્ટ ઘરના વાસ્તુ-દોષને દૂર કરવામાં ખૂબ મદદગાર છે.જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ-દોષ હોય તો મની પ્લાન્ટ લગાવો.
5. મની પ્લાન્ટનો ઉપયોગ ઘરને સુશોભિત કરવા માટે પણ થાય છે. ઘાટા લીલા રંગનો મની પ્લાન્ટ લોકોને ખુબ પસંદ આવે છે.
Source- dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત