ભાગ્યે જ જાણતા હશે જીવન બદલી દેનારા મોરપંખના ખાસ ઉપાયો

એવી વ્યક્તિ જેમની કુંડળીમાં રાહુ ગ્રહ ખરાબ સ્થિતિમાં હોય છે એ વ્યક્તિને પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પણ આ માટે અમે અહીં કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ. જેને જાણીને તમને ફાયદો થશે.

image soucre

વ્યક્તિના જીવનમાં ગ્રહ અને નક્ષત્રોનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિના જીવનમાં ઓછી મહેનતે અનેક ગણું મળી જાય છે. પણ અનેક લોકો એવા પણ હોય છે જેને બહુ વધારે મહેનત બાદ પણ સફળતા મળતી નથી. આવા વ્યક્તિઓએ જીવનમાં રૂપિયાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવા વ્યક્તિને પોતાના ભાગ્યનો પણ સાથ મળતો નથી. વ્યક્તિને આ સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મોરપંખના 10 ઉપાયો મદદ કરી શકે છે. તો જાણો કયા છે આ ખાસ અને અસરકારક ઉપાયો.

image source

એવા વ્યક્તિ જેની કુંડળીમાં રાહુ દોષ છે. તે વ્યક્તિઓ મોરપંખનું તાવીજ બનાવીને પોતાના જમણા હાથ પર બાંધે. આમ કરવાથી રાહુ દોષની સમસ્યા ખતમ થઈ જાય છે.

image soucre

જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ છે તો તેના કારણે તેઓ આગળ વધી શકતા નથી. એવા વ્યક્તિઓ જેના ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમાની સાથે 2 મોરપંખ હોવા જોઈએ, આમ કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થશે.

image soucre

હનુમાનજીને લગાવાતા સિંદુરથી મોરપંખ પર દુશ્મનનું નામ લખીને જો એક દિવસ પૂજા સ્થાન પર રાખવામાં આવે તો અ્ય દિવસે આ મોરપંખને નદીમાં પ્રવાહિત કરાય તો મોટાથી મોટા દુશ્મન પણ માથું ટેકવી દે છે.

જો કોઈ વ્યક્તિના કામમાં અડચણ આવી રહી છે તો આ અડચણોને દૂર કરવા માટે વ્યક્તિએ પોતાના હાથમાં મોરપંખ લગાવીને 11 વાર હનુમાનજીનો કોઈ સિદ્ધ મંત્રનો જાપ કરવો. આ સમયે દરેક વાર મોરપંખ પર ફૂંક મારવી. આ પછી કોઈ પણ મહત્વના કામ માટે જતા પહેલાં આ મોરપંખને અડીને જવું. આમ કરવાથી કામ પૂરું થાય છે.

image soucre

જો કોઈ વ્યક્તિનું મન ભણવામાં નથી લાગતું તો તેઓએ પોતાના બાળકની બુક્સમાં મોરપંખ રાખી લેવું. આમ કરવાથી બાળકનું મન ભણવામાં લાગે છે.

ઘરમાં ક્લેશથી છૂટકારો મેળવવા માટે પૂજા સ્થાન પર રાખેલા ધાર્મિક ગ્રંથોની વચ્ચે મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે.

image soucre

એવા વ્યક્તિ જે પોતાના મન મુજબના જીવનસાથી ઈચ્છો છે તેમને રોજના 40 દિવસ સુઝી રાધા કૃષ્ણજીને એક મોરપંખ ચઢાવવું.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે પૂજા સ્થાન પર ભગવાન કૃષ્ણની મૂર્તિની સાથે મોરપંખ જરૂર લગાવવું.

જો ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે તો તેનાથી બચવા માટે વ્યક્તિએ ઘર અને દુકાનની પૂર્વ દિશામાં મોરપંખ રાખવું.

image soucre

નજરદોષથી બચવા માટે વ્યક્તિએ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર મોરપંખને એવી જગ્યાએ રાખવું જ્યાં લોકોની નજર પડે. આમ કરવાથી નજરદોષ ખતમ થઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ