ક્યાં ગાયબ થઈ ગયા ભારતના આ સૌથી મોટા ખજાના, આ સુધી નથી પડી ખબર
ભારતમાં ઘણા રહસ્યમયી ખજાના છે. આ ખજનાઓની શોધના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ કોઈને સફળતા ન મળી. આ ખજાના વિશે આજ સુધી કોઈને ખબર નથી પડી. તો ચાલો જાણી લઈએ ભારતના એવા જ રહસ્યમયી ખજનાઓ વિશે.
નાદિર શાહના ખજાનાનું રહસ્ય
વર્ષ 1739 માં નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો, ત્યારબાદ તેણે તેને કબજે કરી લીધો હતો. આ હુમલામાં નિર્દોષો માર્યા ગયા હતા. આ સાથે નાદિર શાહે દિલ્હીને પણ લૂંટી લીધું. મયુર તખ્ત અને કોહિનૂર ઉપરાંત તેણે મોટા પ્રમાણમાં સોનાના સિક્કા અને રત્નો પણ લૂંટી લીધા હતા. કહેવાય છે કે યુદ્ધને કારણે નાદિર શાહ આ લૂંટાયેલા ખજાના પર ધ્યાન આપી શક્યા ન હતા. પરત ફરતી વખતે, નાદિર શાહની સેનામાં વરિષ્ઠ અધિકારીઓએ તિજોરીનો મોટો ભાગ છુપાવી દીધો. આ ખૂબ જ કિંમતી ખજાનાને આજ સુધી કોઈ શોધી નથી શક્યું
માન સિંહનો રહસ્યમય ખજાનો
માનસિંહ પ્રથમનો રહસ્યમય ખજાનો આજ સુધી કોઈ શોધી શક્યું નથી. અકબરની સેનાના કમાન્ડર અને જયપુરના ભૂતપૂર્વ શાસક માનસિંહ પ્રથમ, મોહમ્મદ ગઝનીના ખજાના સાથે ભારત આવ્યા હતા. એવું કહેવાય છે કે તે આ ખજાનો 1580માં અફઘાનિસ્તાનથી લાવ્યો હતો અને તેને જયગઢ કિલ્લામાં છુપાવીને રાખ્યો હતો. તેણે આ ખજાનો અકબરને આપ્યો ન હતો. ઘણા લોકો માને છે કે સંકુલની ભૂગર્ભ ટાંકીમાં ખજાનો છુપાયેલો છે. ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીએ કિલ્લો ખોદવાની સૂચના આપી હતી. પણ ખોડકામમાં કઈ જ નહોતું મળ્યું
બિહારનો સોન ભંડાર
સોન ભંડાર બિહારના પ્રખ્યાત પર્યટન સ્થળ રાજગીરમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે સોન ભંડારની ગુફાઓમાં એક રહસ્યમય ખજાનો છે. સોન ભંડારની ગુફામાં એક રહસ્યમય દરવાજો છે. હજારો પ્રયત્નો પછી પણ આ દરવાજો કોઈ ખોલી શક્યું નથી. આ દરવાજો ખોલવા માટે ઘણી વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. આ ગુફાના દરવાજા પર મૂકેલા પથ્થર પર શંખના છીપમાં કંઈક લખેલું છે, જે આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. લોકોનું માનવું છે કે તેને ખજાનાના દરવાજા ખોલવાની વાત કહેવામાં આવી છે. જો કોઈ એને વાંચી લે છે તો ખજાના સુધી પહોંચી શકે છે.
ચારમિનાર ટનલમાં છુપાયેલો ખજાનો
હૈદરાબાદ સ્થિત ચારમિનાર અને ગોલકોંડા કિલ્લાને એક ટનલ જોડે છે. એવું માનવામાં આવે છે કે તેમને જોડતી ટનલમાં ખજાનો છુપાયેલો છે. સુલતાન મોહમ્મદ કુલી કુતુબ શાહે આ ટનલ બનાવી હતી. કહેવાય છે કે હૈદરાબાદના રાજવી પરિવારે આ સુરંગમાં ખજાનો છુપાવીને રાખ્યો છે. આ ખજાનો આજ સુધી કોઈ શોધી શક્યું નથી.
કૃષ્ણા નદીના ખજાનાનું રહસ્ય
આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે વિશ્વના શ્રેષ્ઠ હીરા મળી આવ્યા હતા. આ હીરા કોલ્લુરમાં કૃષ્ણા નદીના કિનારેથી મળી આવ્યા હતા. લોકોનું માનવું છે કે આ જગ્યાએ હીરાની ખાણ છે. એવું માનવામાં આવે છે કે ગોલકોંડામાં એક કુદરતી ખજાનો છે જ્યાં માત્ર હીરા જ હીરા છે. તેને શોધવા માટે બહુ પ્રયત્નો કર્યા ન હતા. તેનું રહસ્ય આજ સુધી અકબંધ છે.