ભારતના લોકો તરીકે આપણે ઈમોશનલ ગણાતા લોકો છીએ, સબંધો માટે આપણે જીવનના બલિદાન આપી દેતા પણ પાછી પાની કરતા નથી. આપણા માટે સબંધો અને પ્રેમ એ સૌથી ઉપરી અહેસાસ ગણાય છે. આવો જ એક પ્રસંગ કર્ણાટકના કોપ્પલ શહેરમાં પણ જોવા મળ્યો છે, જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
અહીના એક બિજનેસમેને પોતાના નવા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એમને એક વ્યક્તિની હાજરીએ આનંદથી ભરી દીધા, જયારે અન્ય લોકો આ દ્રશ્ય જોઇને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ વ્યક્તિ હતી બિજનેસમેન શ્રીનિવાસ મૂર્તિની પત્ની માધવી. માધવીની આ પ્રસંગના ત્રણ વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. માધવી જ્યારે પરિવાર સાથે તિરુપતિ બાલાજીના દર્શન માટે નીકળી હતી, ત્યારે પાછી ફરી શકી ન હતી.
ડીઝાઇન પણ માધવીએ જ તૈયાર કરી
જ્યારે માધવીનું આકસ્મિક અવસાન થયું એ સમયે જ એમના સપનાના મહેલની નીવ રાખવામાં આવી હતી. જો કે આ ઘર કેવું હશે અને કયા પ્રકારે તૈયાર કરવામાં આવશે એની આખી રૂપરેખા અને ડીઝાઇન પણ માધવીએ જ તૈયાર કરી હતી. જો કે શરૂઆતમાં આ દરેક કામને ઝીણવટ પૂર્વક એમણે જ તપાસ્યું અને જોયું હતું. જો કે આ ઘરનું બાંધકામ શરુ થાય એ સમયગાળામાં જ આકસ્મિક રીતે એમનું અવસાન થયું હતું.
પતિ અને દીકરીઓને માની કમી ખલવા લાગી
#Karnataka: Industrialist Shrinivas Gupta, celebrated house warming function of his new house in Koppal with his wife Madhavi’s silicon wax statue, who died in a car accident in July 2017.
Statue was built inside Madhavi’s dream house with the help of architect Ranghannanavar pic.twitter.com/YYjwmmDUtc
— ANI (@ANI) August 11, 2020
માધવી દ્વારા તૈયાર કરેલ ડીઝાઈન પ્રમાણે સપનાનું ઘર તૈયાર થયું ત્યારે પતિ શ્રીનિવાસ અને એમની બંને દીકરીઓને માધવીની કમી ખલવા લાગી હતી. એવા સમયે શ્રીનિવાસે આ કમીને પૂરી કરવા માટે બેંગ્લોરના એક શિલ્પકારનો સંપર્ક કર્યો હતો અને એની મદદ લઈને એમણે માધવીના એક પુતળાને બનાવવાનો નિર્ણય લીધો હતો. આ પુતળું સીલીકોનમાંથી બનાવવામાં આવ્યું છે. આ પુતળાને આબેહુબ માધવી જેવું બનાવવા માટે શ્રીનિવાસે આ શિલ્પકારને કામ સોપ્યું હતું.
મૂર્તિ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો
How much do you miss the person you love? This man from Bellary, Karnataka lost his wife in a car accident. And during his housewarming today he ensured she was present…by getting her wax statue done. Beautiful work by the artist too. So life like. Love finds a way ♥️ pic.twitter.com/vZYGtWiS3W
— Revathi (@revathitweets) August 10, 2020
આપને જણાવી દઈએ કે સીલીકોનમાંથી બનાવાયેલું આ પુતળું ચાલી અને બોલી શકતું નથી, પણ માધવીની કાર્બન કોપી જેવું જ લાગે છે. આ પૂતળાની કામગીરી એટલી બારીકી પૂર્વક કરવામાં આવી છે કે એવું જ લાગે છે કે વાસ્તવમાં માધવી જ સોફામાં બેઠી હોય. ઘરના ડ્રોઈંગ રૂમમાં માધવીની આ સીલીકોન પ્રતિમાને (પુતળાને) સોફા પર બેસાડવામાં આવ્યું છે. આ મૂર્તિ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. આ નાગે શ્રીનિવાસે જણાવ્યું કે હવે એમની પત્નીનું સપનું પૂર્ણ કરીને એમને શાંતિ અનુભવ થઇ રહી છે. પુતળા સ્વરૂપે જ હવે ઘરના વચ્ચે બેસીને એ પોતાના સપનાના ઘરમાં રહી શકશે.
જ્યારે આ ઘરના ગૃહપ્રવેશ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં આવેલા દરેક વ્યક્તિના હોશ માધવીને ઘરમાં જોઇને જ ઉડી ગયા હતા. દરેક જાણે માધવીને અહી સોફામાં બેઠેલી જોઈ હતી અને હક્કા બક્કા રહી ગયા હતા. જો કે એક નજરે જોઇને કોઈને પણ આ વાતનો અંદાઝ સુધ્ધા આવ્યો ન હતો કે આ વાસ્તવિક માધવી નહિ પણ એમનું પુતળું છે. પોતાની પત્નીને યાદ રાખવા માટે શ્રી નિવાસે મૂર્તિ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા છે એની ચર્ચાઓ હવે આખાય કોપ્પ્લમાં થઇ રહી છે. આ ખબર દરેક માટે હવે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
Source: Sakshi Samachar
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત