મૃત્યુ પહેલા મળે છે આ સંકેત, શિવજીએ જણાવ્યા હતા માતા પાર્વતીને

માણસ જ્યારે મૃત્યુ વિશે વાત કરે છે અથવા તો તેના વિશે વિચારે છે ત્યારે તેના મનમાં એક વિચિત્ર ભય વ્યાપી જાય છે. જો કે દરેક માણસ જાણે છે કે મૃત્યુ જીવનનું સૌથી મોટું સત્ય છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ એક દિવસ થવાનું જ છે. પરંતુ આ સત્ય જાણતા હોવા છતાં મનના ભયના કારણે આ તથ્યને લોકો સ્વીકારી શકતા નથી.

આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માણસના હાથની રેખાઓ પણ મૃત્યુ વિશે ઘણું જણાવે છે. જો માણસના હાથમાં આવેલી જીવન રેખા નાની હોય તો તે વ્યક્તિ અલ્પ આયુષ્ય ભોગવે છે અને મૃત્યુ પામે છે.

image source

ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર માણસના મૃત્યુનો સંબંધ તેના શરીર સાથે છે આત્મા સાથે નહીં. જ્યારે શિવ પુરાણમાં પણ શિવજીએ દેવી પાર્વતીને મૃત્યુના અટલ સત્યની વાત કરી છે. આ કથા અનુસાર એક સમયે દેવી પાર્વતીએ ભગવાન શંકરને પુછ્યું કે શું એવા કોઈ સંકેત છે જેનાથી જાણી શકાય કે તે માણસનું મૃત્યુ થવાનું છે ? અથવા તો તે માણસનું મૃત્યુ નજીકના સમયમાં થશે. આ પ્રશ્નના જવાબમાં ભગવાન શિવએ એવા સંકેત વિશે જણાવ્યું કે જે દર્શાવે છે કે તે માણસનું મૃત્યુ નજીક છે.

શિવ પુરાણમાં આવા 8 સંકેત જણાવાયા છે જે વ્યક્તિના મૃત્યુ તરફ સંકેત કરે છે. કયા કયા છે આ આઠ સંકેત જાણી લો તમે પણ.

image source

1. જ્યારે કોઈ વ્યક્તિનો રંગ પીળાશ પડતો થવા લાગે અથવા તો સફેદ કે પછી લાલ થવા લાગે તો તે ઈશારો હોય છે તેના આવનાર મૃત્યુ તરફનો. આવા વ્યક્તિનું મૃત્યુ ત્યારપછીના 6 માસમાં થાય છે.

2. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ પાણી, તેલ કે અરિસામાં જોવામાં અસમર્થ થઈ જાય તો તે દર્શાવે છે કે તે વ્યક્તિનું મોત આગામી 6 માસમાં થઈ શકે છે.

3. જ્યારે કોઈ વ્યક્તિના ડાબા હાથમાં વિચિત્ર મરોડ આવવા લાગે અને તે એક સપ્તાહથી વધુ સમય માટે રહે તો સમજી લેવું કે તે વ્યક્તિ એક માસથી વધુ જીવી શકશે નહીં.

image source

4. જ્યારે કોઈ વ્યક્તિને જીભ, મોં, આંખ, કાન અને નાક પથ્થર જેવા કઠોર થતા જણાય ત્યારે તે સંકેત 6 માસમાં આવનાર તેની મૃત્યુનો હોય શકે છે.

5. જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય કે અગ્નિ જેવા પ્રકાશને જોઈ ન શકે ત્યારે તે નજીકના ભવિષ્યમાં મૃત્યુ પામશે તેવું માનવામાં આવે છે.

6. જ્યારે કોઈ વ્યક્તિ તેની ઉંમર કરતાં વધારે જીવે છે તો તેમને તેમના ધડ રહિત છાયા દેખાય છે.

7. જો કોઈ વ્યક્તિની જીભમાં સૂજન આવે અને દાંતમાંથી પરુ નીકળે ત્યારે પણ તે વ્યક્તિનું મૃત્યુ નજીક હોવાનું માનવામાં આવે છે.

image source

8. જ્યારે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર, આકાશ માત્ર લાલ રંગના જ દેખાય ત્યારે પણ તેનું મૃત્યુ 6 માસમાં થાય તેવું માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ