મુસાફરી સમયે દેખાતી આ વસ્તુ આપી શકે છે તમને શુભ સંકેત, જાણો કેવો રહેશે તમારી પર આનો પ્રભાવ

જો તમે કોઇ કામથી કે બીજે ગમે ત્યારે મુસાફરી કરો છો તો તે સમયે તમને ઘણી વસ્તુ દેખાય છે. તેમાથી ઘણી વસ્તુ દેખાય તો તે શુભ ગણવામા આવે છે અને અમુક વસ્તુ દેખાય તે અશુભ કહેવામા આવે છે. તો આજે આપણે જાણશુ કે યાત્રા દરમિયાન કઇ વસ્તુ દેખાવાથી શુભ પરીણામ મળે છે. આપણે આ વસ્તુના અર્થ વીશે જાણશુ. તો ચાલો જાણીએ તેના વિશે.

image source

આપણે જ્યારે કોઇ કામથી ઘરની બહાર નિકળીએ છીએ ત્યારે કોઇ પણ માણસને છીંક આવે, કોઇ ટોકે અને જો બિલાડી રસ્તો કાપે છે તો આ બધા સંકેતો આપણે બધા અશુભ માનીએ છીએ. આપણે જ્યારે નાના હતા ત્યારથી આ વસ્તુ વિશે આપનને જણાવામા આવ્યુ છે. તેથી જો કોઇ કામથી બહાર જતુ હોય તો તેને રસ્તામા ના ટોકવુ જોઇએ. તેમ આપણને આપણા વડીલો દ્વારા શીખવાડવામા આવ્યુ છે. આમ આપણે આવા જ ઘણા શુભ સંકેતો વિશે જાણીશુ. તે સંકેત નીચે મુજબ છે.

રસ્તામા ગાયનુ દેખાવુ :

image soucre

તમે જ્યારે ઘરની બહાર જાવ છો અને તમને પહેલા ગાય દેખાય છે તો તે તમારા માતે શુભ ગણાય છે. આમ થવાથી તમારી યાત્રા સફળ અને શુભ રહે છે. આમ ભારતીય હિન્દુ ધર્મમા ગાયને માતા ગણવામા આવે છે અને તેની પુજા બધા લોકો કરે છે. આમ ગાયનુ છાણ એટલે કે તેનુ ગોબર દેખાય છે તો તેને પણ શુભ ગણવામા આવે છે. પરંતુ તેમા તમારો પગ પડે તો તે ઘટનાને અશુભ ગણવામા આવે છે.

અંતિમયાત્રા સામે મળવી :

તમે જ્યારે ઘરની બહાર જાવ છો અને તમને કોઇની અંતિમયાત્રા દેખાય અથવા તો તે સામી મળે તો તેને શુભ ગણવામા આવે છે. ઘણા લોકો એવા છે જે તેને અશુભ ગણે છે પરંતુ, આનુ દેખાવુ સારુ ગણવામા આવે છે. આનાથી તમારા ખરાબ થયેલ કામ સારા થશે. તમારા જીવનમા તમને સફળતા મળશે. તમે તમારી ઇચ્છાઓ અને સપનાઓ પુરા કરી શકો છો. આ સામી મલે ત્યારે તેને પ્રણામ કરીને તમારા કામ માટે આગળ વધવુ જોઇએ.

શંખ અથવા ઘંટ અવાજ સંભળાવવો :

image source

તમે જ્યારે બહાર જાવ છો ત્યારે કોઇ મંદીરમા ગમે તે જગ્યાએ શંખ અથવા ઘંટ અવાજ સંભળાય તેને શુભ ગણવા મા આવે છે. તમે જે કામ માટે જાવ છો તે બધા કામ સમયસર પુરા થાય છે. તેમા સફળતા મળે છે. તે સમય સારો વિતશે. ભગવાન દરેક પરીસ્થિતિમા સાથ આપશે.

પાણીથી ભરેલ વાસણ દેખાવુ :

image source

તમે ઘરેથી નિકળો છો અને તમને પાણીથી ભરેલ માટલુ અથવા કોઇ પણ વાસણ દેખાય તો તે તમારા માટે સારુ ગણવામા આવે છે. આમ થવાથી તમારા બધા કામ સફળ થશે. જો તમને પાણી સિવાય દુધ, દહિં અને છાશ દેખાય છે તો તેને પણ સારુ ગણવામા આવે છે. તમારા કામમા આવતી અડચણો દુર થશે.

જાનવર દેખાય :

image source

તમે ઘરેથી બહાર જાવ છો અને તમને રસ્તામા હાથી, ઘોડો અને સાપ દેખાય છે. તો તેને પણ શુભ ગણવામા આવે છે. તમે જે કામ માટે જાવ છો, તે સફળતાથી પુરુ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ