Site icon News Gujarat

નસીબમાં રાજયોગ છે કે નહીં આ રીતે જાણી લો તમે પણ, થશે એટલો મોટો લાભ કે ના પૂછો વાત

વ્યક્તિના ભાગ્યમાં ધનયોગ છે, કે નહીં તેની ભવિષ્યવાણી મોટા ભાગે લોકો કુંડળી પરથી જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલું આર્થિક સુખ ભોગવશો તે વાત હસ્તરેખા પરથી પણ જાણી શકાય છે. જો તમારી હથેળીમાં આ યોગ બની રહ્યો હોય તો નક્કી તમે ધનવાન બનશો જ.

image source

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં એવા કેટલાક ચિન્હો હોય છે, જેને શુભ અને રાજયોગના સૂચક માનવામાં આવે છે. જેમ કે શનિ પર્વત પર ત્રિશૂલનું નિશાન. તેવી જ રીતે હથેળીમાં ભાગ્ય રેખા અને ચંદ્ર પર્વતથી નીકળી રેખા જોડાયેલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે. તેવી જ રીતે હથેળીમાં હળ અથવા તલવારની નિશાની પણ શુભ માનવામાં આવે છે. આવા જાતકને પણ રાજયોગ સમાન ફળ મળે છે. આવા ચિન્હ જેમની હથેળીમાં હોય તેમને ધનની ક્યારેય ખામી રહેતી નથી.

image source

જીવનરેખા તમારા હાથની સૌથી મહત્વપૂર્ણ રેખા છે, જેમાં તમે તમારા જીવનની સાથે તમારી જિંદગીમાં થનારી મુખ્ય ઘટનાઓના અનેક રહસ્યો છૂપાયેલા હોય છે. જો તમારી આ રેખા ઉંડી અને ઘાટી અને લાંબી હોય તો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. તો બીજી તરફ તેનાથી વિપરિત તે પાતળી નાની અને આછી હોય તો તમારે અનેક પરેશાનીઓ ઉઠાવી પડશે.

image source

મસ્તિષ્ક રેખા કોઈ વ્યક્તિના જ્ઞાન અને વિવેકની જાણકારી આપે છે. સાથે જ તેને તમારા મનની સ્થિતિ વિશે પણ જાણકારી થઈ જાય છે. આ રેખાનું નાના હોવું એનો અર્થ એ થાય છે કે જો તમારા જીવનમાં કોઈ પણ ફેંસલો ભારે સુગમતા પૂર્વક લો છો. જ્યારે આ રેખાનું લાંબા હોવું એ દર્શાવે છે કે તમે કોઈ વાત ઉંડાણ પૂર્વક જાણીને તેનો નિર્ણય લો. લાંબી અને વળેલી રેખાનો અર્થ એ છે કે તમે રચનાત્મક વિચારસરણી ધરાવો છો.

જેની હથેળીમાં મંગળ પર્વત ઊંચો હોય અને સાથે જ મસ્તિષ્ક રેખા તેના છેડાથી બે ભાગમાં ફંટાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં લાંબી હોય તો તેને રાજયોગના સંકેત માનવામાં આવે છે. આવી વ્યક્તિ સુખ સમૃદ્ધિ અવશ્ય ભોગવે છે. તે સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસેની રેખા જો મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી અને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ મેળવે છે.

image source

જો વ્યક્તિની હથેળી પરની ભાગ્ય રેખા ચંદ્રમાંથી બહાર આવે છે, તો હાથ ખૂબ ભારે છે, પરંતુ અંગૂઠો પાછળની તરફ નમેલું છે અને તે જ સમયે અંતિમ અર્થની રેખા હાજર છે, અને મગજની જીવનરેખા દોષ રહિત છે, તો તે વ્યક્તિ ખૂબ સમૃદ્ધ છે. જો આપણે કહીએ કે આવા લોકો ફક્ત ધનિક બનવા માટે જન્મે છે, તો અમારું કહેવું ખોટું નહીં હોય. આવા લોકોનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે, અને તેઓ મોટાભાગે તેમના પૈસાની ગૌરવ કરવાનું શરૂ કરે છે.

હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને સાથે જ ભાગ્ય રેખા બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે પણ રાજયોગનો સંકેત છે. હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. તદ ઉપરાંત છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version