શું તમે જાણો છો કે આ કારણે પગમાં બંધાય છે કાળો દોરો, કારણ જાણીને નહીં કરો વિશ્વાસ
પગમાં કાળો દોરો બાંધવાની પરંપરા આપણે ત્યાં પ્રાચીન છે. શાસ્ત્રોના અનુસાર કાળો દોરો પહેરવાના અનેક ફાયદા પણ છે. ખાસ કરીને જ્યારે પગમાં કાળો દોરો બાંધવામાં આવે છે ત્યારે મનુષ્યના જીવનમાં મોટા ફેરફાર આવે છે. આ જ કારણ છે કે આજે પણ જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના પગમાં કાળો દોરો બાંધવાનો રિવાજ છે. લોકોનું માનવું છે કે તેને પહેરવાથી બાળકોને ખરાબ નજરથી બચાવી શકાય છે.
અનેક લોકો કાળા દોરાને ફેશનના રૂપમાં પહેરે છે અને કેટલાક લોકો તેને કોઈ અન્ય વ્યક્તિના કહેવાથી પહેરે છે. આ પહેરવાના અનેક ફાયદા હોય છે. તેનો સકારાત્મક પ્રભાવને સુનિશ્ચિત કરવા માટે કાળો દોરો પહેરવામાં આવે છે. આ દોરો પહેરતી સમયે કેટલીક સાવધાની રાખવી જરૂરી હોય છે. આ નિયમોનું પાલન નહીં કરો તો તેની નકારાત્મક અસર પણ થાય છે. આ માટે કાળો દોરો બાંધતી સમયે આ નિયમોનું પાલન અચૂક કરો.
કાળો દોરો 9 ગાંઠ મારીને પછી જ પહેરો
જે હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તે રંગના અન્ય કોઈ દોરાને એ જ જગ્યાએ ન બાંધો.
કાળો દોરો ફક્ત શુભ મૂહૂર્તમાં બાંધવો જોઈએ. જો તમે શુભ સમય નથી પ્રાપ્ત કરી શકતા તો તમારે કોઈ જ્યોતિષનો સંપર્ક કરવો.
કાળો રંગ શનિનો ગ્રહ છે. આ માટે કાળો દોરો પહેરવાથી તમારી કુંડળીમાં શનિ દોષના ગ્રહની સ્થિતિ નબળી બને છે.
તેને પહેર્યા બાદ દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાનું મહત્વનું રહે છે. આમ કરવાથી તેનો પ્રભાવ વધે છે. આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ગાયત્રીમંત્રનો જાપ કરો છો ત્યારે તેને માટેનો એક ચોક્કસ સમય નક્કી કરો.
તમે તમારા ઘરના દરવાજા પર લીંબુની સાથે કાળો દોરો બાંધી શકો છો. આ રીતે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.
જે બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે તેઓએ કાળો દોરો બીમારીઓથી લડવા માટે બાંધવો જોઈએ.
કાળા રંગમાં ગરમીને અવશોષિત કરવાની શક્તિ હોય છે એ રીતે નકારાત્મક અસરોથી બચવા ઢાલના રૂપમાં આ દોરો કામ કરે છે. આ મનુષ્યોને શનિ દોષની નકારાત્મક અસરથી બચાવે છે. ખાસ કરીને શ્રદ્ધા સાથે પગમાં બંધાતો દોરો તમારા જીવનની અનેક સમસ્યાઓને દૂર કરે છે.
આ સિવાય લોકોની ખરાબ નજરથી બચવા માટે પણ કાળો દોરો હાથ, પગ કે ગળામાં પહેરાય છે. જો તમે તમારી અંદરની તમામ નકારાત્મક ઉર્જાને અવશોષિત કરવાની ક્ષમતા રાખો છો તો ખરાબ નજર વ્યક્તિને પ્રભાવિત કરી શકતી નથી. જો તમે ખરાબ નજરથી બચવા ઈચ્છો છો તો તમે પણ આ કાળો દોરો પહેરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,