પંજાબની ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા PM મોદી, હાથમાં કરતાલ લઈને ભજનિક અંદાજ, જાણો અનોખા દાવ પેચ વિશે
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે સવારે કરોલ બાગ સ્થિત શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા અને ત્યાં શબદ-કીર્તનમાં સામેલ થયા. પીએમએ શ્રદ્ધાળુઓ સાથે સંગતમાં બેસી અને પોતે કરતાલ વગાડી. આ દરમિયાન વડાપ્રધાન ભક્તિમાં લિન દેખાયા. પીએમએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સંત રવિદાસ જયંતિના દિવસે બુધવારે સવારે દિલ્હી કરોલબાગ સ્થિત રવિદાસ મંદિર પહોંચ્યા અને જન-જન કલ્યાણ માટે પ્રાર્થના કરશે. દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાં
#WATCH | Prime Minister Narendra Modi takes part in 'Shabad Kirtan' at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti
Source: DD pic.twitter.com/pa2YLWqFnE
— ANI (@ANI) February 16, 2022
બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે વારાણસીના રવિદાસ મંદિરમાં દર્શન કર્યા હતા. સીએમ યોગીએ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદીને સંગતમાં જોઈને મહિલા ભક્તો ખૂબ જ ખુશ થઈ ગયા. ભક્તોએ કહ્યું કે આનાથી મંદિરની પ્રતિષ્ઠા વધુ વધી છે. પીએમ અહીં પહોંચતા જ મંદિરના સંચાલકોએ તેમને સંત રવિવડની પ્રતિમા આપીને તેમનું સન્માન કર્યું હતું.
સંત રવિદાસ 15મીથી 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા હતા અને તેમના ભજન ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમાના રોજ ઊજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે.