આજે અમે તમને એક ચર્ચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દર ચોમાસામાં ડૂબી જાય છે, અને ઉનાળા દરમિયાન પાછો ઉપર આવી જાય છે. આ ચર્ચ નું નિર્માણ ફ્રેન્ચ મિશનરીઓએ ૧૮૬૦ માં કર્યું હતું.
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે હજી પણ વૈજ્ઞાનિકો માટે રહસ્યમય છે. દેશમાં રહસ્યમય ઇમારતો અને કિલ્લાઓ ની વાર્તાઓ અને રચનાઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે આ લેખમાં અમે તમને તરતા ચર્ચ વિશે જણાવીશું. આ ચર્ચ ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબી જાય છે, અને ઉનાળા ની ઋતુમાં ઉપર આવી જાય છે. તો ચાલો આ અનોખા ચર્ચ વિશે જાણીએ..
કર્ણાટકમાં સ્થિત આ ભારત નું આ એકમાત્ર તરતું ચર્ચ છે. રાજ્યના હસન થી લગભગ બાવીસ કિમી દૂર આવેલા આ ચર્ચ ને શેટ્ટી હલ્લી રોઝરી ચર્ચ કહેવામાં આવે છે. સ્થાનિક લોકો તેને ડૂબી ગયેલું ચર્ચ અથવા તરતું ચર્ચ કહે છે. આ ચર્ચ હવે સંપૂર્ણ પણે ઉજ્જડ છે, અને અહીં પ્રવાસીઓ અથવા સ્થાનિક લોકો દ્વારા ક્યારેક જ મુલાકાત લેવામાં આવે છે. આ ખંડેર ચર્ચ કલા નો અદ્ભુત નમૂનો છે, જે આજે પણ એકદમ સુંદર લાગે છે.
જાણો કોણે તેનું નિર્માણ કર્યું છે
આ ચર્ચ નું નિર્માણ ફ્રેન્ચ મિશનરીઓ એ ૧૮૬૦ માં કર્યું હતું. હવે ખંડેર બની ગયેલું આ ચર્ચ હેમાવતી નદીના કિનારે આવેલું છે. આ ચર્ચ ની ખાસિયત એ છે કે વરસાદ ની ઋતુમાં તે પાણીમાં ડૂબી જાય છે. આ સ્થળ ને ભારતના ગુમનામ ડેસ્ટીનેશન માં શામેલ કરી શકાય છે. ૧૯૬૦ માં હેમાવતી નદી પર બંધ બાંધવામાં આવ્યો હતો, જે પછી ચર્ચ ની આસપાસની જમીન ધીમે ધીમે રેતાળ બની ગઈ હતી અને ચર્ચ પણ સૂમસામ બની ગયું હતું.
ચર્ચ ચારે બાજુથી પાણીમાં ડૂબી ગયું
આ ચર્ચની આસપાસ નો વિસ્તાર લગભગ આખું વર્ષ પાણીમાં ડૂબી રહે છે. આથી તેની વિશેષતા વધી જાય છે. જો તમે વરસાદ ની ઋતુમાં અહીં પહોંચો છો, તો ચર્ચ નો માત્ર એક તૃતીયાંશ ભાગ જ અહી દેખાય છે. રોઝરી ચર્ચ નું નવું નામ ધ ડ્રોઇંગ ચર્ચ રહસ્યમય આકર્ષક છે. આ નિર્જન ચર્ચ ઘણા પક્ષીઓનું ઘર છે. તે એક શાંત સ્થળ પણ ,છે જ્યાં પ્રવાસીઓ થોડી ક્ષણો શાંતિથી વિતાવી શકે છે.