શાકમાં અનેક એવા શાક છે જે આપણને ભાગ્યે જ ભાવે છે અને કેટલાક એવા હોય છે જે ખૂબ જ પ્રિય હોય છે. ભીંડા, બટાકા વગેરે એવા શાક છે જે ભાગ્યે જ કોઈને ન ભાવતા હોય અને સાથે જ કારેલા, કંકોડા, બીટ, પરવર, ટીંડોળા વગેરે એવા શાક છે જે ભાગ્યે જ કોઈને ભાવતા હશે. પણ જો તમે આજે અહીં આપેલા પરવળના ફાયદાને જાણી લેશો તો તમે પણ તેને ખાવા લાગશો.
લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો આયુર્વેદિક શાકની ગણતરીમાં આવે છે. તેના ગુણ વિશે અનેક લોકો જાણતા હોતા નથી. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ વગેરે મળે છે. તેનાથી હેલ્થને પણ અનેક ગણા ફાયદા થાય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી1, બી2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો મળી રહે છે. તેનો મૂત્ર સંબંધી સમસ્યાઓ અને ડાયાબિટિસની સારવારમાં મુખ્ય રીતે ઉપયોગ કરાય છે. આ સિવાય તેને કબજિયાત, સ્કીન પ્રોબ્લેમ્સ, પાચન સંબંધી તકલીફ, પ્રોબ્લેમ્સ, એજિંગ, કમળોની સમસ્યામાં પણ રાહત આપે છે. તો જાણો પરવળ ખાવાના શું છે ફાયદા.
લોહીને કરે છે સાફ
બ્લડ પ્યૂરીફાઈ કરવામાં પરવળ ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર શરીરના લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીનની દેખરેખ કરે છે. શરીરમાં લોહીની સફાઈ કરવાનું જરૂરી હોય છે તેનાથી અનેક પ્રકારની બીમારીથી બચાવ થઈ શકે છે. એવામાં પરવળ બ્લડને સાફ તો કરે છે અને સાથે લોહીના પ્રભાવને પણ સારું રાખે છે.
પાચન સુધારે છે
પરવળમાં ભરપૂર ફાઈબર હોય છે અને તેનાથી પાચન સારું રહે છે. આ ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ અને લિવરની સમસ્યામાં મદદ કરે છે. તેના રેગ્યુલર સેવનથી પાચનતંત્ર સારુ રહે છે.
એજિંગને કરે છે નિયંત્રિત
પરવળમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન એ અને વિટામિન સી રહેલું હોય છે. તે ફ્રી રેડિકલ્સના ગુણને નિયંત્રિત રાખે છે અને સાથે જ એજિંગની પ્રક્રિયાને ઓછી કરે છે.
કબજિયાત કરે છે દૂર
જો તમારા ઈન્ટસ્ટાઈનમાં વધારે અપશિષ્ટ પદાર્થ રહે છો તો તે અનેક બીમારીનું કારણ બને છે. તેના માટે તેને હળવાશમાં ન લો. તમે કબજિયાત સામે લડી રહ્યા છો તો પરવળના બીજ કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
બ્લડ શુગર એક લાઈફ સ્ટાઈલ અને વંશાનુગત બીમારી છે, ખાનપાનમાં ફેરફાર લાવીને તેને કંટ્રોલમાં રાખી શકાય છે. જ્યારે પરવળ બનાવો છો તો તેના બીજને ફેંકો નહીં. તેને ખાઓ. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે.
વજન ઘટાડે છે
પરવળમાં કેલેરી વધારે ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. જો તમે નિયમિત પરવળનું સેવન કરો છો તો તમારું વજન વધશે નહીં. તમારું પેટ ભરેલું રહેશે અને ભૂખ જલ્દી લાગશે નહીં. આ ફૂડ ક્રેવિંગને પણ ખતમ કરે છે.
ઈમ્યુનિટી વધારે છે
આયુર્વેદ અનુસાર પરવળ ઇમ્યુનિટી વધારે છે. આ સીઝનમાં થનારા ફ્લૂ અને ઠંડીથી તમને બચાવે છે.
કમળામાં કરે છે ફાયદો
લિવરને માટે ફાયદો કરે છે. કમળામાં પણ રાહત આપે છે. તે લિવરની કાર્યક્ષમતા વધારે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે.
જાણો અન્ય ઉપયોગ અને ઉપયોગની રીત
- માથાનો દુઃખાવો હોય તો પરવળને પીસીને માથા પર લગાવો, રહાત મળશે.
- પરવળના પાનને ઘીમાં ફ્રાય કરીને ખાવાથી આંખની સમસ્યામાં રાહત મળે છે.
- હર્ફિસના રોગમાં પરવળના પાન,મગની ગાળ અને કેરીનો રસ મિક્સ કરીને ઉકાળો બનાવો. તેને પીઓ. દર્દમાં રાહત મળશે.
- સ્મોલ પોક્સની શરૂઆતમાં જ તેના જડ અને પાનને મુલેઠીની સાથે મિક્સ કરીને ઉકાળો બનાવીને પીવાથી રાહત મળે છે.
- કોથમીરની સાથે પરવળના પાનના રસને બરોબર મિક્સ કરીને ઉકાળો બનાવો. તેના ઉપયોગથી તાવ ઉતરી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,