Site icon News Gujarat

પત્નીના મૃત્યુ બાદ પતિએ ચાલુ ટ્રેને ફેસબુક લાઈવ કરીને મોતને કર્યુ વ્હાલુ, પરિવારમાં શોકનો માહોલ

નવા વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના જલગાંવમાં એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીના મોતના વિયોગમાં આત્મહત્યા કરી લીધી છે. વ્યક્તિએ પહેલા ફેસબુક લાઈવ વીડિયોમાં એક સંદેશ રજૂ કર્યો હતો. મૃતક યુવકનું નામ પ્રમોદ છે. તેમણે આ પગલુ ભરતા પહેલા એક સંદેશ શેર કર્યો હતો. પ્રમોદે ફેસબુક લાઈવના માધ્યમમાં માતા-પિતાના નામે એક સંદેશમાં કહ્યું હતું કે, હું મારો ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું. હું આ પગલું એટલા માટે ઉઠાવી રહ્યો છું કારણ કે મારી પત્ની હવે આ દુનિયામાં નથી રહી.

પત્નીએ ઝેર ખાઈના આત્મહત્યા કરી દીધી હતી

image source

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલા પ્રમોદની પત્નીએ ઝેર ખાઈના આત્મહત્યા કરી દીધી હતી. માનવામાં આવે છે કે બંનેના લવ મેરેજ થયા હતા. તેમના બે માસૂમ બાળકો પણ હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે મરતા પહેલા પ્રમોદે ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભો રહિને એક ફેસબુક લાઈવ વીડિયો સંદેશ રજૂ કર્યો હતો. જેમાં તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રમોદ શેટેની લાશ પાટા પર ક્ષતવિક્ષત હાલમાં મંગળવારે બપોરે મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે ટ્રેનથી કપાઈને પોતાનો જીવ આપી દીધો હતો. પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

હું મારો ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું

image source

નોંધનિય છે કે પ્રમોદે ફેસબુક લાઈવના માધ્યમમાં માતા-પિતાના નામે એક સંદેશમાં કહ્યું હતું કે, હું મારો ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું. ફેસબુક Live જોઈને પ્રમોદના મિત્રોએ પ્રમોદના માતા-પિતાને તેની જાણકારી આપી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી વાર થઈ ગઈ હતી અને પ્રમોદનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

કરવા ચૌથના દિવસે પતિએ કરી આત્મહત્યા

image source

આવી એક ઘટના કરવા ચોથના દિવસે સામે આવી હતી. આ ઘટના ઈંદોરની છે, જ્યાં એક પતિ પોતાની પત્નીની નારાજગીથી કરવા ચૌથના દિવસે સલ્ફાસ ખાઈને મોતને વળગી ગયો. મોડી સાંજ સુધી પત્નીના વિયોગમાં તડપતા પતિએ આખરે પોતાનું જીવન ટૂંકાવી લીધું.જાણકારી અનુસાર, પત્નીને તેના પિયરપક્ષ સાસરે મોકલવા દેવા માગતા નહોતા. જેને લીધે તણાવમાં ચાલી રહેલા પતિની સહનની સીમા તૂટી ગઇ અને આખરે તેણે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. મૃતક પતિનું નામ રંજીત બડજાત્યા છે.

રંજીતના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા

image source

મૃતકના પિતા અનુસાર, તેના 22 વર્ષના દીકરા રંજીતના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે અને નવરાત્રિના પહેલા દિવસે દીકરાની પત્નીને તેના પિયરપક્ષે ફોન કરી બોલાવી અને જ્યારે તેના પિયરપક્ષી તેને લઇ ગયા અને તેમણે પોલીસ સ્ટેશનમાં પત્ની સાથે મારપીટ અને અન્ય યુવતી સાથે સંબંધ બનાવવાની રિપોર્ટ દાખલ કરી. તેમ છતાં પતિ પોતાની પત્નીને પાછી લાવવાની કોશિશમાં લાગ્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો અને અંતે તેણે જ્યારે તેની પત્ની ઘરે પાછી ફરી નહીં તો આત્મહત્યા કરી લીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂરા મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પછી જ આખા મામલાનો ખુલાસો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version