પત્ની સાથે અફેરની જાણ થતાં પતિનો પિત્તો ગયો, અને યુવાનને દારૂ પીવડાવી કુવામાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતાર્યો

20 દિવસ પહેલાની વાત છે કે જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં એક કૂવામાંથી શ્રમિક યુવક નિલેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. નિલેશ વિશે જો વાત કરીએ તો જેતપુર તાલુકાના કેરાળી ગામે મૂળ ભરૂચનો નિલેશ તેના પરિવાર સાથે કેરાળી ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો. નિલેશ વાડીએ જ રહી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ 27 નવેમ્બરના રોજ ગુમ થતા તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં વાડીના કુવામાંથી તેનો મૃતદેહ મળી આવતા વીરપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે તપાસ ચલાવતાં મૃતકને કૌટુંબિક મામી સાથેના પ્રેમપ્રકરણમાં મામા વિનુભાઈ વસાવાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હોવાનું ખૂલતાં પોલીસે આરોપી મામાની અટકાયત કરી છે.

image source

વિગતે વાત કરવામાં આવે તો પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, નિલેશને મામી કવિતાબેન સાથે આડાસંબંધ હોવાની જાણ મામા વિનુભાઈને થઈ ગઈ હતી, આથી નિલેશને ધોમ દારૂ પીવડાવી મામા વિનુભાઈએ કૂવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશ વસાવા છેલ્લાં ચાર વર્ષથી પોતાના પરિવાર સાથે રહી જેતપુર તાલુકાના કેરાળી ગામે રહેતા વજુભાઈ બાલધાની વાડીએ જ રહી ખેતમજૂરી કામ કરતો હતો. ગત 27 નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતાં તેમનાં પત્ની કૈલાસબેને વીરપુર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી.

image source

ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી અને ત્યાર બાદ ગુમ થયેલા નિલેશનો મૃતદેહ કેરાળી ગામથી 20 કિલોમીટર દૂર રણછોડભાઈ રામોલિયાની વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો. જ્યારે વાત સામે આવી તે સમયે વીરપુર પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતની તપાસમાં કોલ-ડિટેઇલ અને લોકેશનમાં બનાવ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. આ પહેલાં પણ મૃતક નિલેશના ફોન કોલ-ડિટેઈલમાં તેને કોઈ મહિલા સાથે સંબંધ હોવાની વાત પોલીસમાં ધ્યાને આવી હતી. આથી બનાવ અંગેની તપાસ બાદ આ ઘટના હત્યા હોવાનું ખૂલતાં પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. જો હત્યા અંગેની મળતી વિગત મુજબ વાત કરવામાં આવે તો મૃતક નિલેશને તેના કૌટુંબિક મામા વિનુભાઈ વસાવાની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગેની વિનુભાઈને જાણ થઇ જતાં તેમણે નિલેશને રણછોડભાઈ રામોલિયાની વાડીએ બોલાવી અને ચિક્કાર દારૂ પીવડાવીને ત્યાં આવેલા કૂવામાં ધક્કો મારીને ફેંકી દેતાં તેનું મોત થયું હતું.

image source

પારિવારિક હાલત વિશે મળતી વિગત પ્રમાણે મૃતક નિલેશને સંતાનમાં ત્રણ મહિનાનો પુત્ર અને બે પુત્રી હોવાનું, જ્યારે આરોપી વિનુને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વિનુ વસાવાની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, જેતપુરના કેરાળી ગામે 20 દિવસ પહેલા કુવામાંથી નિલેશ રણછોડભાઈ વસાવા (ઉં.વ.25)નો મૃતદેહ મળી આવ્યો હતો. આથી વીરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસ તપાસમાં નિલેશને કેરાળી ગામમાં રહેતા વિનોદ દિપસંગ વસાવાની પત્ની કવિતા સાથે પ્રેમ સંબંધ હોવાથી વિનોદે નિલેશને ચિક્કાર દારૂ પીવડાવી કુવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે. ત્યારે હવે પોલીસે વિનોદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત