પેંશનધારકો માટે ખુશખબર! હવે NPSમાંથી પૂરા પૈસા ઉપાડી શકશે ખાતાધારકો
પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સિસ્ટમનાv સબ્સ્ક્રાઇબર્સને તેમના પૂરા પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. એટલે કે, હવે NPS સબ્સ્ક્રાઇબર્સ પેન્શન ખાતામાંથી આખી રકમ ઉપાડી શકશે. પીએફઆરડીએના જણાવ્યા મુજબ, જે સબ્સ્ક્રાઇબર્સ જેની કુલ પેન્શન કોર્પસ 5 લાખ અથવા તેથી ઓછી છે, તેઓ એન્યુઇટી ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ પૈસા પાછા ખેંચી શકે છે.
અત્યારે શું નિયમ છે?
જણાવી દઈએ કે હાલમાં, પેન્શન ફંડમાં બે લાખ રૂપિયાથી વધુના મામલામાં, ભંડોળ ધારક નિવૃત્તિ પર અથવા 60 વર્ષની વય પુરી થયા બાદ વધુમાં વધુ 60 ટકા રકમ ઉપાડી શકે છે. પીએફઆરડીએ જણાવ્યું હતું કે જો ફંડમાં રકમ 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો ધારક પુરી રકમ ઉપાડી શકે છે, તેમને વીમા યોજના ખરીદવાની જરૂર નથી, એટલે કે નિવૃત્તિ સમયે અથવા 60 વર્ષની વય પ્રાપ્ત થવા પર 2 લાખ રૂપિયાથી વધુની રાશિ વાળા એનપીએસ ખાતા ધારકોને વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતી વાર્ષિકી ફરજિયાત ધોરણે ખરીદવાની હોય છે.
PFRDAએ શું કહ્યું?
PFRDA એ એમ પણ કહ્યું હતું કે પેન્શન ફંડમાંથી સમયપૂર્વે એક સાથે ઉપાડની મર્યાદા પણ હાલના 1 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરી દેવામાં આવી છે. તે જ સમયે, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જોડાવા માટેની ઉપલી વયમર્યાદા હવે ઘટાડીને 70 વર્ષ કરવામાં આવી છે અને બહાર નીકળવાની મર્યાદા 75 વર્ષ કરી દેવામાં આવી છે.
એનપીએસ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જે 2004 માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. વર્ષ 2009 થી, આ યોજના ખાનગી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ ખોલવામાં આવી હતી. આ યોજના નાણાં મંત્રાલયના પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે. પેન્શન ફંડ્સ, પેન્શન ફંડ્સની યોજનાઓના વિકાસ અને નિયમન દ્વારા વૃદ્ધાવસ્થાની આવકની સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને તેની સાથે સંબંધિત અથવા આકસ્મિક બાબતોમાં સબ્સ્ક્રાઇબર્સના હિતોની સુરક્ષા માટે તેની સ્થાપના કરવામાં આવી છે.
તમે NPS ઓનલાઇન ખોલી શકો છો
>> ઇએનપીએસ ખોલવા માટે Enps.nsdl.com/eNPS અથવા Nps.karvy.com લિંક પર ક્લિક કરો.
>> ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારી વિગતો અને મોબાઇલ નંબર ભરો. તમારો મોબાઇલ નંબર OTP દ્વારા વેરિફાઈ થશે, બેંક ખાતાની વિગતો ભરો.
>> તમારા પોર્ટફોલિયો અને ફંડની પસંદગી કરો.
>> આ માટે તમે નોમિનીનું નામ ભરો.
>> જે ખાતાની વિગતો તમે ભરી છે, તમારે તે ખાતાનો કેન્સલ ચેક આપવો પડશે. તમારે કેન્સલ ચેક, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવી પડશે.
>> તમારે તમારૂ એનપીએસમાં રોકાણ કરવું પડશે.
>> ચુકવણી કર્યા પછી તમારો પરમાનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર જનરેટ થશે. તમને ચુકવણીની રસીદ પણ મળશે.
>> રોકાણ કર્યા પછી, e-sign/print registration form ફોર્મ પેજ પર જાઓ.
અહીં તમે પાન અને નેટબેંકિંગ સાથે નોંધણી કરાવી શકો છો. આ સાથે તમારું કેવાયસી (Know your customer) થઈ જશે. નોંધણી કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તે તમારા બેંક ખાતામાં આપવામાં આવેલી વિગતો સાથે મેળ ખાતું હોવું જોઈએ. હાલમાં 22 બેંકો એનપીએસ ઓનલાઇન લેવાની સુવિધા આપી રહી છે. તેમની માહિતી NSDLની વેબસાઇટ પર મળશે.