પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંત, કોચિંગ સંચાલકની પત્નીએ લોહીથી ‘I Love You’ બેબી લખીને કર્યુ કંઇક એવું કે…
કાનપુરમાં પ્રેમ પ્રકરણમાં મોતનો કેસ સામે આવ્યો છે. જો કે આ મોત એક આત્મહત્યા છે. ઉલ્લેખનીય છે કે કાનપુરમાં કાકાદેવના કોચિંગ સંચાલક અવનીશ શર્માની પત્ની કમલપ્રીત કૌરે કલ્યાણપુર સ્થિત સાસરિયાના ઘરમાં હાથની નસ કાપી ફાંસી લગાવી લીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસને મળેલી સુસાઇડ નોટમાં કમલપ્રીતે સ્વેચ્છાએ આપઘાત કરવા અને મૃત્યુ બાદ પતિ અને સાસરિયાવાળાને પરેશાન ન કરવાની વાત લખી છે.
સુસાઈડ નોટમાં લખી છે આ મહત્વની વાત
અવનીશ શર્માની પત્ની કમલપ્રીત કૌરે આપઘાત પહેલાં એક નોટ લખી છે. તેણે આપઘાત નોટના અંતમાં લોહીથી આઇ લવ યુ..લખી પતિ પ્રત્યે પ્રેમનો એકરાર પણ કર્યો છે. તો કમલપ્રીતના પિયરજનોએ સાસરિયા પર હત્યા કરી મૃતદેહને ફંદા પર લટકાવવાનો આરોપ લગાવ્યો છે.
આવી છે આખી ઘટના
નઝીરાબાદ નિવાસી રંજીત સિંહે જણાવ્યું કે એક વર્ષ પહેલા તેમની પુત્રી કમલપ્રીત કૌર કાકાદેવ સ્થિત કેરિયર કોચિંગ સેન્ટરમાં નોકરી કરવા માટે ગઇ હતી.
ત્યાં કલ્યાણપુર નિવાસી કોચિંગ સંચાલક અવનીશ શર્મા સાથે તેના પ્રેમ સંબંધ થઇ ગયા હતા. અંદાજે સાત મહિના પહેલા બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા. ત્યારબાદ કમલપ્રીત પતિ સાથે કલ્યાણપુરમાં સાસરીમાં રહેવા લાગી હતી. આરોપ છે કે લગ્નના થોડા જ દિવસો બાદ જ પતિ અને સાસરિયાવાળાએ કમલપ્રીતનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું.
અચાનક 28 ઓગસ્ટે તેના રૂમમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો. તેણે ફંદાથી લટકીને આત્મહત્યા કરી હતી. તેના હાથની નસ કાપેલી હતી. પુત્રીની મોતની સૂચના પર પહોંચેલી માતા હરપ્રીત કૌર, ભાઇ લવપ્રીત સહિત પરિવારના અન્ય સભ્યો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા.
પોલીસે કહી આ વાત
કેસની તપાસમાં પોલીસ અધિકારી અજય સેઠે જણાવ્યું કે મૃતકાની પાસેથી સુસાઇડ નોટ મળી છે. પિયરજનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
કમલપ્રીતના પરિવારજનોએ કહી છે આ વાત
પરિવારજનોએ જણાવ્યું કે પુત્રીના પ્રેમ સંબંધની જાણકારી થયા બાદ તેઓએ પુત્રીને કોચિંગ જવા માટે મનાઇ કરી હતી. ત્યારબાદ પણ બંને છૂપાઇ મળવા લાગ્યા. ત્યારબાદ પરિવારજનોને જણાવ્યા વગર લગ્ન કરી લીધા. નારાજ પરિવારજનોએ કમલપ્રીત સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
પતિની બેવફાઇ અને મારપીટથી આહત આવીને તેની પુત્રીએ એક સપ્તાહ પહેલા પોતાની માતાને કોલ કરી પતિની ફરિયાદ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે તેના પતિનું કોઇ અન્ય યુવતી સાથે અફેર છે. તે કલાકો સુધી ફોન પર વાતો કરતા રહે છે. વિરોધ કરવા પર મારપીટ પણ કરે છે. આજે જ્યારે તેનું મોત થયું છે ત્યારે પિયરપક્ષ સાસરી પક્ષને મોત માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત