હવે પ્રિયંકા ચોપરા પણ લઈ રહી છે ડિવોર્સ? આટલી મોટી સાબિતી આપતા જ સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો

પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી છે. વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયેલા નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા એક આદર્શ કપલ તરીકે જોવામાં આવ્યા હતા. જો કે હવે પ્રિયંકાએ કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા. વાત જાણે એમ છે કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી, પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા સાથે ‘જોનાસ’ સરનેમ એડ કરી હતી. પરંતુ અચાનક તેણે તેના તમામ એકાઉન્ટમાંથી ‘જોન્સ’ સરનેમ કાઢી નાખી અને તેને બદલીને પ્રિયંકા ચોપરા કરી દીધી. પ્રિયંકા ચોપરાએ આવુ કર્યું એ પછી એમના અને નિક જોનાસના સંબંધને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ઘણા લોકો ટ્વીટર પર આ કપલના ડિવોર્સ સુધીની વાત કરી રહ્યા છે.

image soucre

જ્યારથી પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તેના નામમાંથી નિક જોનાસની સરનેમ હટાવી દીધી છે, સોશિયલ મીડિયા પર લોકો તેને વિવિધ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.

એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું કે, શું પ્રિયંકા ચોપરા છૂટાછેડા લઈ રહી છે. તો બીજા યુઝરે લખ્યું, ‘પ્રિયંકા ચોપરાએ તેના નામમાંથી જોનાસ સરનેમ હટાવી દીધી છે.

image soucre

પ્રિયંકા ચોપરાની જોનાસ સરનેમ હટાવ્યા બાદ અન્ય એક યુઝરે લખ્યું, ‘પોતાના છૂટાછેડા વિશે કહેવાની આ એક નવી રીત છે. અન્ય એક ટ્રોલરે પ્રિયંકાની ખેંચી છે અને લખ્યું, જેટલી મહેનત મેં આ પ્રિયંકા ચોપરા જોનસને ટ્રાન્સલેટ કરવામાં કરી છે જો એટલી મહેનત હું ફિઝિકસમાં કરી લેતી તો મારા પુરેપુરા ગુણ આવતા

image soucre


પ્રિયંકા ચોપરાએ પોતાની સરનેમ હટાવ્યા બાદ જ્યાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેના છૂટાછેડા પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીને પસંદ કરતા લોકો તેમના લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું કે, પ્રિયંકા ચોપરાએ અચાનક તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિની સરનેમ હટાવી દીધી છે. અચાનક આવું કેમ? હું આશા રાખું છું કે તેમની વચ્ચે બધું બરાબર છે અને કોઈની નજર ન લાગે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘આવનારા સમયમાં વધુ ડ્રામા ખુલશે. પ્રિયંકાની આ પોસ્ટ પછી કોઈએ તેને ખેલ પણ કહ્યો હતો. અન્ય એક યુઝરે લખ્યું, ‘પ્રિયંકા ચોપરાએ તેની સરનેમમાંથી તેના પતિનું નામ હટાવી દીધું છે, જે તેમના છૂટાછેડાની અફવાઓમાં વધારો કરી રહ્યું છે.’

image soucre

કોઈએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર વિચાર્યું હશે.’ મને અચાનક એવું લાગ્યું કે પ્રિયંકા ચોપરાએ તેના નામની આગળ એમનું લાસ્ટ નેમ કેમ લગાવ્યું છે. તે પોતાના પિતાનું નામ પોતાની સાથે રાખી શકે છે. તે પોતાની રીતે સ્વતંત્ર વ્યક્તિ છે. તમે પરિણીત છો એટલા માટે જ તમારું નામ બદલવું. હું ખુશ છું કે પ્રિયંકાએ આ પગલું ભર્યું.