Site icon News Gujarat

રહેણાંક વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 7 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં શુક્રવારે ઈમારત ધરાશાયી થતા 7 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઉલ્હાસનગરમાં નહેરુ ચોક ખાતે આવેલી સાંઈ શક્તિ બિલ્ડિંગનો મધ્ય ભાગ તૂટી પડ્યો. અકસ્માત બાદ અંધાધૂંધીનું વાતાવરણ હતું. સ્થાનિક લોકો ઉપરાંત ફાયર બ્રિગેડના જવાન, મનપા અને ટીડીઆરએફ ટીમ સહિત પોલીસ દળ મદદ માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

image source

આ ઘટનામાં, 7 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવાય છે. કેટલાક લોકો હજી પણ બિલ્ડિંગમાં ફસાયેલા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મકાનનો મધ્યમ ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર વાળા પાંચ વધુ ફ્લોર શામેલ છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

image source

અકસ્માત અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે જ સમયે, અકસ્માતનાં મુખ્ય કારણોની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે. નિગમે કહ્યું કે, ટીમ આ અકસ્માતનાં મુખ્ય કારણો શોધી કાઢશે અને અકસ્માત માટે દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

image source

અકસ્માત સમયે ત્યાં હાજર લોકોનું કહેવું છે કે મકાન અચાનક ધરાશાયી થયું હતું. તે જ સમયે, ઓછી જગ્યાને કારણે, બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે નહેરુ ચોક વિસ્તારમાં આવેલી ઇમારતનું નામ સાંઇ સિદ્ધિ છે. તેનો 5માં માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળમાંથી હજી સુધી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. ત્યાં બિલ્ડિંગમાં 29 પરિવારો રહેતા હતા. આ ઇમારત 1994- 95 ની વચ્ચે બનાવવામાં આવી હતી.

image source

મૃતકોમાં 4 મહિલાઓ, 3 પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં પૂનિત બજોમલ ચાંદવાણી (17 વર્ષ), દિનેશ બજોમલ ચાંદવાણી (40 વર્ષ), દિપક બજોમલ ચાંદવાણી (42 વર્ષ), મોહિની બજોમલ ચાંદવાણી (65 વર્ષ), ક્રિષ્ના ઇનુચંદ બજાજ (24 વર્ષ), અમૃતા ઇનુચંદ બજાજ (54 વર્ષ), લવલી બજાજ (20 વર્ષ)

આ પહેલા 15 મેના રોજ ઉલ્હાસનગરમાં રહેણાંક ઈમારતોનો એક ભાગ પડ્યો હતો. જેના કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં 9 ફ્લેટ અને 8 દુકાન હતી. આ દુ: ખદ ઘટના બાદ મૃતકના પરિવારજનોને 5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. અકસ્માત બાદ જનરલ કમિશનર ડો.રાજા દયાનિધિએ તમામ બિલ્ડિંગોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version