Site icon News Gujarat

કોવિડ-19ની ચિંતાને કારણે કપલ લગ્નને નાનું અને ખાનગી રાખવા માંગતા હતા, તેથી તેમણે માત્ર મર્યાદિત મહેમાનોને આમંત્રિત કર્યા

બોલિવૂડમાં ફરીથી લગ્નના ઢોલ સંભળાઇ રહ્યા છે.. અને આ વખતે લગ્ન છે એક પછી એક હિટ ફિલ્મો આપી ચૂકેલા રાજકુમાર રાવ અને તેમની ગર્લ ફ્રેન્ડ પત્રલેખાના.. કોવિડ-19ની ચિંતાને કારણે કપલ લગ્નને નાનું અને ખાનગી રાખવા માંગેછ. તેથી તેમણે માત્ર મર્યાદિત મહેમાનોને આમંત્રણ આપ્યું છે.. બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખાના લગ્ન વિશેની ચર્ચાઓ આજકાલ ખૂબ જ ચાલી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, આજે એટલે કે 10 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી રાજકુમાર અને પત્રલેખા પોતાના લગ્નના ફંક્શનમાં વ્યસ્ત રહેશે. હવે આ કપલના લગ્નનું સ્થળ પણ સામે આવ્યું છે.

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન વિશે આજે થશે ખુલાસો

માત્ર પસંદગીના મહેમાનોને જ કર્યા છે આમંત્રિત

આ શહેરમાં થશે લગ્ન

image source

અફવાઓ અનુસાર, આ કપલ લગ્ન માટે પરિવાર સાથે ચંદીગઢ જવા ગઈ કાલે જ રવાના થયું હતું. એનો અર્થ સ્પષ્ટ છે કે બંને ચંદીગઢથી જ લગ્ન કરવાના છે. જો કે રાજકુમાર અને પત્રલેખાએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે હવે આજે આ કપલના લગ્નને લઈને બધી જ અફવાઓ અને દાવાઓનો જવાબ મળી જશે.

થશે ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન

image source

એક અહેવાલ અનુસાર, રાજકુમાર રાવ ચંદીગઢમાં ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન કરશે. તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માત્ર પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કર્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રલેખાનો પરિવાર શિલોંગથી આવી ચૂક્યો છે અને આ કપલ 10-11-12 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

આ કારણે ચંદીગઢ પસંદ કર્યું

image source

અહેવાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલ મુંબઈમાં એક ઇન્ટિમેટ વેડિંગ સેરેમનીમાં સાત ફેરા લેશે. કોવિડ-19ની ચિંતાને કારણે કપલ લગ્નને નાનું અને ખાનગી રાખવા માંગતા હતા. તેથી તેમણે માત્ર મર્યાદિત મહેમાનોને આમંત્રિત કર્યા છે અને તેમણે ચંદીગઢને પસંદ કર્યું છે.

image source

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે.. અને ટુંક સમયમાં તે બંન્ને લગ્નના તાંતણે બંધાઇ જશે.. હવે આ ખાસ લગ્નમાં કોને કોને આમંત્રણ મળ્યું છે અને કોણ કોણ સામેલ થશે તે જાણવા તમારે હજી થોડી વધારે રાહ જોવી પડશે..

Exit mobile version