રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટેના દર કરવામાં આવ્યા નક્કી
રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય – રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટેના દરો નક્કી કરવામાં આવ્યા, હવે પ્રાઇવેટ હોસ્પિટલવાળા કોવિડ 19ની સારવાર માટે દર્દીને નહીં લૂંટી શકે – રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, કોવિડ સારવારના નામે ચાલતી બેફામ લૂટણલીલાનો આવશે અંત – રાજ્ય સરકારે નક્કી કર્યા સારવારના દરો
જ્યારથી દેશમાં કોવિડ 19ની મહામારી શરૂ થઈ છે અને જે જે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા તે બધાની સતત એ ફરિયાદ રહી છે કે તેમની પાસેથી બેફામ સારવારના દરો વસુલવામા આવી રહ્યા છે. અને ગુજરાત રાજ્યમાં પણ આ ફરિયાદ અવારનવાર દર્દીઓ તેમજ તેમના સગાસંબંધીઓ દ્વારા સાંભળવામાં આવી છે. આ અગણિત ફરિયાદો છેવટે રાજ્ય સરકારના કાને પડી છે અને તેમણે હવે આ બાબતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ19ની સારવાર લઈ રહેલા દર્દીઓને રાહત મળશે.
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897માં કરવામાં આવેલી જોગવાઈને અંતરગત લેવામા આવ્યો છે. અને તે હેઠળ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં એવા દર્દીઓ કે જેઓ પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે તેમના માટે દર નક્કી કર્યા છે.
આ પ્રમાણેના રહેશે નિયત દર
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરો પ્રમાણે આઈસીયુની સિવુધા વગરની આરોગ્યલક્ષી સેવાઓ માટે વોર્ડ માટે પ્રતિદિવસ રૂ. 5700 અને હાઈ ડિપેન્ડન્સી યુનિટમાં રોજના 8075ના સીલીંગ રેટ નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ દર્દીને આઈસીયુમાં સારવાર આપવામા આવી રહી હોય તો તેવી આરોગ્યલક્ષી સારવાર માટે રોજ પ્રતિ પથારીએ વોર્ડનો દર 6000 રૂપિયા રાખવામા આવ્યો છે, તેવી જ રીતે હાઇ ડિપેન્ડન્સી યુનિટ માટે 8500 રૂપિયા રેટ રાખવામા આવ્યો છે. આ સિવાય આઇસોલેશનની સાથે સાથે આઈ.સી.યુની સારવારના દર 14,500 રૂપિયા રાખવામા આવ્યો છે જ્યારે વેન્ટિલેટર અને આઇસોલેશન અને આઈસીયુ સાથેના દર રૂપિયા 19000 રાખવામા આવ્યો છે.
આ બાબતેના આદેશ પણ રાજ્ય સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપી દેવામા આવ્યા છે. જો કે તમને એ જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામા આવેલા આ દર અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર તેમજ રાજકોટની મહાનગરપાલિકાના વિસ્તારોને લાગુ પાડવમાં નહીં આવે. તેની પાછળનું કારણ એ છે કે આ વિસ્તારોમાં પહેલેથી જ દરો નક્કી કરી આપવામાં આવ્યા છે.
હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે તમને મા-વાત્સલ્ય અને મા યોજનાનો લાભ મળી રહ્યો છે તો તેમાં તમને શું લાભ મળશે તો તમને જણાવી દઈ કે તે માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે.
નક્કી કરેલા દરોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા આ દરોમાં દર્દીને બે ટાઈમનું ભોજન, સવારનો નાશ્તો, સાંજની ચા અને નાસ્તો તેમજ પી.પી.પીઈ. કીટ્સ, એન-95 માસ્ક, તેમજ રૂટીન દવાઓ, રૂમના ચાર્જીસ, નર્સિંગ ચાર્જિસનો સમાવેશ થાય છે.
આ દવાઓ, ઇન્જેક્શનનો તેમજ લેબોરેટરી ટેસ્ટ્સના દરો ચૂકવવા પડશે અલગથી
આ નક્કી કરવામા આવેલા દરોની સાથે સાથે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એવી પણ ખાસ સ્પષ્ટતા કરવામા આવી છે કે કોવિડ-19ની સારવાર દરમિયાન જો ટૉસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ તેમજ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે જરૂરી દવાઓ, તેમજ પ્રોફિલેક્સિસમાં વાપરવામાં આવતી હાયર એન્ટિબાયોટિક્સ દવાઓ જો આપવામાં આવશે તો તેનો આ નક્કી કરેલા દરોમાં સમાવેશ થતો નથી તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત જો દર્દીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે બીજા ડોક્ટરની જરૂર પડે તો તેનો ચાર્જ તેમજ લેબોરેટરી ચાર્જીસ ઉપરાંત દરેક ડાયાલિસિસના રૂ. 1500 અને આઈસીયુમાં જો ડાયાલિસિસની જરૂર પડે તો તે વખતે દરેક ડાયાલિસિસિના રૂ. 3500 અલગથી ચૂકવવાના રહેશે એટલે કે તેનો આ નક્કી કરેલા દરોમાં સમાવેશ થતો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત